Ukraine Russia invasion: રશિયા ત્રીજા પરમાણુ પ્લાન્ટ તરફ આગળ વધી રહ્યું છે: ઝેલેન્સકી

author img

By

Published : Mar 6, 2022, 4:11 PM IST

Ukraine Russia invasion: રશિયા ત્રીજા પરમાણુ પ્લાન્ટ તરફ આગળ વધી રહ્યું છે: ઝેલેન્સકી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (Ukraine Russia invasion) શનિવારે યુએસના ધારાસભ્યો સાથેની વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે, રશિયન દળોએ યુક્રેનમાં 2 પરમાણુ પ્લાન્ટ કબજે (Yuzhno-Krensk nuclear power plant under threat) કર્યા છે અને તેઓ ત્રીજા પરમાણુ પ્લાન્ટ તરફ (Russia moving towards third nuclear plant) આગળ વધી રહ્યા છે.

લ્વિવ: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ શનિવારે યુએસના (Ukraine Russia invasion) ધારાસભ્યો સાથેની વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે, રશિયન દળોએ યુક્રેનમાં 2 પરમાણુ પ્લાન્ટ કબજે કર્યા (Yuzhno-Krensk nuclear power plant under threat) છે અને તેઓ ત્રીજા પરમાણુ પ્લાન્ટ તરફ આગળ વધી (Russia moving towards third nuclear plant) રહ્યા છે. ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, યુઝ્નોક્રેન્સ્ક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, જે માયકોલાઇવથી લગભગ 120 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે, જે હાલમાં જોખમમાં છે.

આ પણ વાંચો: Ukraine Russia invasion : કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી કહ્યું- "યુક્રેનમાં ફસાયેલા 1320 વિદ્યાર્થીઓને આજે બહાર કાઢવામાં આવશે"

ઝેલેન્સકીએ બિડેન સાથે વાત કરી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના ટ્વીટ અનુસાર, તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વિવિધ મુદ્દાઓ પર વાત કરી. "સુરક્ષા મુદ્દાઓ, યુક્રેન માટે નાણાકીય સહાય અને રશિયા વિરુદ્ધ પ્રતિબંધો ચાલુ રાખવા વિશે વાત કરી,"

ઝેલેન્સકીએ ક્રેડિટ કાર્ડ સુવિધા રદ કરવા માટે અપીલ કરી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુએસ સાંસદોને રશિયાના તેલ અને ગેસ ક્ષેત્ર પર પ્રતિબંધો લાદવા અને ક્રેડિટ કાર્ડ સુવિધાઓ રદ કરવાની અપીલ (Appeal to revoke the credit card facility) કરી છે. દક્ષિણ કેરોલિનામાં રિપબ્લિકન પાર્ટીના નેતા લિન્ડસે ગ્રેહામે શનિવારે અમેરિકી ધારાસભ્યો સાથેની ખાનગી વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેમણે ઊર્જા ક્ષેત્રે પ્રતિબંધોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગ્રેહામે એક વિડિયોમાં કહ્યું હતું કે, રશિયન અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડતી કોઈપણ વસ્તુ યુક્રેનના લોકો માટે મદદરૂપ થશે અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે યુદ્ધને વધુ મુશ્કેલ બનાવશે.

ઇઝરાયેલના પીએમ નફ્તાલી બેનેટે પુતિન સાથે મુલાકાત કરી

ઈઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે શનિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી, જે ઘણા કલાકો સુધી ચાલી હતી. બેનેટના કાર્યાલયે રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયમાં બંને નેતાઓ વચ્ચેની બેઠકની પુષ્ટિ કરી. થોડા દિવસો પહેલા બંને નેતાઓ વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ આ મુલાકાત થઈ હતી.

ઝેલેન્સ્કીનો દાવો

યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીએ શનિવારે દાવો કર્યો હતો કે, યુક્રેનિયન દળો દેશના મધ્ય અને દક્ષિણપૂર્વના મુખ્ય શહેરો પર નિયંત્રણ ધરાવે છે, જ્યારે રશિયન દળો ખાર્કિવ, નિકોલાયેવ, ચેર્નિહિવ અને સુમીની નાકાબંધી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઝેલેન્સકીએ કહ્યું, "અમે અતિક્રમણ કરનારાઓને નુકસાન પહોંચાડી રહ્યા છીએ, જે તેઓએ તેમના સૌથી ખરાબ સમયમાં જોયા ન હોય." યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે, યુદ્ધના 10 દિવસમાં 10,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે. જો કે, આ દાવાની સત્યતા સ્વતંત્ર રીતે ચકાસી શકાઈ નથી. રશિયા દ્વારા જાનહાનિ વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. જો કે બુધવારે રશિયાએ આ લડાઈમાં લગભગ 500 સૈનિકોના મોતનો ખુલાસો કર્યો હતો. યુક્રેનની સરકારે શનિવારે એક વીડિયો જાહેર કર્યો જેમાં એક રશિયન વિમાન આકાશમાંથી ક્રેશ થતું જોઈ શકાય છે.

પુતિને કહ્યું કે કોઈ માર્શલ લૉ નથી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે કહ્યું કે, આ સમયે એવું કંઈ નથી જે રશિયામાં માર્શલ લો લાદશે. એવી અટકળો ચાલી રહી હતી કે, રશિયામાં લશ્કરી કાયદો લાદવામાં આવી શકે છે. જે બાદ પુતિને આ નિવેદન આપ્યું છે. પુતિને કહ્યું કે, જે દેશમાં બહારી હુમલો થાય છે, ત્યાં માર્શલ લૉ લગાવવામાં આવે છે. તેમને રશિયામાં આવી કોઈ સ્થિતિ દેખાતી નથી અને આશા છે કે, આવી સ્થિતિ ઊભી ન થાય.

રશિયામાં કવરેજ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો

ઇટાલીના સરકારી ટીવી બ્રોડકાસ્ટર રાયએ રશિયામાં તેના કવરેજને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. અન્ય વિદેશી મીડિયા આઉટલેટ્સે રશિયામાં તેમની કામગીરી અસ્થાયી રૂપે રદ કર્યા પછી ઇટાલીના રાયએ પણ શનિવારે કામગીરી સ્થગિત કરી દીધી હતી. રાયે કહ્યું કે પત્રકારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું જરૂરી છે.

10 દિવસમાં લગભગ 14 લાખ લોકોએ યુક્રેન છોડી દીધું

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે જણાવ્યું હતું કે, મોસ્કો યુક્રેન પર "નો-ફ્લાઇટ ઝોન" જાહેર કરનાર તૃતીય પક્ષને "યુદ્ધમાં જોડાવા" તરીકે જોશે. યુક્રેનના અધિકારીઓએ આક્ષેપ કર્યો હતો કે, રશિયાએ યુદ્ધવિરામની વિરુદ્ધના કૃત્યમાં 2 શહેરો પર બોમ્બમારો કર્યો હતો, જેના કારણે લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. મેરીયુપોલ અને વોલ્નોવાખામાં, યુદ્ધવિરામનો અમલ ન થવાને કારણે યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસો ભાંગી પડ્યા હોય તેવું લાગે છે. આ સાથે માત્ર 10 દિવસમાં લગભગ 14 લાખ લોકોએ યુક્રેન છોડી દીધું છે.

આ પણ વાંચો: Ukraine Russia invasion : યુક્રેનના માયકોલાઈવ બંદર પર 21 ભારતીય ખલાસીઓ ફસાયા

લોકોના સ્થળાંતર કામગીરીમાં અવરોધ કરવાનો આરોપ

પુતિને યુક્રેન પર ઈવેક્યુએશન ઓપરેશનમાં અવરોધ લાવવાનો આરોપ મૂક્યો હતો અને એવો પણ દાવો કર્યો હતો કે, યુક્રેનનું નેતૃત્વ દેશના સ્વતંત્ર રાજ્યની સ્થિતિના ભાવિ પર સવાલ ઉઠાવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે શનિવારે રશિયન હુમલા બાદ યુક્રેનમાં 351 નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે. જિનીવા સ્થિત ઓફિસે જણાવ્યું હતું કે, 24 ફેબ્રુઆરીની મધ્યરાત્રિથી 707 અન્ય નાગરિકો ઘાયલ થયા છે. યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ ઑફિસે આ આંકડાઓ માટે પુષ્ટિ કરેલા અહેવાલોનો ઉપયોગ કર્યો છે. જો કે, યુક્રેનિયન અધિકારીઓએ જાનહાનિનો આંકડો વધુ હોવાનું અનુમાન કર્યું છે.

યુદ્ધ રોકવાની માંગ

યુક્રેન પર રશિયન હુમલાના વિરોધમાં સેન્ટ્રલ લંડનમાં શનિવારે સેંકડો લોકો એકઠા થયા હતા અને યુદ્ધને રોકવાની માંગ કરી હતી. યુક્રેનનો ધ્વજ લહેરાવતા વિરોધીઓએ 'સ્ટોપ પુટિન, સ્ટોપ ધ વોર'ના નારા પણ લગાવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સંચાલન બંધ કરવાની જાહેરાત

રશિયાની મુખ્ય એરલાઇન એરોફ્લોટે 8 માર્ચથી બેલારુસ સિવાયની તેની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરવાની જાહેરાત કરી છે. રશિયાની નાગરિક ઉડ્ડયન એજન્સી રોસાવિયેટ્સિયાએ તમામ રશિયન એરલાઇન્સને વિનંતી કરી છે, કે તેઓ વિદેશમાં ભાડે લીધેલા એરક્રાફ્ટ, પેસેન્જર અને કાર્ગો ફ્લાઇટ્સ વિદેશમાં સ્થગિત કરે. આ પછી રશિયાની સૌથી મોટી સરકારી એરલાઈને આ પગલું ભર્યું છે. એજન્સીએ આ ભલામણ કરી છે, તે જોખમને ટાંકીને કે પશ્ચિમી પ્રતિબંધો વિદેશી-ભાડા પર લીધેલા એરક્રાફ્ટને જપ્ત કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.