પાલીમાં માર્ગ અકસ્માત, 5 શ્રદ્ધાળુઓના મોત

author img

By

Published : Aug 15, 2022, 5:08 PM IST

પાલીમાં માર્ગ અકસ્માત, 5 શ્રદ્ધાળુઓના મૃત્યુ

રાજસ્થાનના પાલી જિલ્લામાં રવિવારે રાત્રે એક માર્ગ અકસ્માતમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ ઉપરાંત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ બાદ ઈજાગ્રસ્તોને મથુરા દાસ માથુર હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

પાલી રાજસ્થાનના પાલી જિલ્લાના રોહટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં 5 Road accident in pali 5 શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા હતા, તેમજ 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મુકુનપુરા ગામ પાસે એક ટ્રેલરે રામદેવરા પગપાળા જઈ રહેલા ભક્તોને અડફેટે લીધા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ સાથે મૃતદેહનો કબજો મેળવીને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો પુનાથી સોમનાથ જતા પરિવારને અકસ્માત નડતા 2ના મોત

5 યાત્રાળુઓના મૃત્યુ સીઓ ગ્રામીણ મંગલેશ ચુંડાવતે જણાવ્યું કે, ભીલવાડા જિલ્લાના રાયપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખેમના ગામનો રહેવાસી પપ્પુના પુત્ર હીરાલાલ ભીલ તેના સાથીઓ સાથે પગપાળા ભીલવાડાથી રામદેવરા જઈ રહ્યો હતો. આ લોકો રવિવારની મોડી રાત્રે રોહટ પોલીસ સ્ટેશન વિસ્તારના મુકનપુરા ગામની હદ પાર કરી રહ્યા હતા, ત્યારે પાછળથી આવી રહેલા એક ટ્રેલરે તેમને અડફેટે લીધા હતા. પપ્પુના પુત્ર હીરાલાલ, ગિરધારીના પુત્ર રોશનલાલ, પવનના પુત્ર લાદુ જીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પારસ પુત્ર કૈલાસ અને સુશીલા પુત્રી રતન જોધપુરમાં સારવાર દરમિયાન 5 pilgrims died in pali મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો પોતાના જમાઈએ કરેલા અકસ્માત અંગે કોંગી MLAએ આપી પ્રતિક્રિયા કહ્યું

હોસ્પિટલમાં સારવાર ચુંડાવતે કહ્યું કે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત 5 લોકોની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં સીઓ ગ્રામીણ મંગેશ ચુંડાવત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને બાંગર હોસ્પિટલ શબઘરમાં રાખ્યા હતા. તેમજ ઇજાગ્રસ્તોની સારવાર માટે મથુરા દાસ માથુર હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સાથે વાત કરીને યોગ્ય સારવાર માટે સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.