ETV Bharat / bharat

સપ્તાહના ત્રીજા દિવસે આજે Share Market ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ 555 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Oct 6, 2021, 6:21 PM IST

સપ્તાહના ત્રીજા દિવસે આજે Share Market ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ 555 પોઈન્ટ તૂટ્યો
સપ્તાહના ત્રીજા દિવસે આજે Share Market ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ 555 પોઈન્ટ તૂટ્યો

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) શેર બજાર (Share Market) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 555.15 (0.93 ટકા) તૂટીને 59,189.73ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 176.30 (0.99 ટકા)ના ઘટાડા સાથે 17,646ના સ્તર પર બંધ થયો છે.

  • સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) શેર બજારમાં (Share Market) જોવા મળી નિરાશા
  • સેન્સેક્સ (Sensex) 555.15 તો નિફ્ટી (Nifty) 176.30 પોઈન્ટ તૂટ્યો
  • ગઈકાલે (મંગળવારે) એક દિવસ ઉછાળા સાથે બંધ થયેલું શેર માર્કેટ આજે ફરી પાણીમાં બેસી ગયું

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) શેર બજારમાં (Share Market) નિરાશા હાથ લાગી છે. કારણ કે, આજે શેર બજાર ખૂબ જ નબળી રીતે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 555.15 (0.93 ટકા) તૂટીને 59,189.73ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 176.30 (0.99 ટકા)ના ઘટાડા સાથે 17,646ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- સતત બીજા દિવસે સોનાની કિંમતમાં ઘટાડો, 46,600 પ્રતિ 10 ગ્રામ થયો ભાવ

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, ટાટા કન્સ્ટ્રક્શન પ્રોડ (TATA Construction Prod) 2.48 ટકા, ઓએનજીસી (ONGC) 2.23 ટકા, યુપીએલ (UPL) 1.66 ટકા, બ્રિટેનિયા (Britannia) 1.31 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) 1.10 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers) વાત કરીએ તો, હિન્દલ્કો (Hindalco) -4.10 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) -3.64 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -3.39 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) -3.25 ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ (JSW Steel) -3.21 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- New Scrap Policy: 15 વર્ષ જૂના વાહનની રજિસ્ટ્રેશન ફીમાં વધારો, ચૂકવવા પડશે 5000 રુપિયા

વિદેશી રોકાણકારોને મળી શકે છે LICમાં રોકાણની મંજૂરી

વિદેશી રોકાણકારોને દેશની સૌથી મોટી ઈન્શ્યોરન્સ કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC)માં 20 ટકા સુધી રોકાણની મંજૂરી મળી શકે છે. એક રિપોર્ટ અનુસાર, ભારત સરકાર LICમાં વિદેશી રોકાણકારોને 20 ટકા સુધીના રોકાણની મંજૂરી આપવાની એક જોગવાઈ પર વિચાર કરી રહી છે. આ જોગવાઈને મંજૂરી મળ્યા પછી વિદેશ રોકાણકાર પણ LICના IPOમાં રોકાણ કરી શકશે, જે દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. આ જોગવાઈ અંતર્ગત, FDI નિયમોમાં સંશોધન કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી રોકાણકાર સરકારની મંજૂરી વિના ઓટોમેટિક રૂટથી સીધા જ ભાગીદારી માટે ખરીદી કરી શકે. રિપોર્ટ અનુસાર, અધિકારી બુધવારે બપોરે નવી દિલ્હીમાં બેઠક યોજી આ અંગે ચર્ચા કરશે.

સેન્સેક્સઃ -555.15

ખૂલ્યોઃ 59,942.00

બંધઃ 59,189.73

હાઈઃ 59,963.57

લોઃ 59,079.86

NSE નિફ્ટીઃ -176.30

ખૂલ્યોઃ 17,861.50

બંધઃ 17,646.00

હાઈઃ 17,884.60

લોઃ 17,613.15

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.