Mamata Delhi Visit: વડાપ્રધાન સાથે મુલાકાત કરશે દીદી, 'ત્રિપુરા હિંસા' પર થશે ચર્ચા

author img

By

Published : Nov 24, 2021, 1:19 PM IST

Mamata Delhi Visit: PM સાથે મુલાકાત કરશે દીદી, 'ત્રિપુરા હિંસા'  પર થશે ચર્ચા

પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી ( CM Mamata Banerjee) દિલ્હી મુલાકાતે (Mamata Delhi Visit) આવી રહ્યાં છે. મમતા બેનરજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Mamata PM Modi Meeting) સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન મમતા બેનરજી ત્રિપુરા (Mamata Modi Meet Tripura Issue) અને BSFના અધિકાર ક્ષેત્ર (Mamata BSF Jurisdiction) વિસ્તારનો મુદ્દો ઉઠાવશે.

  • પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે
  • વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન મમતા બેનરજી ત્રિપુરા અને BSFના અધિકાર ક્ષેત્ર વિસ્તારનો મુદ્દો ઉઠાવશે
  • મમતા બેનરજી 6 મહિનાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બીજી વખત મુલાકાત કરવા આવી રહ્યાં છે

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી (CM Mamata Banerjee Delhi Visit) આજે (બુધવારે) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Mamata PM Modi Meeting) સાથે મુલાકાત કરશે. તે દરમિયાન મમતા ત્રિપુરા હિંસા (Mamata PM Modi Meeting Tripura Violence) અને બીએસએફના અધિકાર ક્ષેત્રમાં વિસ્તારનો મુદ્દો (Mamata BSF Jurisdiction) ઉઠાવશે. મમતા બેનરજી, સંસદના શિયાળા સત્ર દરમિયાન ટીએમસીની રણનીતિ (TMC parliament winter Session) પર નિર્ણય કરવા માટે પાર્ટીના સાંસદો સાથે પણ એક બેઠક યોજશે.

આ પણ વાંચો- 2002માં ગુજરાત રમખાણોમાં થયેલી હિંસા આયોજિત હતી : SCમાં ઝાકિયા જાફરી

મમતા બેનરજી જુલાઈમાં પણ વડાપ્રધાનને મળવા આવ્યાં હતાં

આપને જણાવી દઈએ કે, જુલાઈ 2021માં મમતા બેનરજી દિલ્હીની મુલાકાતે આવ્યાં હતાં. જુલાઈમાં પણ મમતા બેનરજી અને મોદીની મુલાકાત થઈ હતી. હવે 6 મહિનાથી પણ ઓછા સમયમાં મમતા બેનરજી બીજી વખત દિલ્હી મુલાકાતે આવી રહ્યાં છે.

મમતા બેનરજી અનેક વિપક્ષી નેતાઓને પણ મળશે

તૃણમૂલ કોંગ્રેસ (TMC) સૂત્રોના મતે, રાષ્ટ્રીય રાજધાનીની 4 દિવસીય મુલાકાત દરમિયાન બેનરજીના અનેક વિપક્ષી નેતાઓને મળવા અને 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના આગામી શિયાળા સત્રમાં (Winter Session of Parliament) ભારતીય જનતા પાર્ટીનો (BJP) મુકાબલો કરવા માટે અપનાવવામાં આવનારી રીતો પર ચર્ચા કરવાની સંભાવના છે.

ત્રિપુરામાં થયેલા અત્યાચારો અંગે મમતા બેનરજી વડાપ્રધાન સાથે વાત કરશે

આપને જણાવી દઈએ કે, દિલ્હી મુલાકાત પહેલા કોલકાતામાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથેની મુલાકાત દરમિયાન ત્રિપુરા (Mamata Modi Meet Tripura Issue)માં થઈ રહેલા અત્યાચારોના મુદ્દા સિવાય સીમા સુરક્ષા બળ (BSF)ના અધિકાર ક્ષેત્ર વધારવા અંગેની પણ વાત ઉઠાવવામાં આવશે.

આ પણ વાંચો- BJP સાંસદ ગૌતમ ગંભીરને ISIS કાશ્મીરથી મારી નાખવાની મળી ધમકી

TMCના ધરણાંમાં સામેલ નહીં થઈ શકે મમતા બેનરજી

સોમવારે બેનરજીએ એ પણ કહ્યું હતું કે, ત્રિપુરામાં પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલા અને એક યુવા નેતા સાયની ઘોષની ધરપકડના વિરોધમાં રાષ્ટ્રીય રાજધાનીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદોના ધરણામાં તેઓ સામેલ નહીં થઈ શકે, પંરતુ તેમની સાથે નિશ્ચિતપણે એકતા વ્યક્ત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.