ETV Bharat / bharat

અર્બન નક્સલોએ દેશને ખેદાન-મેદાન કરવાનું બીડું ઉઠાવ્યું : વડાપ્રધાન

author img

By

Published : Oct 10, 2022, 7:05 AM IST

Updated : Oct 10, 2022, 1:32 PM IST

વડાપ્રધાન મોદી આજે આ મહત્વના લોકાર્પણ અને ખાત મૂહર્ત કરશે તેના વિશે
વડાપ્રધાન મોદી આજે આ મહત્વના લોકાર્પણ અને ખાત મૂહર્ત કરશે તેના વિશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9થી 11 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાતે (PM Modi To Three Day Gujarat Visit) આવ્યા છે. રાજ્યમાં વડાપ્રધાન કુલ રૂપિયા 14,500 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે(PM will inaugurate works worth 14 500 crores). PM મોદીએ ભરૂચમાં 8000 કરોડથી વધુ વિવિધ યોજાનાઓનું ઉદ્ધાટન કર્યું છે.(PM Modi Second day program in Gujarat).

ન્યુઝ ડેસ્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) લઇને તારીખ 09 થી 11 ઑક્ટોબર એમ ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે છે(PM Modi To Three Day Gujarat Visit). PM મોદી આજે 10 ઓકટોબરે ભરૂચ, અમદાવાદ અને જામનગરની મુલાકાતે લેશે. સવારે 11 કલાકે વડાપ્રધાન ભરૂચના આમોદ ખાતે વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઉદ્ઘાટન કરશે. બપોરે લગભગ 3:15 વાગ્યે વડાપ્રધાન અમદાવાદમાં મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, સાંજે 5:30 વાગ્યે, વડાપ્રધાન જામનગર ખાતે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે(PM Modi Second day program in Gujarat).

નક્સલોએ વિકાસ અટકવવાના પ્રયત્નો કર્યા હતા વડાપ્રધાને જણાવ્યું કે, અર્બન નક્સલોએ દેશને ખેદાન-મેદાન કરવાનું બીડું ઉઠાવ્યું છે, વિદેશી તાકતોના એજન્ટ બનીને ઉઠાવ્યું છે. એની સામે ગુજરાત માથું નહી નમાવે, તેમને જમીનદોસ્ત કરીને રહેશે." દિવાળીમાં વોકલ ફોર લોકલ દ્વારા ગરીબોના જીવનમાં ચમકારો લાવવા માટેની પણ અપિલ કરવામાં આવી છે. કાળીમજૂરી કરીને ગુજરાતની જનતાના સાથ-સહયોગથી આજે આપણે અહીં પહોંચ્યા છીએ. હવે, ઊચોં કુદકો મારવા માટે બધું તૈયાર છે. જેમ આઝાદીના 75 વર્ષ પર અમૃતકાળની શરૂઆત થઈ છે તેમ ગુજરાતના જુવાનિયાઓ માટે આ સ્વર્ણિમ કાળની શરૂઆત છે.

વિદેશમાં પણ ઓળખાશે ભરુચ આવનારા સમયમાં ભરૂચ-અંકલેશ્વર પણ અમદાવાદ-ગાંધીનગરની જેમ ટ્વીન સિટીના રૂપમાં વિક્સિત થઇ રહ્યું છે. લોકો ન્યૂયોર્ક- ન્યૂજર્સીની જેમ મારા ભરૂચ-અંકલેશ્વરની પણ વાતો કરશે. નક્સલવાદી માનસિકતાવાળા લોકોએ પહેલાં સરદાર સરોવર ડેમને રોકવા ભરપૂર કોશિષ કરી હતી. હવે અર્બન નક્સલો વાઘા બદલીને નવા રંગરૂપ સાથે પ્રવેશવાની કોશિષ કરી રહ્યા છે, ગુજરાતમાં નક્સલવાદ ઘૂસી ન શક્યો તે માટે મારા આદિવાસી ભાઇ-બહેનોનો આભાર માનું છું.

ગુજરાતે કોરોનામાં લાખો લોકોના જીવ બચાવ્યા ગુજરાતમાં બનેલી દવાઓ અને વેક્સિને લાખો લોકોના જીવન બચાવ્યા છે. દેશના ફાર્મા સેક્ટરમાં ગુજરાતની 25 ટકા હિસ્સેદારી છે. તમે મને સેવા કરવાની તક આપી છે. અમે એક-એક સમસ્યાને પકડતા ગયા, તાણાવાણા ઉકેલતા ગયા, રસ્તા શોધતા ગયા અને સ્થિતિ બદલતા ગયા. વિકાસ માટે નીતિ અને નિયત બંને સારી હોવી જોઇએ. નીતિ ગમે તેટલી સારી હોય તો નિયત ખરાબ હોય તો બધુ ખાડે જાય છે. આજે કાયદો વ્યવસ્થાના કારણે ભરૂચની જનતા સુખ-શાંતિથી જીવી રહી છે.

અંકલેશ્વરમાં એરપોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો એક રાજ્યમાં જેટલાં ઉદ્યોગો હોય તેના કરતા વધારે ઉદ્યોગો આપણાં ભરૂચમાં છે. ભરૂચ વડોદરા-સુરત એરપોર્ટ પર નિર્ભર રહી ન શકે, ભરૂચનું પોતાનું એરપોર્ટ હોવું જોઇએ. જેથી આજે અંકલેશ્વરમાં એરપોર્ટ બનાવવાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ ગુજરાતની વિકાસયાત્રાની ઉંચાઇ છે. ગુજરાતે આજે એટલી બધી પ્રગતિ કરી છે કે, રાજ્યના અનેક જિલ્લા કોસ્મોપોલિટન બની ગયા છે. આખા દેશને પોતાની સાથે પ્રેમથી સમાવેશ કરી સાથે રાખતા થઇ ગયા છે. ગુજરાત અને દેશની પ્રગતિમાં ભરૂચનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ છે. એક જમાનામાં ભરૂચ માત્રને માત્ર ખારી સિંગ માટે ઓળખાતું હતું, આજે તેનો ઉદ્યોગ-ધંધા, વેપારમાં જયજયકાર થઇ રહ્યો છે.

સંબોધનમાં મુલાયમ સિંહને યાદ કર્યા વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું કે, 'આજે સવારે હું અહીં આવી રહ્યો હતો ત્યારે મને એક દુઃખદ સમાચાર મળ્યા હતા. મુલાયમ સિંહ યાદવનું આજે નિધન થયું છે. મુલાયમ સિંહ યાદવજીનું નિધન દેશ માટે મોટી ખોટ છે'. PM મોદીએ યાદ કર્યું કે કેવી રીતે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે 2019માં સંસદમાં તેમના ભાષણમાં 2019ની લોકસભા ચૂંટણી પછી તેમને ફરીથી વડા પ્રધાન તરીકે જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મુલાયમ સિંહ યાદવજી સાથે ખાસ સંબંધ હતો. જ્યારે ભાજપે તેમને 2014માં પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે વડાપ્રધાને તમામ વિપક્ષી નેતાઓ સાથે વાત કરી હતી. તેમણે તેમની સલાહ પ્રમાણે મને તેમના આશીર્વાદ આપ્યા જે આજે પણ તેમની સાથે છે. વડાપ્રધાને ભરૂચમાં રૂપિયા 8000 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે.

ભરુચની કિસ્મત બદલાની ગુજરાત અને દેશની પ્રગતિમાં ભરૂચનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ છે. એક જમાનામાં ભરૂચ માત્રને માત્ર ખારી સિંગ માટે ઓળખાતું હતું, આજે તેનો ઉદ્યોગ-ધંધા, વેપારમાં જયજયકાર થઈ રહ્યો છે. નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકારમાં એરપોર્ટનું કામ પણ તેજ ગતિમાં પૂર્ણ થશે અને વિકાસ પણ તેજ બનશે. એક રાજ્યમાં જેટલાં ઉદ્યોગો હોય તેના કરતા વધારે ઉદ્યોગો આપણાં ભરૂચમાં છે. મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે હવે ઔદ્યોગિક વિકાસની સાથે ભરૂચ પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઘર બનશે. આ એરપોર્ટ ગુજરાતમાંથી નિકાસ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે

ભરૂચમાં PM મોદી ભેટ આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચના આમોદમાં રૂપિયા 8,000 કરોડથી વધુના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના બીજા એક પગલામાં, વડાપ્રધાન જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે. 2021-22માં, કુલ ફાર્માસ્યુટિકલ આયાતમાં બલ્ક દવાઓનો હિસ્સો 60 ટકા હતો. આ પ્રોજેક્ટ આયાત અવેજી સુનિશ્ચિત કરવામાં અને ભારતને બલ્ક ડ્રગ્સ માટે આત્મનિર્ભર બનાવવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. વડાપ્રધાન દહેજ ખાતે ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે, જે ઔદ્યોગિક વસાહતોમાંથી ટ્રીટેડ ગંદા પાણીના નિકાલમાં મદદ કરશે. અન્ય પ્રોજેક્ટ કે જેના શિલાન્યાસ કરવામાં આવશે તેમાં અંકલેશ્વર એરપોર્ટનો ફેઝ 1 અને અંકલેશ્વર અને પાનોલી ખાતે મલ્ટિલેવલ ઈન્ડસ્ટ્રીયલ શેડનો વિકાસ સામેલ છે, જે MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપશે.

  • પગલું એક
    ફાયદા અનેક

    આજે જામનગર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi ₹176 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.#BJP4Gujarat pic.twitter.com/RchboKYmyN

    — BJP Gujarat (@BJP4Gujarat) October 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઔદ્યોગિક ઉદ્યોનાના વિકાસ માટે PM મોદી કરશે ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહુવિધ ઔદ્યોગિક ઉદ્યાનોના વિકાસ માટે ભૂમિપૂજન કરશે. જેમાં વાલિયા (ભરૂચ), અમીરગઢ (બનાસકાંઠા), ચકલીયા (દાહોદ) અને વનારમાં (છોટા ઉદેપુર) 4 આદિવાસી ઔદ્યોગિક ઉદ્યાનોનો સમાવેશ થાય છે. મુડેથા (બનાસકાંઠા) ખાતે એગ્રો ફૂડ પાર્ક, કાકવાડી દાંતી (વલસાડ) ખાતે સી ફૂડ પાર્ક, અને ખાંડીવાવ (મહિસાગર) ખાતે MSME પાર્કનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે આજે 10 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક સંકુલ છે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને સર્વગ્રાહી વિકાસ માટે સુવિધાઓ પ્રદાન કરવામાં મદદ કરશે.

જામનગરમાં PM મોદી પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે વડાપ્રધાન મોદી જામનગરમાં રૂપિયા 1460 કરોડથી વધુના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ સિંચાઈ, વીજળી, પાણી પુરવઠા અને શહેરી માળખાકીય સુવિધાઓ સાથે સંબંધિત છે.

સૌની યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર અવતરણ સિંચાઈ (SAUNI) યોજના લિંક 3 (અંડ ડેમથી સોનમતી ડેમ સુધી), સૌની યોજના લિંકનું 1 (અંડ-1 ડેમથી સાની ડેમ સુધી) પેકેજ 5 અને હરીપર 40 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટનું પેકેજ 7 સમર્પિત કરશે.

અનેક વિકાસના કામો વડાપ્રધાન મોદી દ્વારા જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે તેમાં કાલાવડ/જામનગર તાલુકાની કાલાવડ જૂથ વર્ધન પાણી પુરવઠા યોજના, મોરબી-માળીયા-જોડિયા જૂથ વર્ધન પાણી પુરવઠા યોજના, લાલપુર બાયપાસ જંકશન ફ્લાયઓવર બ્રિજ, હાપા માર્કેટ યાર્ડ રેલ્વે ક્રોસિંગ અને નવીનીકરણનો, ગટર સંગ્રહ પાઇપલાઇન અને પમ્પિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે.

PM મોદી 11 ઓકટોબરે અમદાવાદ અને ઉજ્જૈન જશે વડાપ્રધાન 11 ઑક્ટોબરે,બપોરે 2:15 વાગ્યે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અસારવામાં પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે, ત્યારબાદ તેઓ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરની યાત્રા કરશે, જ્યાં તેઓ લગભગ 5.45 PM વાગ્યે દર્શન અને પૂજા કરશે. આ પછી સાંજે લગભગ 6:30 વાગ્યે શ્રી મહાકાલ લોક અર્પણ કરવામાં આવશે, ત્યારબાદ ઉજ્જૈનમાં 7:15 PM પર જાહેર કાર્યક્રમ યોજાશે.

PM મોદી સિવિલ હોસ્પિટલમાં નવી સુવિધાઓનો શિલાન્યાસ કરશે : 11મી ઑક્ટોબરના રોજ વડાપ્રધાન મોદીઅમદાવાદની સિવિલ હોસ્પિટલની સારવામાં લગભગ રૂિયા 1300 કરોડની વિવિધ આરોગ્યસંભાળ સુવિધાઓનું, આમાં કાર્ડિયાક કેર માટે નવી અને સુધારેલી સુવિધાઓનું સમર્પણ અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં નવી હોસ્ટેલ બિલ્ડિંગ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરની નવી હોસ્પિટલ બિલ્ડીંગ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું નવું બિલ્ડીંગનો સમાવેશ થાય છે. વડાપ્રધાન ગરીબ દર્દીઓના પરિવારોને રહેવા માટે આશ્રય ગૃહનો શિલાન્યાસ પણ કરશે.

નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહુવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે. જેમાં પાટણથી ગોઝારિયા સુધી NH-68ના એક સેક્શનને ફોર લેનિંગ, મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ચાલાસણ ગામમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, દૂધસાગર ડેરી ખાતે નવો ઓટોમેટેડ મિલ્ક પાવડર પ્લાન્ટ અને UHT મિલ્ક કાર્ટન પ્લાન્ટ, મહેસાણા જનરલ હોસ્પિટલનો પુનઃવિકાસ અને પુનઃનિર્માણ અને મહેસાણા અને ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓ માટે રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS)નો સમાવેશ થાય છે.

રાષ્ટ્રને સમર્પિત કરાયેલ પ્રોજેક્ટો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરાયેલા પ્રોજેક્ટ્સમાં અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટના સાબરમતી-જગુદણ સેગમેન્ટના ગેજ કન્વર્ઝન, ONGCનો નંદાસન જીઓલોજિકલ ઓઈલ ઉત્પાદન પ્રોજેક્ટ, ખેરવાથી શિંગોડા તળાવ સુધી સુજલામ સુફલામ કેનાલ, ધરોઈ ડેમ આધારિત વડનગર ખેરાલુ અને ધરોઈ જૂથ સુધારણા યોજના, બેચરાજી મોઢેરા-ચાણસ્મા રાજ્ય ધોરીમાર્ગના એક વિભાગને ચાર માર્ગીય બનાવવાનો પ્રોજેક્ટ, ઊંઝા-દાસજ ઉપેરા લાડોલના (ભાંખર એપ્રોચ રોડ) એક વિભાગને વિસ્તૃત કરવાનો પ્રોજેક્ટ, પ્રાદેશિક તાલીમ કેન્દ્રની નવી ઇમારત, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) મહેસાણા અને મોઢેરા ખાતે સૂર્ય મંદિર ખાતે પ્રોજેક્શન મેપિંગ અને અન્યોનો સમાવેશ થાય છે.

પાવર પ્લાન્ટ અને સોડા પ્લાન્ટને PM મોદીએ સમર્પિત કર્યો આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી ઘણા પ્રોજેક્ટ્સનું સમર્પિત કર્યું હતું, જે રસાયણ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. તેઓ દહેજ ખાતે 130 મેગાવોટના સહઉત્પાદન પાવર પ્લાન્ટ સાથે સંકલિત 800 TPD કોસ્ટિક સોડા પ્લાન્ટને સમર્પિત કર્યું. આ સાથે તેઓ દહેજ ખાતેના હાલના કોસ્ટિક સોડા પ્લાન્ટનું વિસ્તરણ પણ સમર્પિત કર્યું, જેની ક્ષમતા 785 MT/દિવસથી વધારીને 1310 MT/દિવસ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી 0હેજ ખાતે વાર્ષિક એક લાખ મેટ્રિક ટન ક્લોરોમેથેન્સના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ પણ સમર્પિત કર્યું. અન્ય પ્રોજેક્ટ સમર્પિત કરવામાં આવશે તેમાં દહેજ ખાતે હાઈડ્રાઈઝિન હાઈડ્રેટ પ્લાન્ટનો સમાવેશ થાય છે જે ઉત્પાદનના આયાત અવેજીમાં મદદ કરશે. IOCL દહેજ-કોયાલી પાઈપલાઈન પ્રોજેક્ટ, ભરૂચ ભૂગર્ભ ગટર અને STP કાર્ય અને ઉમલ્લા આસા પાનેથા રોડને પહોળો અને મજબૂત કરવામાં મદદ કરશે.

PM મોદી શ્રી મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કર્યું. મહાકાલ લોક પ્રોજેક્ટનો પહેલો તબક્કો વિશ્વસ્તરીય આધુનિક સુવિધાઓ પૂરી પાડીને મંદિરની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓના અનુભવને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. પ્રોજેક્ટનો હેતુ સમગ્ર વિસ્તારની ભીડ ઘટાડવાનો છે અને હેરિટેજ સ્ટ્રક્ચર્સના સંરક્ષણ અને પુનઃસંગ્રહ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રોજેક્ટ હેઠળ, મંદિર પરિસરનું લગભગ સાત ગણું વિસ્તરણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે 850 કરોડ રૂપિયા છે. મંદિરની હાલની ફૂટફોલ, જે હાલમાં વાર્ષિક આશરે 1.5 કરોડ છે, તે બમણી થવાની અપેક્ષા છે. પ્રોજેક્ટના વિકાસનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું છે.

ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મહાકાલ પથમાં 108 સ્તંભો છે. જે ભગવાન શિવના આનંદ તાંડવ સ્વરૂપને (નૃત્ય સ્વરૂપ)દર્શાવે છે. ભગવાન શિવના જીવનને દર્શાવતી ઘણા ધાર્મિક શિલ્પો મહાકાલ પથ પર સ્થાપિત છે. પથની બાજુમાં આવેલી ભીંતચિત્ર શિવ પુરાણની વાર્તાઓ પર આધારિત છે જેમ કે સૃષ્ટિનો અધિનિયમ, ગણેશનો જન્મ, સતી અને દક્ષની વાર્તા. પ્લાઝા વિસ્તાર, જે 2.5 હેક્ટરમાં ફેલાયેલો છે, તે કમળના તળાવથી ઘેરાયેલો છે અને તેમાં ફુવારાઓ સાથે શિવની પ્રતિમા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સર્વેલન્સ કેમેરાની મદદથી ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સમગ્ર પરિસરનું 24x7 મોનિટરિંગ કરવામાં આવશે.

Last Updated :Oct 10, 2022, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.