ETV Bharat / city

જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જેષ્ઠા અભિષેક, ગજવેશ ધારણ કર્યાં

author img

By

Published : Jun 5, 2020, 2:24 PM IST

જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જેષ્ઠા અભિષેક, ગજવેશ ધારણ કર્યાં
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જેષ્ઠા અભિષેક, ગજવેશ ધારણ કર્યાં

ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા યોજાવાની ત્યારે આજે જેઠ પૂનમના દિવસે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ ઐતિહાસિક બની રહેશે કે કોરોના વાયરસની મહામારીને કારણે સાદાઈથી જ જળયાત્રા યોજાઈ હતી જેમાં ગણ્યાંગાંઠ્યા લોકો હાજર હતાં. તે બાદ નિજ મંદિર ખાતે ભગવાનનો અભિષેક, અને ગજવેશ ધારણ કરવાનો અવસર સંપન્ન થયો હતો.

અમદાવાદઃ ભગવાન જગન્નાથજી મંદિરના મહંત,ટ્રસ્ટી અને સેવકો દ્વારા ભગવાન જગન્નાથજીની જળયાત્રા આયોજિત કરવામાં આવી હતી. મંદિર ખાતે 1 મોટો કળશ ભરીને જળ લાવવામાં આવ્યું હતું તે બાદ ભગવાનનો જેષ્ઠા અભિષેક કરવામાં આવ્યો હતો જેમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ભાગ લીધો હતો.. જેઠ માસની પૂનમના દિવસે જ ભગવાનનો અભિષેક કરવામાં આવે છે તે બાદ ભગવાને ગજવેશ ધારણ કર્યો હતો.

જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જેષ્ઠા અભિષેક
વર્ષ દરમિયાન માત્ર એક જ વખત ભગવાન જગન્નાથજી ગજવેશ ધારણ કરે છે તે પ્રમાણે આજે ભગવાને ગજવેશ ધારણ કર્યો હતો. આજે જ ભગવાન પોતાના મોસાળ જશે જેથી બપોર બાદ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે પોતાના મોસાળ સરસપુર ખાતે જશે.ભગવાનને અમાસના દિવસે નિજ મંદિર પરત લાવવામાં આવશે અને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે. રથયાત્રા કેવી રીતે યોજાશે તે માટે માત્ર સરકાર તરફથી જે સૂચનો આપવામાં આવશે તેનું મંદિર તરફથી પાલન કરવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.