ETV Bharat / city

Historic Heritage Plight : આ જાજરમાન હેરિટેજ જોખમમાં, જાણો શું છે હાલત

author img

By

Published : Jul 4, 2022, 4:27 PM IST

Historic Heritage Plight : આ જાજરમાન હેરિટેજ જોખમમાં, જાણો શું છે હાલત
Historic Heritage Plight : આ જાજરમાન હેરિટેજ જોખમમાં, જાણો શું છે હાલત

અમદાવાદ શહેરને દેશના પ્રથમ હેરિટેજ શહેરનો દરજ્જો મળ્યો છે. પરંતુ શહેરની ઐતિહાસિક ઇમારતોની યોગ્ય સાચવણી કરવામાં આવતી ન હોય (Historic Heritage Plight ) તેવા દ્રશ્યો સામે (Ahmedabad Heritage Conservation) આવી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા અમદાવાદના સરખેજ રોજાની (Ahmedabad Sarkhej Roja) યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

અમદાવાદ : દેશનું પ્રથમ હેરિટેજ શહેર અમદાવાદ ગણવામાં આવે છે. પરંતુ તંત્ર દ્વારા ઐતિહાસિક ઇમારતોની (Historic Heritage Plight ) યોગ્ય સાફસફાઈ કરવામાં આવતી નથી તેવા દ્રશ્યો (Ahmedabad Heritage Conservation) સામે આવી રહ્યા છે. ઐતિહાસિક સરખેજ રોજાની (Ahmedabad Sarkhej Roja) હેરિટેજ ઇમારત પણ જરર્જિત હાલતમાં જોવા મળી આવતા સ્થાનિક લોકો દ્વારા સમારકામ કરવાની માગણી કરવામાં આવી રહી છે. તેમ જ સરખેજ રોજાના તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં ન આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.

અમદાવાદની ઐતિહાસિક હેરિટેજની જાળવણી કરવા માગ

કોર્પોરેશનને અનેક ફરિયાદ કરવામાં આવી છે -બબલુખાન મણિયારે જણાવ્યું હતું કે સરખેજ તળાવ અને સરખેજ રોજાએ જોવા લોકો દેશવિદેશથી જોવા માટે આવતા હોય છે. પરંતુ તળાવ અને રોજામાં (Ahmedabad Sarkhej Roja) દેખભાળ અને નિયમિત સાફસફાઈ કરવામાં (Historic Heritage Plight )આવતી નથી. સાફ સફાઈ પણ બે મહિને કરવામાં આવી રહી છે. અમદાવાદ કોર્પોરેશનમાં (Ahmedabad Corporation ) આ અંગે અનેકવાર ફરિયાદ કરવામાં આવી છેતેમ છતાં ધ્યાન (Ahmedabad Heritage Conservation) આપવામાં આવતું નથી. રાણીના મહેલની હાલત ખરાબ જોવા મળી રહી છે.

વડાપ્રધાને ડેવલપ કરવાની વાત કરી હતી- AMC કોર્પોરેટર હાજી શેખે (AMC Corporator Haji Shaikh) જણાવ્યું હતું કે અમદાવાદ શહેરને હેરિટેજમાં સમાવેશ કર્યા બાદ આ સરખેજના રોજામાં પ્રથમ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. અગાઉ વડાપ્રધાન નરેદ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતાં તે વખતે એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબ જોડે અહીં આવ્યાં હતાં. ડેવલપ કરવાની ખૂબ મોટી વાતો કરવામાં આવી હતી.પરંતુ કોઈ કામ કરવામાં (Historic Heritage Plight )આવ્યું નથી.

ગરીબોના કાશ્મીર સમાન છે - વધુમાં ઉમેર્યું હતું કે આ ગરીબોનું કાશ્મીર છે. અમીર વર્ગ તો વિદેશ ફરવા જશે પરંતુ ગરીબ વર્ગ અહીં જ ફરવા આવે છે. જો આ (Ahmedabad Sarkhej Roja) ડેવલપ કરવામાં આવે તો ધાર્મિક વિધિ માટે પણ ઉપયોગી (Ahmedabad Heritage Conservation)થઈ શકે છે. આ તળાવની પાછળ ડ્રેનેજનું ગંદુ પાણી તળાવમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ચોમાસામાં પણ પાણી ગંધ (Historic Heritage Plight )મારે છે.

સ્થાનિક લોકોની માગ છે કે સરખેજના તળાવમાં નર્મદાનું પાણી ભરવામાં આવે
સ્થાનિક લોકોની માગ છે કે સરખેજના તળાવમાં નર્મદાનું પાણી ભરવામાં આવે

બજેટ ફાળવવા છતાં વિકાસ નહીં- શહેરના હેરિટેજ વિસ્તારને વિકાસ માટે કરોડો રુપિયા બજેટમાં ફાળવવામાં આવી રહ્યા છે. પરંતુ હેરિટેજ વિસ્તારનો (Ahmedabad Sarkhej Roja) વિકાસ કરવામાં આવતો નથી. આ હેરિટેજ (Ahmedabad Heritage Conservation)વિસ્તારની બિસ્માર હાલત જોઈ સ્થાનિકોમાં અફસોસ (Historic Heritage Plight ) જોવા મળે છે. સ્થાનિક લોકોની માગ છે કે સરખેજના તળાવમાં નર્મદાનું પાણી (Narmada Water For Sarkhej Lake) ભરવામાં આવે જેથી તેની સુંદરતામાં વધારો થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.