ETV Bharat / city

રાજ્યમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 30 પોઝિટિવ કેસ

author img

By

Published : Oct 26, 2021, 10:31 PM IST

રાજ્યમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 30 પોઝિટિવ કેસ
રાજ્યમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 30 પોઝિટિવ કેસ

રાજ્યમાં ફરી એકવાર કોરોના સંક્રમણ (Corona In Gujarat) વધતુ જોવા મળી રહ્યું છે. તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે કોરોના (Coronavirus)ના વધી રહેલા કેસો ચિંતાજનક છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 કેસ નોંધાયા છે, તો 5 દર્દીઓને રજા આપવામાં આવી છે.

  • રાજ્યમાં કોરોના કેસમાં વધારો
  • છેલ્લા 24 કલાકમાં 30 પોઝિટિવ કેસ નોંધાયા
  • સમગ્ર રાજ્યમાં ફક્ત 3 કોર્પોરેશન અને 6 જિલ્લામાં કેસ

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ (Corona Cases In Gujarat) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારબાદ જૂન-જુલાઈ અને ઓગષ્ટમાં કેસે નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ કાબૂ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી, પણ હવે રાજ્યમાં ફરી કેસો (Corona Cases)માં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે ત્યારે ઓક્ટોબર માસની 26 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, બરોડા અને સુરત કોર્પોરેશન (Surat Corporation)માં કેસ નોંધાયા છે.

6 જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

33 જિલ્લામાંથી ફક્ત 6 જિલ્લા વલસાડ,નવસારી, સુરત, કચ્છ, ગીર-સોમનાથ જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 30 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે સુરત, વડોદરા અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 08 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 05 દર્દીને રજા આપવામાં આવી છે.

આજે 3,44,908 નાગરીકોને વેક્સિન અપાઈ

20 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 3,44,908 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 47,772 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. તો 2,01,004 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો. સમગ્ર રાજ્યમાં કુલ 6,93,28,268 ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 171

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 171 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 05 વેન્ટિલેટર પર અને 166 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,086 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,205 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: સી આર પાટીલની વાત માની હોત તો વૃદ્ધાને રખડતા ઢોરે શીંગડું ન માર્યું હોત, જાણો સમગ્ર ઘટના...

આ પણ વાંચો: દેશ સાથે ગદ્દારી કરનાર BSF જવાનના 10 દિવસના રિમાન્ડ મંજૂર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.