ETV Bharat / bharat

આતંકીઓને રૂપિયા પૂરા પાડનારા યાસીન મલિકને આજીવન કારાવાસ

author img

By

Published : May 25, 2022, 3:47 PM IST

Updated : May 26, 2022, 8:22 AM IST

હત્યા અને ટેરર ​​ફંડિંગ કેસમાં દોષિત (Yasin Malik terror funding case) યાસીન મલિકને કડક સુરક્ષા વચ્ચે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટે યાસીન મલિકની સજાની મુદત પર ચુકાદો અનામત રાખ્યો છે. આખરે આજીવન કેદની સજાનું એલાન થયુ છે.

Live Update: યાસીન મલિકને આજીવન કેદની સજા
Live Update: યાસીન મલિકને આજીવન કેદની સજા

નવી દિલ્હી: હત્યા અને ટેરર ​​ફંડિંગ કેસમાં દોષિત (Yasin Malik terror funding case) યાસીન મલિકને કડક સુરક્ષા વચ્ચે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ (Yasin Malik produced in Patiala House Court ) કરવામાં આવ્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટે યાસીન મલિકની સજાની મુદત પર ચુકાદો અનામત રાખ્યો હતો. આખરે આજીવન કેદની સજાનું એલાન થયુ છે. આજે સુનાવણી દરમિયાન NIAએ યાસીન મલિકને ફાંસીની સજાની માંગ કરી હતી.

પ્રતિબંધિત સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસીન મલિકને ટેરર ​​ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. થોડા સમય પહેલા યાસીન મલિકને લોક અપમાંથી કોર્ટરૂમમાં લાવવામાં આવ્યો હતો. તેને બેસવા માટે ખુરશી આપવામાં આવી. મલિકની સજા પર ચુકાદો પહેલા બપોરે 3.30 વાગ્યે આવવાનો હતો, પછી તેને 4 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે નિર્ણય આવી ગયો છે.

યાસીન મલિક પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર

આ પણ વાંચો: "I HATE MY DAD.. મારે તેમને મારવા પડશે નહીંતર હું પોતે મરી જઈશ" વિદ્યાર્થીનીનો આત્મઘાતી પત્ર

આ દરમિયાન અનેક લોકો તિરંગા સાથે કોર્ટની બહાર પહોંચી ગયા છે. તે જ સમયે, શ્રીનગર નજીક મૈસુમામાં યાસીન મલિકના ઘર પાસે મલિકના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાની વાત સામે આવી છે. અહીં પથ્થરમારો બાદ સુરક્ષાકર્મીઓએ ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. યાસીન મલિકનું ઘર શ્રીનગર પાસે મૈસુમામાં છે. મલિકના ઘરની આસપાસ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રોન દ્વારા વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: બોલિવૂડના મોજીલા ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ

19 મેના રોજ કોર્ટે યાસીન મલિકને દોષિત ઠેરવ્યો હતો. યાસીન મલિકે (Yasin Malik appeared in court amid tight security) 10 મેના રોજ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. 16 માર્ચે કોર્ટે હાફિઝ સઈદ, સૈયદ સલાહુદ્દીન, યાસીન મલિક, શબ્બીર શાહ અને મસરત આલમ, રશીદ ઈજનેર, ઝહૂર અહેમદ વટાલી, બિટ્ટા કરાટે, આફતાબ અહેમદ શાહ, અવતાર અહમ શાહ, નઈમ ખાન, બશીર અહેમદ બટ્ટ ઉર્ફે પીર સૈફુલ્લાહ અને અન્ય આરોપીઓ સામે આરોપો ઘડવા આદેશ આપ્યો છે.

NIAના જણાવ્યા અનુસાર, લશ્કર-એ-તોયબા, હિઝબુલ મુજાહિદ્દીન, JKLF, જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોએ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIની મદદથી જમ્મુ-કાશ્મીરમાં નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલા અને હિંસા આચરી હતી. 1993 માં, અલગતાવાદી પ્રવૃત્તિઓ કરવા માટે ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સની સ્થાપના કરવામાં આવી હતી.

Last Updated :May 26, 2022, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.