આજે International Democracy Day, જાણો આ દિવસનું મહત્ત્વ

author img

By

Published : Sep 15, 2021, 1:41 PM IST

આજે International Democracy Day, જાણો આ દિવસનું મહત્ત્વ

આજે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ (International Day of Democracy) છે. લાંબા સમયથી ઉપેક્ષિત અન્યાય, શિક્ષણ સુધી અસમાન પહોંચ, પર્યાવરણીય અધોગતિથી લઈને જાતિગત ભેદભાવ અને મહિલાઓ સામે હિંસા અસામાનતાઓ લોકશાહી માટે ખતરો છે. સાર્વજનિક અધિકારીઓ પર વિશ્વાસ ન હોવો, તકની અછત, આર્થિક અને સામાજિક અશાંતિને વધારી રહી છે. તેવામાં સરકારોને ફેરફારની માગ કરનારા લોકોની વાત સાંભળવી જોઈએ અને વાતચીત માટે એક નવી ચેનલ ખોલવા અને શાંતિપૂર્ણ વિધાનસભા સંચાલનને પ્રોત્સાહન આપવું જોઈએ.

  • આજે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ (International Day of Democracy) છે
  • લોકશાહી એક સાર્વભૌમિક માન્યતા પ્રાપ્ત શાસનોમાંથી એક છે અને સંયુક્ત રાષ્ટ્રના મૂલ્યો અને સિદ્ધાંતોમાંથી એક છે
  • લોકશાહી માનવાધિકારોને સંરક્ષણ અને તેમને પ્રભાવી રીતે લાગુ કરવાનો માહોલ પૂરો પાડે છે

હૈદરાબાદઃ લોકશાહી એક સાર્વભૌમિક માન્યતા પ્રાપ્ત શાસનોમાંથી એક છે અને સંયુક્ત રાષ્ટ્રના મૂલ્યો અને સિદ્ધાંતોમાંથી એક છે. લોકશાહી માનવાધિકારોને સંરક્ષણ અને તેમને પ્રભાવી રીતે લાગુ કરવાનો માહોલ પૂરો પાડે છે. સંયુક્ત રાષ્ટ્ર સુશાસનને પ્રોત્સાહન આપે છે, ચૂંટણીઓની દેખરેખ રાખે છે. લોકતાંત્રિક સંસ્થાઓ અને જવાબદારીને મજબૂત કરવા માટે નાગરિક સમાજનું સમર્થન કરે છે. વિઘટીત દેશોમાં આત્મનિર્ણય સુનિશ્ચિત કરે છે અને નવા ગઠનના ફોર્મેટિંગમાં સહાયતા કરે છે.

આ પણ વાંચો- આજે Engineers day નિમિત્તે PM Modiએ તમામ એન્જિનિયર્સને પાઠવી શુભેચ્છા

સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ કેમ ઉજવે છે?

આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ વિશ્વમાં લોકશાહીની સ્થિતિ સમીક્ષા કરવા માટે તક આપે છે. સ્વતંત્રતાના મુલ્ય, માનવાધિકારો માટે સન્માન અને સાર્વભૌમિક મતાધિકાર દ્વારા ચૂંટણી કરાવવાના સિદ્ધાંત લોકશાહીના આવશ્યક તત્ત્વ છે. બદલામાં લોકશાહી માનવાધિકારોના સંરક્ષણ અને પ્રભાવી પ્રાપ્તિ માટે માહોલ પૂરો પાડે છે.

આ પણ વાંચો- આજે વિશ્વ સૌંદર્ય દિવસ, જાણો પોતાની સુંદરતા જાળવી રાખવાના ઉપાય

ઈતિહાસ

લોકશાહીનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 15 સપ્ટેમ્બરે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ વર્ષ 2007માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા પસાર કરવામાં આવેલી એક જોગવાઈના માધ્યમથી સ્થાપિત કરવામાં આવ્યો હતો, જે સરકારોને લોકશાહીને મજબૂત કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

વર્ષ 2008માં આ પહેલી વાર ઉજવવામાં આવ્યો હતો. આ માટે વિશ્વભરમાં સેંકડો સંસદીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં ફોટો સ્પર્ધાઓ, બાળકો માટે કાર્યશાળાઓ, લાઈવ ટીવી પર ડિબેટ, રેડિયો ફોન-ઈન્સ અને નાગરિક સમાજ સંગઠનોની સાથે બેઠક કરવામાં આવી હતી.

આમાં મજબૂત લોકશાહી, 2030 એજન્ડા ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (2030 Agenda for Sustainable Development), નાગરિકોના અવાજને મજબૂત કરવો, સંવાદ અને સમાવેશી, જવાબદારી અને રાજકીય સહિષ્ણુતા માટે લોકશાહીનું મહત્ત્વ સામેલ છે.

લોકશાહીના આંતરરાષ્ટ્રીય દિવસ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવનો સંદેશ

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સરકારોથી પોતાની કોવિડ-19 પ્રતિક્રિયામાં પારદર્શકતા, ઉત્તરદાયી અને જવાબદારી હોવાનો આગ્રહ કર્યો છે અને તે સુનિશ્ચિત કર્યું છે કે, કોઈ પણ ઈમરજન્સી ઉપાય કાયદાકીય કે ગેરભેદભાવપૂર્ણ હોય.

જેવું કે વિશ્વ કોરોના વાઈરસ મહામારીનો સામનો કરી રહ્યું છે. તેવામાં લોકશાહી સૂચનાને મુક્ત પ્રવાહને સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. નિર્ણય લેવામાં ભાગીદારી અને મહામારીની પ્રતિક્રિયા માટે જવાબદારી પણ સુનિશ્ચિત કરી રહી છે. પછી પણ કેટલાક દેશોમાં ઈમરજન્સીનો ઉપયોગ કરવામાં આવે છે. લોકશાહી તેવા દેશોમાં નબળી છે, જ્યાં સંસ્થાકીય ઢાંચો નબળો છે.

લાંબા સમયથી ઉપેક્ષિત અન્યાય, શિક્ષણ સુધી અસમાન પહોંચ, પર્યાવરણીય અધોગતિથી લઈને જાતિગત ભેદભાવ અને મહિલાઓ સામે હિંસા અસામાનતાઓ લોકશાહી માટે ખતરો છે. સાર્વજનિક અધિકારીઓ પર વિશ્વાસ ન હોવો, તકની અછત, આર્થિક અને સામાજિક અશાંતિને વધારી રહી છે. તેવામાં સરકારોને ફેરફારની માગ કરનારા લોકોની વાત સાંભળવી જોઈએ અને વાતચીત માટે એક નવી ચેનલ ખોલવા અને શાંતિપૂર્ણ વિધાનસભા સંચાલનને પ્રોત્સાહન આપવું જોઈએ.

લોકતંત્રના આ આંતરરાષ્ટ્રીય દિવસ પર માનવાધિકારો પ્રત્યે પૂર્ણ સન્માનની સાથે સમાન અને સમાવેશી વિશ્વ બનાવવાનો પ્રયાસ કરવામાં આવવો જોઈએ. કોરોના સંકટના કારણે વિશ્વ સ્તર પર સામાજિક, રાજકીય અને કાયદાકીય પડકાર પેદા થયા છે. આ માટે જરૂરી છે કે, વિશ્વભરના દેશ કાયદાના શાસનને કાયમ રાખે, આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડની રક્ષા અને સન્માન કરે તેમ જ પાયાકીય સિદ્ધાંતો અને ન્યાયની યોગ્ય પ્રક્રિયા સુધી પહોંચવાની બરાબરીનો અધિકાર આપે.

વિશ્વમાં લોકશાહીને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર શું કરે છે?

યુનાઈટેડ નેશન ડેમોક્રેસી ફંડ (UNDEF) નિધિઓના મોટા ભાગનો હિસ્સો સ્થાનિક નાગરિક સમાજ સંગઠનોમાં જાય છે. UNDEF સંયુક્ત રાષ્ટ્રના પરંપરાગત કામોની સાથે વિશ્વભરમાં લોકશાહી શાસનને મજબૂત કરવા માટે વિશેષ ભૂમિકા ભજવે છે.

ભારતીય લોકશાહી

જનસંખ્યાની દ્રષ્ટિથી ભારત વિશ્વનું સૌથી મોટી લોકશાહી છે. ભારત વર્ષ 2019માં ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા કરવામાં આવેલા સરવેમાં ભારતનું 51મુ સ્થાન છે. વર્ષ 2019ની વૈશ્વિક રેન્કિંગમાં ભારતની લોકશાહી 10મા સ્થાનથી ગગડીને 51મા સ્થાન પર આવી ગઈ છે. 22 જાન્યુઆરી 2020એ પ્રકાશિત રિપોર્ટમાં આનું પ્રાથમિક કારણ દેશમાં નાગરિક સ્વતંત્રતાની અધોગતિ બતાવી છે.

આ છે વિશ્વના ટોપ 10 લોકશાહી દેશોની યાદી

  • નોર્વો
  • આઈસલેન્ડ
  • સ્વીડન
  • ન્યૂ ઝિલેન્ડ
  • ફિનલેન્ડ
  • આયર્લેન્ડ
  • ડેન્માર્ક
  • કેનેડા
  • ઓસ્ટ્રેલિયા
  • સ્વિત્ઝર્લેન્ડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.