ETV Bharat / business

યુક્રેન સંકટ વચ્ચે સરકાર LICનો IPO મુલતવી રાખી શકે છે: નિષ્ણાતો

author img

By

Published : Mar 7, 2022, 7:21 AM IST

યુક્રેન સંકટ વચ્ચે સરકાર LICનો IPO મુલતવી રાખી શકે છે: નિષ્ણાતો
યુક્રેન સંકટ વચ્ચે સરકાર LICનો IPO મુલતવી રાખી શકે છે: નિષ્ણાતો

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંકેત આપ્યો છે કે, ઝડપથી બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જો જરૂર જણાય તો સરકાર LICના IPOની સમયરેખા (LIC IPO Timeline) પર પુનર્વિચાર કરી શકે છે.

નવી દિલ્હી: બજાર નિષ્ણાતોએ રવિવારે જણાવ્યું હતું કે, સરકાર રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine Crisis) વચ્ચે એલઆઈસીની પ્રારંભિક જાહેર ભરણું IPO આગામી નાણાકીય વર્ષ માટે મુલતવી રાખી શકે છે, કારણ કે વર્તમાન પરિસ્થિતિમાં, ઇશ્યૂ માટે ભંડોળ મેનેજરો પાસે ઉપલબ્ધ છે. સરકાર આ મહિને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)માં પાંચ ટકા હિસ્સો વેચવાનું વિચારી રહી હતી, જેનાથી સરકારી તિજોરીમાં આશરે રૂ. 60,000 કરોડ મળવાનો અંદાજ હતો. IPO ચાલુ નાણાકીય વર્ષ માટે તેના રૂ. 78,000 કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકને પહોંચી વળવામાં પણ મદદ કરશે તેવી અપેક્ષા હતી.

રુસ-યુક્રેન યુદ્ધના કારણે ઉભી થયેલી અસ્થિરતા

ગયા અઠવાડિયે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) પણ સંકેત આપ્યો છે કે, ઝડપથી બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જો જરૂર જણાય તો, સરકાર LICના IPOની સમયરેખા (LIC IPO Timeline) પર પુનર્વિચાર કરી શકે છે. નાણાપ્રધાન સીતારમણના કહેવા પ્રમાણે, હું આ IPOના પૂર્વ નિર્ધારિત સમયપત્રક અનુસાર આગળ વધવા માંગુ છું, કારણ કે અમે આ માટે તૈયારી કરી લીધી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂર પડે તો હું પુનર્વિચાર કરવા પણ તૈયાર છું. નાણાપ્રધાનએ એમ પણ કહ્યું કે, મારે આ અંગે આખી દુનિયાને ખુલાસો આપવો પડશે. દેશના રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને સરકાર દેશની સૌથી મોટી વીમા કંપની LICના IPO અંગે નિર્ણય લેશે. સરકારે કહ્યું કે તે રુસ-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)ના કારણે ઉભી થયેલી અસ્થિરતા વચ્ચે બજાર પર નજીકથી નજર રાખી રહી છે.

વાંચો: માસ્ટરકાર્ડ અને વિઝાએ રશિયામાં વ્યવહારો બંધ કર્યા, યુક્રેનમાં 18થી 60 વર્ષની વયના પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) સેક્રેટરી તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે, સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યની માલિકીની જીવન વીમા કંપનીની પ્રારંભિક જાહેર ભરણું (IPO) શરૂ કરવા માંગે છે, પરંતુ તે "ગતિશીલ પરિસ્થિતિ" છે. યુક્રેન-રશિયા યુદ્ધને કારણે બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને LIC શેરના વેચાણના સમય પર પુનર્વિચાર કરવામાં આવી શકે છે. રોકાણ વિભાગના સચિવએ જણાવ્યું હતું કે, હમણાં જ કેટલીક અણધારી ઘટનાઓ બની છે. અમે બજારને નજીકથી જોઈ રહ્યા છીએ અને નિશ્ચિતપણે સરકાર જે કંઈ પણ કરી રહી છે, તે રોકાણકારોના હિતમાં હશે.

સરકાર બજાર પર નજીકથી નજર રાખી રહી છે

તેમણે કહ્યું કે, સરકાર આ નાણાકીય વર્ષમાં જ એલઆઈસીનો આઈપીઓ લાવવા ઈચ્છે છે. નાણાકીય વર્ષ 31 માર્ચે સમાપ્ત થાય છે, પરંતુ અત્યારે જે સ્થિતિ આવી છે, અમે તેને નજીકથી જોઈ રહ્યા છીએ. આપણે સજાગ રહેવું પડશે અને તે મુજબ આપણી વ્યૂહરચના બનાવવી પડશે. સરકારે કહ્યું કે, તે પ્રોફેશનલ એડવાઈઝરની સલાહ પર રોકાણકારો અને હિતધારકોના હિતમાં નિર્ણય લેશે. આશિકા ગ્રૂપના રિટેલ ઇક્વિટી રિસર્ચના વડા અરિજિત મલકારે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વર્તમાન ભૌગોલિક રાજકીય પરિદ્રશ્ય વૈશ્વિક ઇક્વિટી બજારો પર દબાણ લાવી રહ્યું છે. ભારતીય બજારોએ પણ આના પર નકારાત્મક પ્રતિક્રિયા આપી છે અને તેમની સર્વકાલીન ઊંચાઈથી લગભગ 11 ટકા તૂટી ગયા છે.

વાંચો: યુવાઓને તક આપવા વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં નહીં રમે મેરી કોમ

તેમણે કહ્યું કે, આવી સ્થિતિમાં વર્તમાન બજારની અસ્થિરતા LICના IPO માટે અનુકૂળ નથી અને સરકાર આ મુદ્દાને આગામી નાણાકીય વર્ષ સુધી મુલતવી રાખી શકે છે. રિસર્ચ ઇક્વિટીમાસ્ટરના કો-હેડ તનુશ્રી બેનર્જીએ જણાવ્યું હતું કે, LIC IPO માટે બજારનું નબળું સેન્ટિમેન્ટ નિરાશાજનક છે. આવી સ્થિતિમાં, આ IPO સ્થગિત થવાની સંભાવના છે. અપસાઇડ AIના સહ-સ્થાપક અતનુ અગ્રવાલે જણાવ્યું હતું કે, વ્યાપક અનિશ્ચિતતાના ચહેરામાં, ઉભરતા બજારોમાં હંમેશા વેચવાલી જોવા મળે છે. મતલબ કે સ્થાનિક બજારોમાં તરલતા ઘટી રહી છે. ટ્રેડસ્માર્ટના પ્રેસિડેન્ટ વિજય સિંઘાનિયાએ કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને જોતા સરકાર માટે IPOને થોડા મહિના માટે મુલતવી રાખવો એ મોટી વાત નથી. જો કે, આનાથી નાણાકીય વર્ષ 2021-22ના બજેટના આંકડા વધુ ખરાબ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.