ETV Bharat / bharat

Man-eater Tiger : હે રામ ! પત્નીની નજર સામે પતિના મૃતદેહને વાઘ ચૂંથતો રહ્યો, ઉત્તરપ્રદેશનો જીવ હચમચાવી દેતો કિસ્સો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2023, 10:35 PM IST

Man-eater Tiger
Man-eater Tiger

લખીમપુર ખેરીમાં પોતાના ખેતર તરફ જઈ રહેલા એક ખેડૂત પર વાઘે હુમલો કર્યોનો બનાવ સામે આવ્યો છે. તેથી પણ વધુ કરુણતા ત્યારે થઈ જ્યારે પત્ની તેની શોધ કરવા ગઈ ત્યારે પતિના મૃતદેહને વાઘ ખાઈ રહ્યો હતો. આ જોઈને પત્ની ગભરાઈ ગઈ. સાથે ગયેલા ગ્રામજનોએ ચિલ્લાઈને વાઘને ભગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં વાઘ પોતાના શિકારને મૂકવા તૈયાર નહોતો.

ઉત્તરપ્રદેશ : દુધવા બફર ઝોનમાં પોતાના ખેતરમાં ગયેલા એક યુવાન ખેડૂતને વાઘ ખાઈ જતા ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૃતકની શોધખોળ કરવા ગયેલી પત્ની જ્યારે ખેતરમાં પહોંચી તો વાઘ ખેડૂતના મૃતદેહ ચૂંથી રહ્યો હતો. જીવ હચમચાવી દેતું આ દ્રશ્ય જોઈ પત્ની બેહોશ થઈ ગઈ હતી. તેમની સાથે આવેલા ગ્રામજનોએ ચિલ્લાઈને વાઘને ભગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં વાઘ પોતાના શિકારને મૂકવા તૈયાર નહોતો. ઘણા પ્રયત્નો પછી વાઘ ત્યાંથી વાઘ ત્યાંથી ભાગી ગયો. આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં વહીવટીતંત્રના અધિકારી અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ મૃતદેહનો કબજો લેવા ન દેતા વન વિભાગના અધિકારીઓએ પીડિતના પરિવારને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની વાત કરી ત્યારબાદ ગ્રામજનો સંમત થયા હતા.

માનવભક્ષી વાઘનો હુમલો : દુધવા ટાઈગર રિઝર્વના બફર ઝોનમાં આવેલા મૈલાની રેન્જના ગામ બાસુકપુરમાં રહેતા રાજારામનો પુત્ર નરેન્દ્ર બુધવારે ખેતરમાં ગયો હતો. લાંબા સમય સુધી નરેન્દ્ર પરત ન આવતાં તેની પત્ની તેને શોધવા ખેતરોમાં ગઈ હતી. તેણ છતાં પતિની કોઈ ભાળ ન મળતા કંઈક અનિચ્છનીય બન્યું છે તેની ચિંતામાં પત્નીએ પરત ફરી ગ્રામજનોને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ ફરીથી બધા લોકોની સાથે મહિલા ખેતર તરફ ગઈ અને ખેતરોમાં ઘૂસી યુવકની શોધખોળ શરુ કરવામાં આવી હતી.

યુવાનને ફાડી ખાધો : આ દરમિયાન શેરડીના ખેતરમાંથી નરેન્દ્રનો અડધી ખાધેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેની નજીકમાં એક વાઘ બેઠો હતો. આ જોઈને ગ્રામજનોએ ચિલ્લાઈને વાઘને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘણો પ્રયાસ કર્યા બાદ વાઘ ખેતરમાં મૃતદેહને મૂકીને ભાગી ગયો હતો. ત્યારબાદ ગ્રામજનો દ્વારા યુવકનો મૃતદેહ બહાર લઈ જવામાં આવ્યો હતો. નરેન્દ્રના મૃત્યુથી તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. હાલ બધાની હાલત દયનીય બની ગઈ છે.

ગ્રામજનોમાં રોષ : આ અંગે માહિતી મળતાં જ ભારતીય કિસાન યુનિયન ટિકૈત જૂથના જિલ્લા અધ્યક્ષ બલકારસિંહ અને વિસ્તારના તમામ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વન વિભાગ પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જ્યારે મૈલાની ફોરેસ્ટ રેન્જના અધિકારી અને કર્મચારીઓ બપોર સુધી ઘટનાસ્થળે પહોંચ્યા નહોતા. આ દરમિયાન કુકુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઘટનાસ્થળે પહોંચ્યા અને કહ્યું કે, નરેન્દ્રના મૃતદેહને કોઈ શિયાળ ખાઈ ગયું હશે. આ વાત પર પર ત્યાં હાજર લોકો રોષે ભરાયા હતા.

ઘટનાસ્થળે હોબાળો થયો : ભારે મુશ્કેલીથી ઈન્સ્પેક્ટરે લોકોને શાંત કર્યા છતાં રોષે ભરાયેલી મહિલાઓએ હાથમાં ભાલા, દંડા અને લાકડીઓ પકડી રાખી હતી. લોકોનો રોષ જોઈને પોલીસ મૃતદેહનો કબજો લેવાની હિંમત દાખવી શકી નહોતી. આ અંગે માહિતી મળતાં જ મામલતદાર અને સીઓ દ્વારા ઘટનાસ્થળે પહોંચેલા વન વિભાગના અધિકારીને બોલતા મૈલાની રેન્જર અનિલ કુમાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મૃતકના પરિવારને આર્થિક સહાય જાહેર : અધિકારીઓની હાજરીમાં વન વિભાગ દ્વારા પીડિતના પરિવારને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી હતી. ઉપરાંત સરકાર તરફથી મૃતકના પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની લેખિત બાંહેધરી પણ આપી હતી. ત્યારબાદ ગ્રામજનો શાંત થયા અને પછી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. ઉલ્લેખનિય છે કે આ જ વિસ્તારમાં વાઘ પહેલા પણ ઘણા લોકોના જીવ લઈ ચૂક્યો છે. ડરના માહોલના કારણે ખેતીના કામને પણ અસર થઈ રહી છે. લોકો ખેતરોમાં એકલા જતા ડરે છે. લોકોમાં વન વિભાગ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

  1. ખરી ચારણ કન્યા, બહાદુર માતાએ બાળકને બચાવવા વાઘને પણ પછાડ્યો
  2. Bihar News: બેતિયામાં ઘરમાં વાઘ ઘુસ્યો, 7 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.