હોમ લોન ટ્રાન્સફર કરતા પહેલા આ વાતો જાણવી જરુરી, નહીતર થશે મોટુ નુકસાન

author img

By

Published : Mar 19, 2022, 3:32 PM IST

હોમ લોન ટ્રાન્સફર કરતા પહેલા આ વાતો જાણવી જરુરી, નહીતર થશે મોટુ નુકસાન

ઘણા લોકો ઘર ખરીદવાનું સપનું જોતા હોય (dream of owning a house) છે અને એ સપનુ પરિપૂર્ણ કરવા માટે હાઉસિંગ લોન લેવી સામાન્ય છે. જો કે, કેટલાક લોકો જેમણે પહેલેથી જ લોન લીધી છે, તેઓ વધુ વ્યાજ ચૂકવી રહ્યા છે. આવા લોકો એક કંપનીમાંથી બીજી કંપનીમાં હાઉસિંગ ((Banks and housing companies)) લોન ટ્રાન્સફર કરવાની યોજના ધરાવે છે. પરંતુ, ટ્રાન્સફર ક્યારે થવી જોઈએ? અવો પ્રશ્ન થતો હોય છે, તો આવો એક નજર કરીએ સાવચેતીના પગલાં ઉપર...

હૈદરાબાદ: હોમ લોન એ ઘર ખરીદવાનું તમારું સપનું પૂરું કરવાનો માર્ગ (dream of owning a house) છે. બેંકો અને હાઉસિંગ કંપનીઓ હવે 6.40 થી 6.60 ટકા વ્યાજે લોન આપી (Banks and housing companies) રહી છે. તે ઘણા લોકોને આકર્ષે છે. જ્યારે કેટલાક, જેમણે પહેલેથી જ લોન લીધી (Banks and housing companies are now lending loans) છે, તેઓ વ્યાજના સસ્તા દરે લોન ઉપલબ્ધ હોવા છતાં ઊંચા વ્યાજ દરો ચૂકવી રહ્યા છે. તેથી, તેઓ તેમની લોન અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Ukraine Russia invasion : રશિયા યુક્રેન યુદ્ધથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મંદીનો ખતરો, વિશ્વભરમાં વધશે મોંઘવારી

દસ્તાવેજો નવી લોનની જેમ જ સબમિટ કરવાના: હોમ લોનને એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવા પાછળનો પ્રાથમિક ધ્યેય સમાન વ્યાજ દરે નાણાં બચાવવાનો છે. બેંકો/મોર્ટગેજ કંપનીઓ ઉધાર લેનાર માટે વ્યાજ દર નક્કી કરવામાં ઘણા પરિબળો ધ્યાનમાં લે છે. ખાસ કરીને ક્રેડિટ હિસ્ટ્રી અને ક્રેડિટ સ્કોર. લોન ટ્રાન્સફર કરતી વખતે નિરીક્ષણ અને જાળવણી ફી હોય છે. દસ્તાવેજો નવી લોનની જેમ જ સબમિટ કરવાના રહેશે.

દસ્તાવેજીકરણ ખર્ચ અને અન્ય ફી: દસ્તાવેજીકરણ ખર્ચ અને અન્ય ફી છે, તે ધ્યાનમાં રાખવાની જરૂર છે. જો તમને લાગે છે કે, લોન ટ્રાન્સફરથી કોઈ મોટો ફાયદો નથી તો નિર્ણય બદલવો જોઈએ. બેલેન્સ ટ્રાન્સફર કરતી વખતે ઓવરડ્રાફ્ટ જેવી કોઈ સુવિધા છે કે કેમ તે તપાસો. નવા હોમ એકાઉન્ટ ઉપરાંત ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ પણ ખોલવું જોઈએ. લેનારાએ તેની વધારાની રકમ તેમાં જમા કરાવવી જોઈએ. જરૂર પડ્યે તેમાંથી રોકડ ઉપાડી શકાય છે. વ્યાજ દરની ગણતરી કરતી વખતે, ઓવરડ્રાફ્ટ ખાતામાં રહેલી રકમને બાદ કરતાં બાકીની રકમ પર વ્યાજ લેવામાં આવે છે. તેનાથી લાંબા ગાળે બોજ ઓછો થશે.

EMI બોજ ઘટાડવા માટે સમયમર્યાદા લંબાવી શકાય: હોમ લોન લીધાના થોડા વર્ષો પછી ટ્રાન્સફર કરવાનો કોઈ મોટો ફાયદો નથી. તેથી, શરૂઆતમાં ઉચ્ચ વ્યાજની બેંક/સંસ્થામાંથી ઓછા વ્યાજની લોન તરફ જવું જોઈએ. વ્યાજનો ભાગ લોનની શરૂઆતના સમયે વસૂલવામાં આવે છે. સમય સાથે વાસ્તવિક ભાગ ઘટતો જાય છે. જો તમે થોડા સમય પછી લોન બદલીશો.. તો તમે પહેલેથી જ ઘણું વ્યાજ ચૂકવેલુ હશે. પછી, તમારે ફરીથી વ્યાજ ચૂકવવું પડશે, તે લેનારા પર મોટો બોજ છે. ખાતરી કરો કે, હાલની લોનની મુદત અને નવી લોનની મુદત સમાન છે. ઉદાહરણ તરીકે, વર્તમાન લોનની મુદત 20 વર્ષ છે. ધારો કે, તમે પહેલેથી જ બે વર્ષ માટે ચૂકવણી કરી છે. લોન ટ્રાન્સફર કરતી વખતે બાકીના 18 વર્ષ રાખવા જોઈએ. EMI બોજ ઘટાડવા માટે સમયમર્યાદા લંબાવી શકાય છે. પરંતુ, એ ભૂલશો નહીં કે વ્યાજનો બોજ તેની સાથે સુસંગત છે.

આ પણ વાંચો: શું રેવન્યુ ગેરંટી નીતિઓ નફાકારક છે?

હોમ લોન પર ટોપ-અપ લેવાની સુવિધા: Paisabazaar.comમાં હોમ લોનના વડા રતન ચૌધરીએ જણાવ્યું હતું કે, "હાલની હોમ લોન પર ટોપ-અપ લેવાની સુવિધા (If you want a top-up ) છે. ધિરાણકર્તાઓ તે ઓફર કરે છે, જ્યારે હપ્તાઓ નિયમિતપણે ચૂકવવામાં આવે છે. આ લોન પરનો વ્યાજ દર હોમ લોન જેટલો જ છે. ક્યારેક કોઈ માની લે છે, કે તમને ખરેખર અપ લોનની જરૂર છે. જો તે મંજૂર ન થાય તો.. લોન નવી કંપનીમાં ટ્રાન્સફર કરી શકાય છે અને સિંગલ લોન તરીકે મોટી રકમ લઈ શકાય છે.”

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.