ETV Bharat / city

વ્યાજખોર દ્વારા વેપારીની કનડગત ધક્કો મારી 12 ફૂટ નીચે પાડ્યો

author img

By

Published : Aug 13, 2022, 9:09 PM IST

વ્યાજખોર દ્વારા વેપારીની કનડગત ધક્કો મારી 12 ફૂટ નીચે પાડ્યો
વ્યાજખોર દ્વારા વેપારીની કનડગત ધક્કો મારી 12 ફૂટ નીચે પાડ્યો

વ્યાજે લીધેલા રૂપિયા પરત ન આપતા વ્યાજખોરોએ વેપારીને ધક્કો મારીને Usurer tortured a businessman ગ્રાઉન્ડ ફ્લોરથી 12 ફૂટ નીચે પાડી દીધો હતો. વ્યાજખોર દ્વારા વેપારીની કનડગતના સીસીટીવી CCTV of Crime સામે આવતા સમગ્ર મામલે નિકોલ અમદાવાદ પોલીસમાં Ahmedabad Police ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ અમદાવાદમાં દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વ્યાજખોરો દ્વારા વેપારીએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વ્યાજે લીધેલા રૂપિયા પરત નહીં આપતા વ્યાજખોરો દ્વારા વેપારીને ધક્કો Usurer tortured a businessman મારીને ગ્રાઉન્ડ ફ્લોરથી 12 ફૂટ નીચે પાડી દેવાની ઘટના Ahmedabad Crime બની. વ્યાજખોર દ્વારા વેપારીની કનડગત સીસીટીવી CCTV of Crime સામે આવતા સમગ્ર મામલે નિકોલ પોલીસ મથકમાં Ahmedabad Policeફરિયાદ નોંધાઈ. કેટલા રૂપિયાની ઉઘરાણીમાં આરોપીઓએ કરી પઠાણી ઉઘરાણી અને કોણ છે એ વ્યાજખોરો જોઈએ.

કાંચો ઉર્ફે મિર રાણા વેપારી પાસે અવાર નવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હતો

એક લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા વેપારી અમિતભાઈ શાહે ધંધા માટે ચાર વર્ષ પહેલા કાંચા ઉર્ફે મિર રાણા પાસેથી એક લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. વેપારીએ રૂપિયા વ્યાજે લીધા બાદ કાંચો ઉર્ફે મિર રાણા વેપારી પાસે અવાર નવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હતો. વેપારીએ કાંચાને તેનું વ્યાજ ભરપાઈ કરવા માટે દુકાન માલિક કનુભાઈ અને રાજભા પાસેથી ડેઇલી રિકરિંગથી વીસ હજાર રૂપિયા વ્યાજે લીધા અને તે વીસ હજાર વ્યાજ પેટે કાંચાને ચૂકવ્યા હતાં.

ધંધામાં મંદીને કારણે ન ચૂકવાયાં રુપિયા હવે રાજભા અને કનુભાઈ પાસેથી ડેઇલી રિકરીંગથી લીધેલા રૂપિયા ચૂકવવાનાં હતાં પરંતુ વેપારી અમિતભાઇને ધંધામાં મંદીને કારણે તેવો રાજભા અને કનુભાઈને પૈસા ન ચૂકવતા અમિતભાઈ નિકોલમાં આવેલી સ્પાની દુકાનની બહાર આવેલી રેલીંગ પર બેઠા હતાં ત્યારે કાંચા ઉર્ફે મિર રાણાએ તેને રેલીંગ પરથી નીચે જાનથી મારી નાખવાની ધમકી આપી રેલીંગથી 12 ફૂટ નીચે પાડી દીધા Usurer tortured a businessman હતા. સમગ્ર મામલે અમિતભાઈની પત્ની દ્વારા નિકોલ પોલીસ મથકમાં Ahmedabad Policeફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો Usurers in Gandhinagar : વ્યાજખોરો સામે ગાંધીનગરમાં પોલીસની ઝુંબેશ, એક દિવસમાં 10 અરજી

મુખ્ય આરોપી ફરાર અમિતભાઈને કાંચા ઉર્ફે મિર રાણાએ રૂપિયા વ્યાજે આપ્યા હતાં જેના વ્યાજનું ચૂકવણી કરવા સ્પા સંચાલક અમિતભાઈ તેની દુકાનના માલિક કનુભાઈ અને રાજભા પાસેથી રૂપિયા લીધા હતા. જોકે અમિતભાઈએ કનુભાઈ અને રાજભા પાસેથી લીધેલા રૂપિયા પરત ન આપી શકતા કનુભાઈ અને રાજભાએ કાંચાને અમિતભાઇની દુકાને ઉઘરાણી માટે મોકલ્યો હતો. સમગ્ર મામલે પોલીસે રાજેશ ઉર્ફે રાજભા પ્રજાપતિ, કનુભાઈ ઉર્ફે કનુભા ગળચરની ધરપકડ કરવામાં આવી છે તો મુખ્ય આરોપી કાંચા ઉર્ફે મિર રાણા ફરાર થઈ ચૂક્યો છે.

આ પણ વાંચો ગોંડલમાં વ્યાજખોરો વિરુદ્ધ મની લેન્ડર્સ એકટ મુજબનો ગુનો નોંધાયો

મિર રાણાને પકડવા ચક્રો ગતિમાન મુખ્ય આરોપી કાંચા ઉર્ફે મિર રાણા પર અમદાવાદના અમરાઈવાડી, ખોખરામાં હત્યાનાં પ્રયાસનો ગુનો, ખોખરામાં રાયોટિંગ તેમજ પાલડીમાં પણ ગુનો નોંધાઇ ચૂક્યો છે. નિકોલ પોલીસે Ahmedabad Police મિર રાણાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.