ETV Bharat / bharat

મોદી સરકારની લોકવિરોધી નીતિઓ મહામારી માટે જવાબદાર: રાહુલ ગાંધી

author img

By

Published : Apr 22, 2021, 12:52 PM IST

Rahul Gandhi
Rahul Gandhi

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કોરોના સંકટને લઈને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ગુરુવારે રાહુલે ટ્વીટ કરી કર્યું હતું કે દેશમાં સંકટ માટે કેન્દ્ર સરકારની લોકવિરોધી નીતિઓ જવાબદાર છે.

  • રાહુલ ગાંધીએ કોરોના સંકટને લઈને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર
  • કોરોના મહામારી માટે મોદી સરકારની લોકવિરોધી નીતિઓ જવાબદાર
  • ખોટી ઉજવણી અને ખોટા ભાષણો નહીં, દેશને સમાધાન આપો

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઇરસની મહામારીની બીજી લહેરથી ચારેબાજુ ખળભળાટ મચી ગયો છે. કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે અને દેશભરમાંથી ભયાનક તસ્વીરો સામે આવી રહી છે.

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર પર કોરોના સંકટને લઈને પ્રહાર કર્યા છે. ગુરુવારે રાહુલે ટ્વીટ કર્યું કે કેન્દ્ર સરકારની લોકવિરોધી નીતિઓ દેશમાં સંકટનું કારણ છે.

  • घर पर क्वॉरंटीन हूँ और लगातार दुखद समाचार आ रहे हैं।

    भारत में संकट सिर्फ़ कोरोना नहीं, केंद्र सरकार की जन विरोधी नीतियाँ हैं।

    झूठे उत्सव व खोखले भाषण नहीं, देश को समाधान दो!

    — Rahul Gandhi (@RahulGandhi) April 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાહુલ ગાંધીનું ટ્વીટ

તેણે લખ્યું કે, 'હું ઘરે કોરેન્ટાઇન છું અને સત્તત દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ભારતમાં સંકટ માત્ર કોરોના નથી, પરંતુ કેન્દ્ર સરકારની લોકવિરોધી નીતિઓ છે. ખોટી ઉજવણી અને ખોટા ભાષણો નહીં, દેશને સમાધાન આપો! '

રાહુલ ગાંધી હાલ કોરેન્ટાઇન

ઉલ્લેખનિય છે કે, રાહુલ ગાંધી હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત છે. તેમણે મંગળવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે હળવા લક્ષણો બતાતા તેમણે રીપોર્ટ કરાવી લીધો છે અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.