ETV Bharat / bharat

રાજસ્થાનમાં પાકિસ્તાની સ્થળાંતરકારોને રહેણાંક પ્લોટો ફાળવવાની નીતિમાં સુધારો કરાયો

author img

By

Published : Apr 25, 2021, 12:38 PM IST

Rajasthan News
Rajasthan News

રાજસ્થાન શહેરી વિકાસ અને ગૃહ વિભાગે પાકિસ્તાનથી સ્થળાંતર કરનારાઓને ભારતીય નાગરિકતા આપ્યા બાદ રહેણાંક પ્લોટો ફાળવવાની નીતિમાં સુધારો કર્યો છે. 1965થી અત્યાર સુધી પાકિસ્તાની સ્થળાંતરકારો માટે નવી નીતિ જાહેર કરવામાં આવી છે.

  • પાકિસ્તાનથી સ્થળાંતર કરનારાઓને રહેણાંક પ્લોટો ફાળવવાની નીતિમાં સુધારો કરાયો
  • ઓક્ટોબર 2018માં બનાવેલી નીતિમાં સુધારો કરાયો
  • કાયમી રહેઠાણ માટે લાંબી રાહ જોવી ન પડે તે માટે નીતિમાં કરાયો સુધારો

જયપુર: રાજસ્થાન શહેરી વિકાસ અને ગૃહ વિભાગે પાકિસ્તાનથી સ્થળાંતર કરનારાઓને ભારતીય નાગરિકત્વ આપ્યા બાદ રહેણાંક પ્લોટો ફાળવવાની નીતિમાં સુધારો કર્યો છે. ઓક્ટોબર 2018માં બનાવેલી નીતિમાં સુધારો કર્યા બાદ 1965થી ભારતમાં આવેલા પાકિસ્તાની સ્થળાંતરકારો માટે નવી નીતિ જાહેર કરવામાં આવી છે. જેથી તેમને કાયમી રહેઠાણ માટે લાંબી રાહ જોવી ન પડે.

ભારતીય નાગરિકતા મળ્યા બાદ સ્થળાંતરકારીઓ રાહત દરે રહેણાંક પ્લોટોની ફાળવણીની માગ કરે છે

પાકિસ્તાનથી વિસ્થાપિત ભારતીય પરિવારોને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સમયાંતરે ભારતીય નાગરિકતા આપવામાં આવે છે. જે બાદ વિસ્થાપિત પરિવારો શહેરી વિસ્તારોમાં ખાસ કરીને મહાનગરોમાં રાહત દરે રહેણાંક પ્લોટોની ફાળવણીની માગ કરે છે. આ વિસ્થાપિત પરિવારોને સંબંધિત શહેરી સંસ્થા / શહેર વિકાસ ટ્રસ્ટ / વિકાસ સત્તા વતી વિવિધ સ્થળોએ રહેણાંક પ્લોટોની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ આવા પ્લોટોની ફાળવણીની કાર્યવાહી માટે રાજસ્થાન રિફોર્મ ટ્રસ્ટ (શહેરી જમીન નિકાલ) નિયમો, 1974માં કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી.

આ પણ વાંચો : COVID- 19ની તેજી વચ્ચે પાકિસ્તાને ભારતનું સમર્થન કર્યું હતું : વિદેશ પ્રધાન કુરેશી

પ્લોટ ફાળવણીની અસ્પષ્ટ પ્રક્રિયાને કારણે વિસ્થાપિત પરિવારોને પણ ભટકવું પડે છે

આવી સ્થિતિમાં, પાકિસ્તાનથી આવેલા પરિવારો માટે વિવિધ શહેરી સંસ્થાઓમાંથી રહેણાંક પ્લોટોની ફાળવણી માટે વિવિધ પ્રક્રિયાઓ અને માપદંડો અપનાવવામાં આવે છે. પ્લોટ ફાળવણીની અસ્પષ્ટ પ્રક્રિયાને કારણે વિસ્થાપિત પરિવારોને પણ ભટકવું પડે છે અને કાયમી આવાસ માટે લાંબી રાહ જોવી પડે છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના રાજ્ય વિકાસ ટ્રસ્ટ અને જયપુર / જોધપુર / અજમેર વિકાસ ઓથોરિટીના ક્ષેત્રમાં રહેણાંક પ્લોટોની ફાળવણીની પ્રક્રિયા, જમીનની માપણી, ફાળવણી માટેની પાત્રતા, લીઝ રેટ વગેરે માટેની સ્પષ્ટ સૂચનાઓ આપવાની અને પ્રક્રિયાને પારદર્શક બનાવવાની વિભાગ દ્વારા પોલિસી જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આપ્યો PMના પત્રનો જવાબ

પ્લોટોની ફાળવણી માટેની સામાન્ય શરતો માટે લાગુ પાડવામાં આવી છે

આ નીતિ જાહેર કર્યા પછી વિભાગને મળેલા મેમોરેંડમમાં થોડી શિથિલતા માગવામાં આવી હતી. જેના પર વિચાર્યા કર્યા પછી અગાઉ જાહેર કરવામાં આવેલી નીતિમાં સુધારાઓ કરવામાં આવ્યા છે. આ સુધારા પ્લોટોની ફાળવણી માટેની યોગ્યતા, પ્લોટોની ફાળવણી માટેની અરજી કરવાની પ્રક્રિયા, રહેણાંક પ્લોટમાં ફાળવણી માટે જમીનની પસંદગી, રહેણાંક પ્લોટમાં ફાળવણીની પ્રક્રિયા, પ્લોટનું કદ, ભાવ, લીઝ રેટ અને પ્લોટોની ફાળવણી માટેની સામાન્ય શરતો માટે લાગુ પાડવામાં આવી છે

176 પાક વિસ્થાપિત લોકોમાંથી 100 પાકિસ્તાની વિસ્થાપિત લોકોને નવા પ્લોટ બનાવીને પ્લોટ ફાળવાશે

આ અગાઉ જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પાકિસ્તાનથી સ્થળાંતર કરનારાઓને પ્લોટ આપવા માટે નવા પ્લોટોને મંજૂરી આપવામાં આવી હતી. JDA દ્વારા મુખ્યપ્રધાનના બજેટની જાહેરાત મુજબ પાકિસ્તાન વિસ્થાપિતોને પ્લોટ પૂરા પાડવા માટે ઝોન 8માં JDAની યોજના ગોવિંદપુરામાં 100 નવા પ્લોટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભૂતકાળમાં પ્લોટોની ફાળવણીમાંથી બાકી રહેલા 176 પાક વિસ્થાપિત લોકોમાંથી 100 પાકિસ્તાની વિસ્થાપિત લોકોને નવા પ્લોટ બનાવીને પ્લોટ ફાળવવામાં આવશે. બાકીના પાક સ્થળાંતરીઓને અન્ય JDA યોજનાઓમાં પ્લોટ બનાવીને ફાળવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.