ETV Bharat / bharat

FM Nirmala Sitharaman: સામાજિક સુરક્ષા યોજનાઓ આર્થિક જોખમોથી વંચિતોને રક્ષણ આપે છે

author img

By

Published : May 9, 2023, 6:20 PM IST

FM Nirmala Sitharaman: સામાજિક સુરક્ષા યોજનાઓ આર્થિક જોખમોથી વંચિતોને રક્ષણ આપે છે
FM Nirmala Sitharaman: સામાજિક સુરક્ષા યોજનાઓ આર્થિક જોખમોથી વંચિતોને રક્ષણ આપે છે

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના , પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજનાને સામાજિક સુરક્ષા યોજનાઓ તરીકે ગણાવતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, આ યોજનાઓ વંચિતોને નાણાકીય જોખમોથી રક્ષણ આપે છે.

નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું હતું કે, કેન્દ્રની સામાજિક સુરક્ષા યોજનાઓનો હેતુ ખાસ કરીને વંચિતોને આવશ્યક નાણાકીય સેવાઓ પ્રદાન કરવાનો છે. તેમણે કહ્યું કે PMJJBY અને PMSBY સહિતની ત્રણ સામાજિક સુરક્ષા યોજનાઓ વંચિતોને જોખમ, નુકસાન અને નાણાકીય અનિશ્ચિતતાથી રક્ષણ આપે છે. ત્રણ સામાજિક સુરક્ષા યોજનાઓ–પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના તારીખ 9 મે, 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી.

જોખમોનો સામનો કરવાની ક્ષમતા: આ ત્રણેય યોજનાઓ નાગરિકોના ભલા માટે છે, જે અણધારી ઘટનાઓ અને નાણાકીય અનિશ્ચિતતાઓના કિસ્સામાં સુરક્ષા પૂરી પાડે છે. જન સુરક્ષા યોજનાની 8મી વર્ષગાંઠ પર નાણાપ્રધાનએ કહ્યું કે આ યોજનાઓનો ઉદ્દેશ્ય એવા વંચિતોને આવશ્યક નાણાકીય સેવાઓ પૂરી પાડવાનો છે, જેમની પાસે જોખમોનો સામનો કરવાની ક્ષમતા ઓછી છે.

નાણાપ્રધાનએ શું કહ્યું: નાણાપ્રધાનએ કહ્યું કે આ યોજનાઓ તેમની પહોંચ વધારવા માટે લક્ષિત અભિગમ દ્વારા લાગુ કરવામાં આવી રહી છે. અમારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, અમારી સરકાર આ સામાજિક સુરક્ષા યોજનાઓના લાભો સમગ્ર દેશમાં દરેક પાત્ર વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે સમર્પિત છે. આ પ્રસંગે નાણા રાજ્યપ્રધાન ભગવત કરાડે જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં આ યોજનાઓમાં લોકોને સામેલ કરવા માટે દરેક ગ્રામ પંચાયતોમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો

Manipur Violence: બિહારના 142 વિદ્યાર્થીઓ મણિપુરથી પટના એરપોર્ટ પહોંચ્યા, CM નીતિશ કુમાર અને તેજસ્વી યાદવનો માન્યો આભાર

Uttar Pradesh News: ઘર બનાવવા માટે ખોદકામ કર્યું, 400 વર્ષ જૂની શિવશક્તિની પ્રતિમા મળી

Imran khan Arrested: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ

લોકોને લાભ મળ્યો: ત્રણેય યોજનાઓના આંકડા ટાંકતા સીતારમને કહ્યું કે 26 એપ્રિલ, 2023 સુધીમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 16.2 કરોડ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 34.2 કરોડ અને અટલ પેન્શન યોજના હેઠળ 5.2 કરોડ નોંધણી કરવામાં આવી છે. PMJJBY અંગે, નાણામંત્રીએ કહ્યું કે તેણે 6.64 લાખ પરિવારોને નોંધપાત્ર સહાય પૂરી પાડી છે. તેમને કુલ 13,290 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે. તેમણે માહિતી આપી હતી કે PMSBY હેઠળ 1.15 લાખથી વધુ પરિવારોને 2,302 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.