ETV Bharat / bharat

પંજાબ કેબિનેટ વિસ્તરણની આજે જાહેરાત થવાની સંભાવના

author img

By

Published : Sep 25, 2021, 1:21 PM IST

પંજાબ કેબિનેટ વિસ્તરણની આજે જાહેરાત થવાની સંભાવના
પંજાબ કેબિનેટ વિસ્તરણની આજે જાહેરાત થવાની સંભાવના

ગુજરાત પછી પંજાબના રાજકારણમાં ભૂંકપ આવ્યો છે. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે એકાએક રાજીનામુ આપી દેતા રાજનૈતિક કોરીડોરમાં હલચલ મચી હતી. હાલમાં પંજાબના નવા મુખ્યપ્રધાન ચરણજીત ચન્નીને બનાવવામાં આવ્યા છે જેમની કેબિનેટની આજે જાહેરાત કરવામાં આવશે.

  • રાહુલ ગાંધીએ પંજાબ કેબિનેટને મળી મંજૂરી
  • બંન્ને છાવણીને સંતોષવાનો કરવામાં આવ્યો પ્રયાસ
  • આજે બપોરે કેબિનેટની થશે જાહેરાત

ચંદીગઢ : રાહુલ ગાંધીએ પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત ચન્નીની કેબિનેટની અંતિમ યાદીને લીલી ઝંડી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રહ્મ મોહિન્દ્રા, રાણા ગુરજીત, મનપ્રીત બાદલ, ત્રિપટ રાજિન્દર બાજવા, સુખબિંદર સિંહ સરકારિયા, અરુણા ચૌધરી, રઝિયા સુલ્તાના, ડો રાજકુમાર વેરકા, ભારત ભૂષણ આશુ, વિજય ઈન્દર સિંગલા, ગુરકીરત કોટલી, રાજા વરીંગ, સંગત સિંહ ગિલજિયન, કાકા રણદીપ સિંહ, પરગટ સિંહ, કુલજીત સિંહ નાગરા વગેરેના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે.

સત્તાવાર કેબીનેટની જાહેરાત આજે થશે

કેપ્ટન અમરિંદર સિંહ કેબિનેટમાં, ચન્નીએ બલબીર સિદ્ધુ, રાણા ગુરમીત સોઢી, ગુરપ્રીત સિંહ કાંગાર, સાધુ સિંહ ધરમસોટ અને સુંદર શામ અરોરાને બહારનો રસ્તો બતાવ્યો છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે બપોર બાદ કેબિનેટમાં સામેલ થનારાઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જેઓ કેપ્ટનની છાવણીના પ્રધાનમંડળમાં જોડાઈ શકે છે તેઓ બ્રહ્મ મહિન્દ્રા, ભારત ભૂષણ આશુ, વિજય ઈન્દ્ર સિંઘલા જેવા ખાસ નામો હશે.

આ પણ વાંચો : ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ, મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

કેપ્ટનના લોકોને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો

સાથે જ બહારનો રસ્તો બતાવવાની વાત છે. તેમાંના મોટાભાગના કેપ્ટન કેમ્પના છે, જેમાં શ્યામ સુંદર અરોરા, સાધુ સિંહ ધરમસોટ, રાણા ગુરમીત સોઢી, બલબીર સિંહ સિદ્ધુ અને ગુરપ્રીત કાંગરનો સમાવેશ થાય છે, જે તમામ કેપ્ટન કેમ્પમાંથી માનવામાં આવે છે.

કોણ થશે સામેલ કેબિનેટમાં

કેપ્ટનની નજીકના જેઓ કેબિનેટમાં સ્થાન મેળવવામાં સફળ થઈ શકે છે, જેઓ પરત ફરી શકે છે તે છે મનપ્રીત બાદલ, ત્રિપટ રાજિન્દર સિંહ બાજવા, સુખબિંદર સિંહ સુખસરકરિયા, રઝિયા સુલ્તાના, ભારત ભૂષણ આશુ, વિજય ઈન્દર સિંગલા, કાકા રણદીપ સિંહ અને કાકા. રણદીપ સિંહને કેપ્ટન અમરિંદર સિંહની નજીક માનવામાં આવે છે.

આ પણ વાંચો : તમે જે તેલનો ઉપયોગ ભોજનમાં કરો છો એ ભેળસેળવાળું તો નથી ને? આ 2 રીતથી કરો ચકાસણી

બંન્ને છાવણીને સંતોષ કરવાનો પ્રયાસ

પંજાબના સ્ત્રોતો પાસેથી પ્રાપ્ત નામોની યાદી જોવામાં આવે તો આમાં હાઈકમાન્ડે બંને છાવણીઓને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે હાઈકમાન્ડ પણ જાણે છે કે જો કેપ્ટનની છાવણી સાથે સંતુલન ત્રાટક્યું નથી તો આવનારી ચૂંટણીમાં તેમના માટે ભારે પડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.