ETV Bharat / bharat

Tickets to Women in UP Elections : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મહિલાઓને 50 ટકા ટિકીટ આપશે

author img

By

Published : Jan 10, 2022, 2:27 PM IST

Updated : Jan 10, 2022, 2:56 PM IST

50 Percent Tickets to Women in UP Elections : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું
50 Percent Tickets to Women in UP Elections : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Congress General Secretary Priyanka Gandhi Vadra) આગામી વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Elections 2022 ) મહિલાઓને 50 ટકા ટિકિટ (50 percent tickets to women in UP elections) આપશે . ETV ભારતના સંવાદદાતા નિયામિકા સિંહનો અહેવાલ વાંચો.

નવી દિલ્હીઃ કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓને 50 ટકા ટિકિટ (50 percent tickets to women in UP elections) આપશે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ(Congress General Secretary Priyanka Gandhi Vadra) શનિવારે 'લડકી હૂં લડ શકતી હૂં' ના વર્ચ્યુઅલ અભિયાનને સંબોધિત કરતી વખતે આ બાબત કહી હતી.

કોંગ્રેસના 'લડકી હૂં લડ શકતી હૂં' અભિયાનનો વચ્ચૂઅલ પ્રારંભ

ચૂંટણી દરમિયાન ટિકિટની વહેંચણી માટે મહિલા ઉમેદવારોને 50 ટકા અનામત આપવાની ઇચ્છા વ્યક્ત કરતાં Priyanka Gandhi Vadra એ કહ્યું કે 40 ટકા તેમના માટે "પર્યાપ્ત નથી". તેમની પાર્ટી ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Elections 2022 ) આ નિયમનું પાલન કરશે. કોંગ્રેસ મહાસચિવે ફેસબુક લાઈવ દ્વારા ઉત્તર પ્રદેશમાં વર્ચ્યુઅલ પ્રચારની શરૂઆત કરી. આ દરમિયાન તેમણે કહ્યું, 'કોંગ્રેસે કોવિડને કારણે તેમની રેલીઓ રદ કરી છે. મેં નક્કી કર્યું કે આપણે ફેસબુક લાઈવ દ્વારા વાત કરીશું. હું તમારી સાથે સતત જોડાવા અને અનૌપચારિક રીતે વાત કરવાનો પ્રયત્ન કરીશ.

સ્ત્રી અધિકારો માટે લડતની અપીલ કરી

Priyanka Gandhi Vadra એ લાઈવ સંવાદમાં કહ્યું, 'તેઓ (મહિલાઓ) કેવી રીતે રોજગાર, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા મેળવી રહી છે તે મહત્વનું છે, અમે અમારા શક્તિ વિધાનમાં મહિલાઓ માટે ઘણું લખ્યું છે કે આપણે તેમના માટે શું કરવું જોઈએ. બીજું એ છે કે આપણે કેવી રીતે સશક્ત થઈશું? આપણને સહન કરવાની ટેવ પાડવાનું કહેવામાં આવે છે. એ વાત સાચી છે કે આપણે સ્ત્રીઓમાં સહન કરવાની શક્તિ હોય છે, પરંતુ સ્ત્રીઓએ પોતાની શક્તિને ઓળખવી પડશે, સ્ત્રીઓએ તેમના અધિકારો માટે લડવું પડશે.

યુપીની મહિલાઓના વ્યક્તિગત ઉદાહરણો જણાવ્યાં

વર્ચ્યુઅલ અભિયાનમાં સામેલ લોકોને સંબોધિત કરતી વખતે પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi Vadra ) કહ્યું કે ઉન્નાવ પીડિતાનો કેસ ત્યાં નોંધવામાં આવ્યો નથી. તેનો કેસ રાયબરેલીમાં નોંધવામાં આવ્યો હતો. તે પોતે રાયબરેલી જવા માટે ટ્રેનમાં જતી હતી. તેની ભાભી તેને મદદ કરતી હતી. મહિલાઓ અન્યાય સામે તમામ લડાઈ લડી રહી છે. અત્યાચાર સામે લડતી પીડિતાઓમાંથી પ્રેરણા લઈને આ સૂત્ર બહાર આવ્યું છે કે 'લડકી હૂં લડ શકતી હૂં'. કોંગ્રેસમાં સામેલ થયેલા પૂર્વ સપા નેતા રિતુ સિંહનું ઉદાહરણ આપતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'જ્યારે લખીમપુરમાં તેમની સાડી ખેંચાઈ હતી. તે મારી પાર્ટીમાં નહોતી, સપામાં હતી. હવે તે ચૂંટણી લડી રહી છે અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી તેની સાથે છે. આપણે આમ કરવું પડશે જેથી મહિલાઓ રાજકારણમાં નિર્ભયતાથી આવે.

મહિલા સ્વાસ્થ્ય માટે વચનો આપ્યાં

Priyanka Gandhi Vadra એ કહ્યું કે સ્વાસ્થ્યના મામલામાં યુપી સૌથી નીચે છે. અહીં મહિલાઓના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્થિતિ વધુ ખરાબ છે. અમે રાજ્યમાં ડોક્ટરોની તમામ ખાલી જગ્યાઓ ભરીશું. દરેક પરિવારને એક લાખ સુધીની મફત સારવાર આપવામાં આવશે. દરેક આરોગ્ય કેન્દ્રમાં મહિલાઓ માટે અલગ ડોક્ટર હશે. અમે સમગ્ર રાજ્યમાં માનસિક સ્વાસ્થ્ય માટે એક સિસ્ટમ બનાવવા માંગીએ છીએ, જેથી અન્ય સમસ્યાઓની સાથે યુવાનો અને મહિલાઓ સહિત તમામ લોકોના માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે. તેમજ દરેક આરોગ્ય કેન્દ્રમાં મહિલાઓ માટે અલગ-અલગ ડોકટરો હશે.

આ પણ વાંચોઃ Assembly elections 2022: પ્રિયંકા ગાંધી પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પુત્રને મળ્યા

દાદી ઇન્દિરાને યાદ કર્યાં

Priyanka Gandhi Vadra એ કહ્યું, 'મારી દાદી ઈન્દિરા ગાંધીજી પણ મારી પ્રેરણા છે. હું તેમનાથી પણ પ્રભાવિત છું, જ્યારે પથ્થરમારો થયો ત્યારે ઈન્દિરા ગાંધી સભામાં ભાષણ આપી રહ્યાં હતાં. એક પથ્થર આવ્યો અને તેમના નાક પર વાગ્યો. ખાસ વાત એ છે કે તેઓ પાછા ન હટ્યાં, ફરી ઉભા થયાં. ભાષણ પૂરું કર્યું. ઇન્દિરા ગાંધી હિંમતનું ઉદાહરણ હતાં. તેણે હંમેશા સાચો નિર્ણય લીધો. તે આયર્ન લેડી હતાં. તેમનામાં ધૈર્ય, નિર્ભયતા, શૌર્ય હતું. તે મહિલા સશક્તિકરણનું પણ ઉદાહરણ છે.

ભાજપનો પડકાર આ રીતે ઝીલાશે

જેની સૌથી મોટી તાકાત કથિત રીતે નફરત છે ભાજપના પડકારનો તે કેવી રીતે સામનો કરશે તે પૂછવા પર પ્રિયંકાએ (Congress General Secretary Priyanka Gandhi Vadra) કહ્યું કે, "નકારાત્મકતાનો સામનો માત્ર હકારાત્મકતાથી જ કરી શકાય છે." તેમણે કહ્યું કે 'નફરત અને હિંસાની રાજનીતિ એટલા માટે કરવામાં આવે છે કે તેમને સવાલ ન પૂછવામાં આવે અને લોકો આમાં ફસાઈ જાય છે. પરંતુ ઉકેલ એ છે કે સકારાત્મકતા અને પ્રેમ સાથે યોગ્ય વિકાસ તરફ આગળ વધવું.'

આ પણ વાંચોઃ Ayodhya Land Dispute : પ્રિયંકા ગાંધીએ લગાવ્યો કૌભાંડનો આરોપ

Last Updated :Jan 10, 2022, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.