ETV Bharat / city

રથયાત્રા પર હુમલો કરવાનો પ્લાન બનાવનાર આરોપી ઝડપાયો, ક્રાઈમબ્રાન્ચને મળી સફળતા

author img

By

Published : Oct 17, 2022, 3:29 PM IST

રથયાત્રા પર હુમલો કરવાનો પ્લાન બનાવનાર આરોપી ઝડપાયો, ક્રાઈમબ્રાન્ચને મળી સફળતા
રથયાત્રા પર હુમલો કરવાનો પ્લાન બનાવનાર આરોપી ઝડપાયો, ક્રાઈમબ્રાન્ચને મળી સફળતા

અમદાવાદમાં રથયાત્રા પર (ahmedabad rath yatra attack) હુમલાનો પ્લાન બનાવનારા આરોપીઓને ક્રાઈમબ્રાન્ચે ઝડપી (ahmedabad rath yatra attack) પાડ્યો હતો. આરોપીઓ હથિયાર સાથે બિન્દાસ્ત ફરી રહ્યા હતા. ક્રાઈમબ્રાન્ચને આરોપી (Ahmedabad Crime Branch) અંગે બાતમી મળતા બંને આરોપીની ધરપકડ કરી હતી.

અમદાવાદ શહેરમાં અષાઢી મહિનામાં યોજાતી રથયાત્રામાં (ahmedabad rath yatra attack) સુરક્ષા માટે પોલીસ (Ahmedabad Police) ચૂસ્ત બંદોબસ્ત ગોઠવે છે. સાથે જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર પોલીસ ચાંપતી નજર રાખે છે. તેમ છતાં પોલીસની નજર ચૂકવીને રથયાત્રા (ahmedabad rath yatra attack) પર હુમલો કરવાનો પ્લાન બનાવનારા આરોપીઓ ઝડપાયા છે.

હથિયાર મગાવનાર પણ ઝડપાયો ક્રાઈમબ્રાન્ચની ટીમે (Ahmedabad Crime Branch) પ્લાન બનાવી હથિયાર મગાવનારા અને આતંકવાદ જેવા ગંભીર ગના આચરનારા શખ્સને ઝડપી પાડ્યો (Ahmedabad Crime Branch arrested) હતો. આરોપી હથિયાર સાથે બિન્દાસ્ત ફરતો હોવાથી ક્રાઈમબ્રાન્ચે કુખ્યાત આરોપી શબ્બીર અને તેના સાથીને 2 પિસ્ટલ સાથે પકડી પાડ્યો હતો.

કિશનસિંહ યાદવ નામનો હથિયાર આપી ગયો ક્રાઈમબ્રાન્ચના (Ahmedabad Crime Branch) PI એચ. એમ. વ્યાસને બાતમી મળી હતી કે, આતંકવાદી પ્રવૃતિમાં ઝડપાયોલો (Ahmedabad Crime Branch arrested) અને વર્ષો પહેલા રથયાત્રા પહેલા હથિયારો લાવી હુમલો કરવાનો પ્લાન બનાવનારો આરોપી શબ્બીર ઉર્ફે કાલુ બિહારી યાકુબમિયા શેખ અને બશીર એહમદ રસુલમિયા શેખ પિસ્ટલ સાથે ફરી રહ્યા છે. આથી ક્રાઇમબ્રાન્ચની ટીમે (Ahmedabad Crime Branch) શબ્બીર અને બશીરને પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 2 નંગ પિસ્ટલ મળી આવ્યા હતા. જ્યારે આરોપી પ્રિતમસિંગ કિશનસિંગ યાદવ આરોપીઓને દસેક મહિના પહેલા હથિયાર આપી ગયો હતો. તે ક્યાંથી લાવ્યો અને તેણે શહેરમાં કેટલા લોકોને હથિયાર સપ્લાયલ કર્યા તે અંગે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

આરોપીને અગાઉ હત્યાના ગુનામાં સજા થઈ હતી આ અંગે ક્રાઈમબ્રાન્ચના (Ahmedabad Crime Branch) PI એચ. એમ વ્યાસે જણાવ્યું હતું કે, આરોપી શબ્બીર સામે વર્ષ 1977માં હવેલી પોલીસ સ્ટેશનમાં (Haveli Police Station) હત્યાનો ગુનો, ક્રાઇમ બ્રાન્ચમાં 1990માં આર્મ્સ એક્ટ, આતંકવાદના ગુન્હા, મણિનગર પોલીસ સ્ટેશનમાં (Maninagar Police Station) 1986માં હત્યાનો ગુનો, નડીયાદ પોલીસ સ્ટેશનમાં 1989-90માં હત્યાનો ગુનો, આણંદ પોલીસ સ્ટેશનમાં 2000માં હત્યાનો ગુનો, ક્રાઇમ બ્રાન્ચ ખાસે ગેરકાયદે હથિયારો રાખી રથયાત્રા પર હુમલો અને તેનો પ્લાન બનાવવાનો ગુનો, વર્ષ 2014માં આર્મ્સ એક્ટ જેવા ગુના દાખલ થયેલા છે.

અગાઉ આરોપીને થઈ હતી સજા આરોપીને મણિનગરની હત્યાના ગુનામાં (Murder Case in Maninagar) સજા થઈ હતી અને પેરોલ લઈ જમ્પ કરી ગુના કર્યા છે. 25 વર્ષ જેલની સજા કાપી આરોપી વર્ષ 2014માં જેલમાંથી છૂટ્યો હતો. તેની સાથે પકડાયેલા સબીર શેખ ચરસના ગુનામાં પકડાયો હતો. તેમાં તેને 10 વર્ષની થઈ હતી. તે પણ સજા ભોગવી (Ahmedabad Crime Branch arrested) છૂટ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.