ETV Bharat / bharat

PM Man ki Baat : મન કી બાતમાં PMનું સંબોધન - વોકલ ફોર લોકલના સંકલ્પ સાથે હોળી મનાવવા અપીલ

author img

By

Published : Feb 26, 2023, 12:31 PM IST

Updated : Feb 26, 2023, 1:19 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. તેમણે આગામી હોળીના તહેવારને વોકલ ફોર લોકલ સાથે મનાવવા અપીલ કરી હતી. સાથે જ ભારતીય સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરવા પર ભાર મૂક્યો હતો.

PM
PM

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા રેડિયો પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશવાલીઓને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીના રેડિયો કાર્યક્રમનો આ 98મો એપિસોડ છે. આગામી હોળી તહેવાર નિમિત્તે તેમણે વોકલ ફોર લોકલના સંકલ્પ સાથે મનાવવા અપીલ કરી હતી. ઉપરાંત ભારતની પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું.

જનભાગીદારીની અભિવ્યક્તિ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે તમે બધાએ 'મન કી બાત' ને જનભાગીદારીની અભિવ્યક્તિ માટે એક અદ્ભુત પ્લેટફોર્મ બનાવ્યું છે. તમે તમારા મનની શક્તિ જાણો છો. તેવી જ રીતે સમાજની શક્તિ સાથે દેશની શક્તિ વધે છે. મને તે દિવસ યાદ હજી છે જ્યારે 'મન કી બાત'માં અમે ભારતની પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. તેની સાથે જ દેશમાં ભારતીય રમતોમાં જોડાવા, માણવા અને શીખવાની લહેર ઉભી થઈ હતી. મન કી બાતમાં ભારતીય રમકડાંની ચર્ચા થઈ ત્યારે દેશના લોકોએ તેનો દિલથી પ્રચાર કર્યો. હવે ભારતીય રમકડાંનો એટલો ક્રેઝ વધી ગયો છે કે વિદેશોમાં પણ તેની માંગ વધી રહી છે.

આ પણ વાંચો: Veer Savarkar Death Anniversary : આજે પ્રખર હિંદુ વિચારકની પુણ્યતિથિ છે, ચાલો જાણીએ વિગતવાર

વોકલ ફોર લોકલ સાથે હોળીની ઉજવણી: વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણે દેશની મહેનતની જેટલી વાત કરીએ છીએ, તેટલી જ વધુ ઉર્જા મળે છે. આ ઉર્જા પ્રવાહ સાથે આગળ વધીને આજે આપણે 'મન કી બાત'ના 98મા એપિસોડ સુધી પહોંચી ગયા છીએ. હોળીનો તહેવાર આજથી થોડા જ દિવસો બાકી છે. આપણે આપણા તહેવારો સ્થાનિક માટે વોકલ ફોર લોકલના સંકલ્પ સાથે ઉજવવાના છે.

વેસ્ટ ટુ વેલ્થ: વડાપ્રધાને કહ્યું કે, આપણા દેશમાં સ્વચ્છ ભારત અભિયાનમાં જનભાગીદારીનો અર્થ બદલાઈ ગયો છે. વેસ્ટ ટુ વેલ્થ એ આ અભિયાન એ તેનો મહત્વનો ભાગ છે. ઓડિશાના કેન્દ્રપારા જિલ્લાની અંદર એક બહેન કમલા મોહરાના સ્વ-સહાય જૂથ ચલાવે છે. મહિલાઓ દૂધની થેલીઓ અને અન્ય પ્લાસ્ટિકના પેકિંગમાંથી ટોપલી અને મોબાઈલ સ્ટેન્ડ જેવી ઘણી ચીજો બનાવે છે. સ્વચ્છતાની સાથે હવે આ અભિયાન તેમના માટે આવકનો સારો સ્ત્રોત પણ બની રહ્યો છે. આપણે સૌએ પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડની થેલીઓ ઉપયોગમાં લેવાનો સંકલ્પ લેવો જોઈએ.

આ પણ વાંચો: Delhi excise policy case: મનીષ સિસોદીયાની CBIએ કરી પૂછપરછ, આતિશીનો મોટો આક્ષેપ

યુવાનોને ભૂતકાળ સાથે જોડાવાની જરૂર: વડાપ્રધાને કહ્યું કે અમેરિકામાં રહેતા શ્રી કંચન બેનર્જીએ વારસાની જાળવણી સંબંધિત આવા જ એક અભિયાન તરફ મારું ધ્યાન દોર્યું છે. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના બાંસબેરિયામાં આ મહિને ત્રિબેણી કુંભો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આઠ લાખથી વધુ ભક્તોએ ભાગ લીધો હતો. પરંતુ ખાસ વાત એ છે કે આ પ્રથા 700 વર્ષ પછી પુનઃજીવિત થઈ છે. આજે આપણે માત્ર એક પરંપરાને જીવંત રાખી રહ્યા છીએ. સાથે જ ભારતીય સાંસ્કૃતિક વારસાનું પણ રક્ષણ કરી રહ્યા છીએ. આપણા યુવાનોને દેશના સુવર્ણ ભૂતકાળ સાથે જોડવાનો આ એક પ્રશંસનીય પ્રયાસ છે. ભારતમાં એવા ઘણા રિવાજો છે જેને પુનર્જીવિત કરવાની જરૂર છે.

Last Updated :Feb 26, 2023, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.