ETV Bharat / bharat

ખેડૂતોના આંદોલનમાં દલિતોને જોડવાની તૈયારી શરૂ

author img

By

Published : Apr 3, 2021, 1:46 PM IST

Updated : Apr 3, 2021, 3:06 PM IST

ખેડૂતોના આંદોલનમાં દલિતોને જોડવાની તૈયારી શરૂ
ખેડૂતોના આંદોલનમાં દલિતોને જોડવાની તૈયારી શરૂ

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ભારતીય કિસાન યુનિયને ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં આંદોલનને તેજ કરવા માટે હવે દલિતોને પણ આંદોલનની સાથે જોડવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ અંતર્ગત ભારતીય કિસાન યુનિયને શનિવારે શાહાબાદમાં દલિત અને ખેડૂત મહાપંચાયત બોલાવી છે.

  • ભારતીય કિસાન યુનિયને શનિવારે શાહાબાદમાં ખેડૂત મહાપંચાયત બોલાવી
  • ખેડૂત નેતાઓ ખેડૂતોના આંદોલનમાં જોડાવવા દલિતોને આપી રહ્યા છે આમંત્રણ
  • સંયુક્ત કિસાન મોરચાના આહ્વાન પર આંદોલનને ચાલુ રાખવા યોજના બનાવાઈ

આ પણ વાંચોઃ અમદાવાદમાં ચાલુ પ્રેસ કોન્ફ્રરન્સમાં ખેડૂત નેતાઓની અટકાયત

કુરુક્ષેત્રઃ હરિયાણામાં આ મહાપંચાયતમાં વધુમાં વધુ લોકો બોલાવવા માટે ગામમાં પ્રચાર અભિયાન ચલાવવામાં આવશે. ખેડૂત નેતા ગામોમાં દલિતો પાસે પહોંચી અને તેમને પણ મહાપંચાયતમાં આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે. આ મહાપંચાયતમાં ભાકિયુ નેતા ગુરનામસિંહ ચઢૂની અને અખિલ ભારતીય પરિસંઘના અધ્યક્ષ ડો. ઉદિતરાજ ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ચલાવવામાં આવતા આંદોલનને તેજ કરવા માટે ફરજ પાડી શકે છે.

આ પણ વાંચોઃ સંયુક્ત કિસાન મોરચાએ સરકારે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતો પરિપત્ર જાહેર કર્યો

ચાર મહિનાથી ચાલી રહ્યું છે ખેડૂતોનું આંદોલન

ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 4 મહિનાથી પણ વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચાના આહ્વાન પર આંદોલનને ચાલુ રાખવા માટે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. આ માટે જિલ્લા મુખ્યાલયોથી બ્લોક સ્તર સુધી પ્રદર્શન, દરેક ટોલ ફ્રી કરવું અને સમાજના દરેક વર્ગોના સમર્થન માટે આવા પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Last Updated :Apr 3, 2021, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.