દેશના સીમાડાઓ સાચવનાર જમ્મુથી નવસારીના દાંડી સુધી સાયકલ યાત્રા કરનારી 150 જવાનોની ટીમ આવી પહોંચી અમદાવાદ

author img

By

Published : Sep 25, 2021, 8:39 PM IST

દેશના સીમાડાઓ સાચવનાર જમ્મુથી નવસારીના દાંડી સુધી સાયકલ યાત્રા કરનારી 150 જવાનોની ટીમ આવી પહોંચી અમદાવાદ

દેશની સરહદોની સુરક્ષા માટે દિવસ રાત એલર્ટ રહેતા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ કાશ્મીરથી નવસારીના દાંડી સુધીની એક અનોખી સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના 150 જવાનોની દાંડીથી રાજઘાટ સુધીની સાયકલ યાત્રા આજે અમદાવાદ ખાતે આવી પહોંચી છે. આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

  • BSFના 150 જવાનોની ટીમ જમ્મુથી નવસારી સુધી કરશે સાયકલ યાત્રાતિત
  • આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત થઈ રહી છે ઉજવણી
  • નવસારીના દાંડી પહોંચી રાષ્ટ્રપિતાને આપશે શ્રદ્ધાંજલિ

    ન્યુઝ ડેસ્કઃ દેશની સરહદોની સુરક્ષા માટે દિવસ રાત એલર્ટ રહેતા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ કાશ્મીરથી નવસારીના દાંડી સુધીની એક અનોખી સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આ રેલી ગાંધી જયંતીના દિવસે એટલે કે બીજી ઓક્ટોબરના રોજ સાયકલ યાત્રા દાંડી પહોંચી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.

જવાનો એક અનોખા મિશન હેઠળ આ યાત્રાએ નીકળ્યા


આ સાયકલ યાત્રા આજે બપોરે અમદાવાદ આવી પહોંચી હતી. અમદાવાદની સેવાભાવી સંસ્થા શિવમ ચેરીટેબલ ટ્રસ્ટે તેમનું સ્વાગત કર્યું હતું. યાત્રાનું સ્વાગત કરતાં ટ્રસ્ટના ડોક્ટર પ્રકાશ કુરમિએ જણાવ્યું હતું કે, દેશની સુરક્ષામાં વ્યસ્ત જવાનો એક અનોખા મિશન હેઠળ આ યાત્રાએ નીકળ્યા છે ત્યારે તેમનું યથા યોગ્ય સ્વાગત થાય તે આપણી સૌની ફરજ છે. દેશના સીમાડાઓ સાચવનારા આ જવાનો આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત એકતા અખંડિતતા અને ફિટનેસના ધ્યેય મંત્ર સાથે નીકળ્યા છે ત્યારે સમાજમાં તેની હકારાત્મક અસર અને સંદેશો પહોંચશે તે પણ એટલું જ મહત્વનું છે.

26 મી સપ્ટેમ્બરના રોજ સીમા સુરક્ષા દળના જવાનો કાંકરિયા લેક, સ્વામિનારાયણ મંદિર અને મોડર્ન સ્કુલ મણીનગર જેવા સ્થળોની મુલાકાત પણ લઇ વૃક્ષારોપણ મેડિકલ ચેકઅપ કેમ્પ અને યોગ પ્રાણાયામ શિબિર જેવા કાર્યક્રમમાં સહભાગી થશે.

શહેરીજનોએ સાયકલ યાત્રાને ઉત્સુકતાથી વધાવી

આખો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આઝાદીની લડાઇમાં અનન્ય યોગદાન આપનારા અમદાવાદ નગરના શહેરીજનો આ સાયકલ યાત્રાને ઉત્સુકતાથી વધાવી હતી. આ પ્રસંગે બીએસએફના અધિકારીઓ, શહેર અગ્રણી અશોક પંડ્યા, મણિનગર સ્વામિનારાયણ મંદિરના મંહતો વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ પિતા બાળકને આ કિનારે મૂકી મોટર સાયકલ સામે કિનારે મૂકવા ગયા, બાળકને પરત લેવા ફરે તે પહેલાં બાળક તણાઈ ગયું

આ પણ વાંચોઃ ગુજરાત-રાજસ્થાન સરહદો પર નથી થતા કોરોના ટેસ્ટ, સરકારી આદેશનો ફિયાસ્કો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.