અમદાવાદ: રાજસ્થાનના મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે મંગળવારે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુજરાતના મતદારોને આપવામાં આવેલા ચૂંટણી પૂર્વેના વચનો છેતરામણા (Ashok Gehlot On AAP) છે અને રાજ્યના લોકો તેમા પર પડશે નહીં. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના વરિષ્ઠ નિરીક્ષકે જણાવ્યું હતું કે, દિલ્હી સરકારી કચેરીઓમાંથી મહાત્મા ગાંધીની તસવીરો હટાવીને તેમનું અપમાન કરનાર AAP હવે રાષ્ટ્રપિતાના ગૃહ રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. Cm Ashok Gehlot Gujarat Visits
પ્રીપોલ ગેરંટી પર વિશ્વાસ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) AAPની એન્ટ્રીને ડામવા ગેહલોતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રાજ્યના લોકો અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળના સંગઠનની પ્રીપોલ ગેરંટી પર વિશ્વાસ કરશે નહીં. દિલ્હીમાં AAP સરકાર પર સ્પષ્ટ પ્રહાર કરતાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે, જેઓ તેમના રાજ્યની સરકારી કચેરીઓમાંથી મહાત્મા ગાંધીની તસવીરો હટાવીને તેમનું અપમાન કરે છે, તેઓ લોકો હવે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
આ પણ વાંચો : ભાજપવાળા પોતાના નેતાનો ફોટો છાપવા NYTને પૈસા ઓફર કરે છેઃ કેજરીવાલ
વિપક્ષી સંગઠનની તૈયારી : ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત રાજ્યમાં આગામી ચૂંટણીને લઈને તેઓ વિપક્ષી સંગઠનની તૈયારીના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસના મુખ્યાલય ખાતે પક્ષના ધારાસભ્યો, પદાધિકારીઓ અને અન્ય નેતાઓને સંબોધિત કરી રહ્યા હતા. ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ગેહલોતે AAPનું નામ લીધા વિના કહ્યું કે, કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી સત્તાની બહાર હોવા છતાં, અમારા કાર્યકરો હંમેશા લોકોની પડખે રહ્યા છે અને આટલા વર્ષોમાં તેમના મુદ્દા ઉઠાવ્યા છે. Gujarat Congres Meeting
ભ્રામક ચૂંટણી વચનો : ગુજરાતના લોકો કેટલાક તકવાદીઓના ભ્રામક ચૂંટણી વચનો પર વિશ્વાસ કરશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે, કોંગ્રેસે જ પશ્ચિમી રાજ્યમાં પોતાના લાંબા કાર્યકાળ દરમિયાન શાળાઓ, સરકારી હોસ્પિટલો, બંદરો, ઔદ્યોગિક વસાહતો, મોટા ઉદ્યોગો અને મુખ્ય ધોરીમાર્ગોનું નિર્માણ કર્યું હતું. Ashok gehlot On Gujarat BJP
આ પણ વાંચો : કેજરીવાલનો દાવો, AAPના ડરથી ગુજરાતમાં BJP પ્રમુખ બદલવાના સંકેત
મહાસચિવ કેસી વેણુગોપાલની ઉપસ્થિતિ : આ બેઠકમાં, ગેહલોતની સાથે કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલ પણ હતા. તેમના સંબોધનમાં વેણુગોપાલે જાહેરાત કરી હતી કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે પક્ષના કાર્યકરો, ખાસ કરીને ચૂંટણી બૂથના પ્રભારીઓને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના નાયબ મનીષ સિસોદિયા વિધાનસભાની ચૂંટણીમાં AAPના પાયાને મજબૂત કરવા માટે છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, કેજરીવાલે ગુજરાતની તેમની બહુવિધ મુલાકાતો દરમિયાન, નોકરીઓ, બેરોજગારીનું પ્રમાણ, શિક્ષણ, મફત વીજળી અને મહિલાઓને માસિક ભથ્થું વગેરે સંબંધિત પ્રીપોલ ગેરંટી ની શ્રેણીની જાહેરાત કરી છે.