ETV Bharat / bharat

રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કર્યા બાદ CM સ્ટાલિને રાજ્યપાલની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા

author img

By

Published : Nov 12, 2022, 9:23 AM IST

સુપ્રીમ કોર્ટે પૂર્વ પીએમ રાજીવ ગાંધી હત્યા કેસમાં સજા કાપી રહેલા નલિની સહિત છ દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.(SC order on Rajiv case underscores ) તામિલનાડુ સરકારે શ્રીહરન અને આરપી રવિચંદ્રનની અકાળે મુક્તિને સમર્થન આપતાં કહ્યું હતું કે તેમની આજીવન કેદની સજા માફ કરવા અંગે રાજ્ય સરકારની 2018ની સલાહ રાજ્યપાલને બંધનકર્તા છે.

રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કર્યા બાદ CM સ્ટાલિને રાજ્યપાલની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યારાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કર્યા બાદ CM સ્ટાલિને રાજ્યપાલની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા
રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કર્યા બાદ CM સ્ટાલિને રાજ્યપાલની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા

ચેન્નાઈ(તમિલનાડુ): તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને શુક્રવારે કહ્યું કે રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ દર્શાવ્યું છે કે રાજ્યપાલોએ ચૂંટાયેલી સરકારોના નિર્ણયો પર રોક લગાવવી જોઈએ નહીં. (SC order on Rajiv case underscores )રાજીવ ગાંધી હત્યા કેસમાં છ દોષિતોને મુક્ત કરવાના કોર્ટના આદેશનું સ્વાગત કરતા સ્ટાલિને કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય એ વાત પર ભાર મૂકે છે કે રાજ્યપાલોએ ચૂંટાયેલી સરકારોના નિર્ણયો અને દરખાસ્તોને રોકવી ન જોઈએ.

કેન્દ્રને વિનંતી: તમિલનાડુના મુખ્ય પ્રધાન અને શાસક ડીએમકેના પ્રમુખે કોર્ટના નિર્ણયને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, તેમની પાર્ટીએ વિપક્ષમાં રહીને પણ ગુનેગારોને મુક્ત કરવાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે, ગયા વર્ષે રાજ્યમાં સત્તામાં આવ્યા પછી, તેમની સરકારે તેમને મુક્ત કરવા માટે કેન્દ્રને વિનંતી કરી હતી, તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્રો લખ્યા અને તેમને મુક્ત કરવા માટે કાયદાકીય લડતને ટેકો આપ્યો.

નિર્ણયને અટકાવી દીધો: સ્ટાલિને કહ્યું કે ગવર્નર (બનવરીલાલ પુરોહિત અને બાદમાં આર.એન. રવિ) એ દોષિતોને મુક્ત કરવાના તમિલનાડુ સરકારના નિર્ણયને અટકાવી દીધો હતો. તેમણે કહ્યું કે તેમની પાર્ટીની સરકાર દોષિતોને મુક્ત કરવા માટે રાજભવન પર સતત દબાણ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.