ETV Bharat / bharat

ચમોલી દુર્ઘટના: 10માં દિવસે પણ બચાવ કામગીરી ચાલુ, અત્યાર સુધી 10 મૃતદેહો મળ્યા

author img

By

Published : Feb 16, 2021, 9:56 AM IST

chamoli incident
chamoli incident

જોશીમઠ કુદરતી આફતને દસ દિવસ થયા છે પરંતુ બચાવ કામગીરી ચાલુ છે. રાહત બચાવ કામગીરીમાં સામેલ એજન્સીઓ દ્વારા અત્યાર સુધીમાં 56 મૃતદેહો મળી આવ્યા છે. તો બીજી તરફ 148 લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવાયું છે, જેની શોધ સતત ચાલુ છે.

  • ચમોલી દુર્ઘટનામાં 10માં દિવસે પણ બચાવ કામગીરી ચાલુ
  • દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 56 મૃતદેહો મળી આવ્યા
  • તો બીજી તરફ 148 લોકો હજુ પણ લાપતા

ચમોલી: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગત રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાના કરાણે ઋષિગંગા ઘાટીમાં અચાનક વિકરાળ પૂર આવ્યું હતુ. ત્યારે આ દુર્ઘટનામાં 10માં દિવસે પણ બચાવ કામગીરી ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં 10 મૃતદેહો મળી આવ્યા છે.

સૈન્ય સહિ‌ત વિવિધ એજન્સીઓનું સંયુક્ત બચાવ અને સર્ચ ઓપરેશન ચાલુ

ઉલ્લેખનીય છે કે, પોલીસે જણાવ્યું કે, ચારમાંથી ત્રણ મૃતદેહો તપોવન ટનલમાંથી મળી આવ્યા છે, જ્યાં એક અઠવાડિયાથી લાંબા સમયથી ફસાયેલા 25-35 લોકોને બહાર કાઢવા માટે સૈન્ય સહિ‌ત વિવિધ એજન્સીઓનું સંયુક્ત બચાવ અને સર્ચ ઓપરેશન કામ ચાલુ છે. અન્ય એક મૃતદેહ મૈથાણાથી મળી આવ્યો હતો. કાટમાળ અને કાદવથી ભરેલી તપોવન ટનલમાંથી હજી સુધી નવ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે રવિવારે ટનલમાંથી છ મૃતદેહો મળી આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.