ETV Bharat / bharat

ભારતના રાજકીય દળોની આવક અધધધધ....ક્યાથી અને કેવી રીતે આવે છે ઐ પૈસો..?

author img

By

Published : Sep 1, 2021, 11:48 AM IST

bjp
ભારતના રાજકીય દળોની આવક અધધધધ....ક્યાથી અને કેવી રીતે આવે છે ઐ પૈસો..?

ભારતમાં રાજકારણ મોંઘુ થઈ ગયું છે અથવા તો દાન આપવાવાળા ખુલ્લા હાથે રાજકીય દળોને દાન આપી રહ્યા છે. રાજનૈતિક દળ ચૂંટણી પ્રચાર, ભવ્ય રેલીઓઓ માટે અને ઓફિસોના ખર્ચા કરી રહી છે. આ પાર્ટીઓને આ પૈસો મળી ક્યાથી રહ્યો છે. આ વિષે ખુદ રાજકિય પાર્ટીઓએ ચૂંટણી પંચને જાણકારી આપી છે. ઓસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સની રીપોર્ટમાં રાજનૈતિક દળોની કમાઈ અને ખર્ચાઓને લઈને જે ખુલાસા બહાર આવ્યા છે તે આશ્ચર્યચકીત કરનાારા છે. ભારત સરકારની ખેલો ઈન્ડીયા સ્કીમના બજેટના 4 ગણા રાષ્ટ્રીય દળોને મળેલી રકમ છે.

હૈદરાબાદ: રાજનૈતિક દળોને ચલાવવા માટે પૈસાની જરૂર હોય છે. આ રકમ તેમને દાન, કુપન, ઈલેક્ટ્રોરલ બોન્ડ જેવી રીતે મળે છે પણ તમે તે જાણીને હેરાન થશો કે ભારતના 7 રાષ્ટ્રીય દળોને વર્ષ 2019-20મા લગભગ 4758.208 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આ રકમ સિક્કીમ જેવા રાજ્યના બજેટથી અડધુ છે. 2019-20મા સિક્કીમનું બજેટ માત્ર 8, 655 કરોડ રૂપિયા હતું. ભારત સરકારે ખેલો ઈન્ડીયા સ્કીમ માટે વર્ષ માટે 2020-21ના બજેટમાં 890.42 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ રકમ ભાજપે જાણીતા સ્ત્રોતોમાંથી જે કમાણી કરી છે તેનાથી ઓછી છે અને કોંગ્રેસની કુલ આવક કરતા થોડી વધારે છે. 2019-20માં ભારતિય જનતા પાર્ટીને જાણીતા સ્ત્રોતમાંથી 980.65 કરોડની કમાણી થઈ હતી, જ્યારે કોંગ્રેસની આ અવધિ દરમિયાન કુલ કમાણી 682.21 કરોડ રૂપિયા હતી.

દરેક પક્ષે આપી પોતાની આવકની જાણકારી

ભારત ચૂંટણી પંચે નવેમ્બર 19, 2014એ બધા રાજકિય દળોને દર વર્ષે આવક-જાવકનો હિસાબ આપવા માટે જણાવ્યું હતું. નાણાકિય વર્ષ 2019-20ની ઓડિટ રીપોર્ટ જમાં કરવા માટે 30 જૂન 2021 અંતિમ તારીખ હતી, પણ કોરોનાને કારણે આ તારીખોમાં બદલાવ કરવામાં આવ્યો હતો. ADR અનુસાર દરેક રાજકીય દળોએ આવક-જાવકની જાણકારી આપી દીધી છે.

રાજનૈતિક દળોને મળેલા દાનના આંકડા

  • એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના મુજબ, 2004-05 થી લઈને 2019-20ની વચ્ચે બધા રાષ્ટ્રીય દળોને જાણીતા સ્ત્રોત પાસેથી કુલ મળીને 14,651.53 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
  • નાણાકિય વર્ષ 2019-20 દરમિયાન BJPને અજ્ઞાત સ્ત્રોત પાસેથી 2642.63 કરોડની આવક થઈ હતી, જે બધા રાજકિય દળોની અઘોષિત આવકના 78.24 ટકા હતી.
  • નાણાકિય વર્ષ 2019-20 દરમિયાન તમામ રાજકિય પક્ષોની અજ્ઞાત સ્ત્રોતની કુલ આવક 3377.41 કરોડ રૂપિયા હતી. દળોને 2993.826 કરોડ રૂપિયાના ઈલેક્ટ્રોરલ બોન્ડ મળ્યા હતા.
  • 20 હજારથી વધુ અઘોષિત દાનથી રાષ્ટ્રીય દળોને 1013.805 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું
  • BJP સિવાય 6 અન્ય રાષ્ટ્રીય દળોને અઘોષિત સ્ત્રોત દ્વારા 734.78 કરોડ રૂપિયાની આવક થઈ હતી. કોંગ્રેસે અજ્ઞાત સ્ત્રોત દ્વારા 526 કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા હતા
  • 2025 કોર્પોરેટ્સ દાન આપવવાળા તરફથી 2019-20 દરમિયાન રાષ્ટ્રીય દળોને 921.999 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. BJPને આમાથી 720.408 કરોડ રૂપિયા મળ્યા હતા. કોંગ્રેસને 133.074 રૂપિયાથી સંતોષ કરવો પડ્યો હતો.

રાજકીય દળ કેવી રીતે ચલાવે છે પાર્ટી

ભારતમાં રાષ્ટ્રીય દળ દાન દ્વારા સૌથી વધારે આવક મેળવે છે.આ સિવાય પાર્ટીની સંપતિ અને વ્યાજના પૈસાથી કમાણી કરે છે. 2019-20માં કુપન દ્વારા કોંગ્રેસે 192.458 કરોડ રૂપિયાનું ડોનેશન લીધું હતું. CPM એ કૂપન્સથી લગભગ 73 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય 20 હજારની રકમ પણ સીધા પક્ષકારોને નામ અને સરનામા સાથે દાન કરવામાં આવે છે. 2014 થી, ચૂંટણી બોન્ડ દ્વારા પણ દાન આપવાનો કાયદો બની ગયો છે. પક્ષોની આવકમાં બોન્ડ ઘણો ફાળો આપે છે.

આ પણ વાંચો : મથુરામાં દારૂ અને માંસનું વેચાણ નહીં થાય: યોગી આદિત્યનાથ

અજ્ઞાત ડોનરો આપે છે પાર્ટીઓને કરોડો રૂપિયા

ભાજપને કુલ 3623.28 કરોડ રૂપિયા મળ્યા, જેમાંથી 72.93 ટકા અજાણ્યા દાતાઓએ આપ્યા. કોંગ્રેસની 682.21 કરોડની આવકમાં અજાણ્યા દાતાઓ દ્વારા 77.10 ટકા દાન આપવામાં આવ્યું છે. સીપીએમને 51.27 ટકા દાન નામ અને સરનામા વગરના લોકોએ આપ્યું હતું. બેનામી દાતાઓ તૃણમૂલ કોંગ્રેસની આવકમાં 69.92 ટકા ફાળો આપે છે.

ઈલેક્ટરોલ બોન્ડ દ્રારા થતી કમાણીની તપાસ નથી કરતું ચૂંટણી પંચ

2018 માં, કેન્દ્રની ભાજપ સરકારે ચૂંટણી બોન્ડ રજૂ કર્યા હતા. ફાઇનાન્સ એક્ટ 2017 હેઠળ ઇલેક્ટોરલ બોન્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેનો અમલ કરવા માટે, જનપ્રતિનિધિત્વ અધિનિયમ (આરપી એક્ટ) ની કલમ 29C માં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. આને કારણે, ચૂંટણી બોન્ડ્સમાંથી મળેલ દાન ચૂંટણી પંચની ચકાસણીના દાયરામાંથી બહાર રહી ગયા હતા. સંસદમાં આ સંબંધિત બિલ રજૂ કરતા તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ દાવો કર્યો હતો કે તેનાથી રાજકીય ભંડોળમાં પારદર્શિતા વધશે અને સ્વચ્છ નાણાં આવશે. સામાન્ય ચૂંટણીમાં ઓછામાં ઓછા 1% મતો મેળવનાર રાજકીય પક્ષો જ ચૂંટણી બોન્ડમાંથી દાન મેળવવા માટે હકદાર છે.

પાર્ટીને બોન્ડ દ્વારા દાન કરવા પર મળેશે ટેક્સમાં છૂટ

આ બોન્ડ વર્ષમાં ચાર વખત જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરમાં આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ચૂંટણી બોન્ડ દ્વારા દાન આપે છે, તો તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. જ્યારે દાતાને આવકવેરામાં મુક્તિ મળે છે. રૂપિયા 1000, રૂપિયા 10,000, રૂપિયા 1 લાખ, રૂપિયા 10 લાખ અને રૂપિયા 1 કરોડના ગુણાંકમાં બોન્ડ જારી કરવામાં આવે છે. તેને રોકડથી ખરીદી શકાય નહીં. આ માટે બેંક ખાતામાંથી ચુકવણી કરવાની રહેશે. બોન્ડની માન્યતા 15 દિવસ છે. એટલે કે, એકવાર તમે ચૂંટણી બોન્ડ ખરીદ્યા પછી, તેને 15 દિવસમાં પાર્ટીના ફંડમાં જમા કરાવવાનું રહેશે.

આ પણ વાંચો : આખરે ખેડૂતોની આતુરતાનો અંત, સુરત જિલ્લામાં વરસ્યો વરસાદ

ઈલેક્ટોરલ બોન્ડથી BJPને ફાયદો

રાષ્ટ્રીય પક્ષોની કુલ આવકના 62 ટકા એટલે કે 2993.826 કરોડથી વધુ આવક ચૂંટણી બોન્ડમાંથી આવી છે. ભાજપે 2019-20માં ચૂંટણી બોન્ડ્સમાંથી મહત્તમ 2555 કરોડ રૂપિયાનું દાન લીધું. તેની ટીકા કરનાર કોંગ્રેસે 317 કરોડ રૂપિયાના બોન્ડ સ્વીકાર્યા. તૃણમૂલ કોંગ્રેસને પણ આના દ્વારા 100.46 કરોડનું દાન મળ્યું. 14 પ્રાદેશિક પક્ષો TRS, TDP, YSR કોંગ્રેસ, BJD, DMK, આમ આદમી પાર્ટી, JD-U, સમાજવાદી પાર્ટી, શિરોમણી અકાલી દળ, JD-S, AIDMK, રાષ્ટ્રીય જનતા દળ અને ઝારખંડ મુક્તિ મોરચાએ ચૂંટણી બોન્ડ દ્વારા 447.498 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. દાન પ્રાપ્ત થયું. એસબીઆઈના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2019-20માં રાજકીય પક્ષોએ 3429.5586 ની કિંમતના ચૂંટણી બોન્ડ્સ રિડીમ કર્યા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.