ETV Bharat / bharat

PM Modi Security Breach Inquiry: ગૃહ મંત્રાલયે બનાવી તપાસ સમિતિ

author img

By

Published : Jan 7, 2022, 8:14 AM IST

PM Modi Security Breach Inquiry: ગૃહ મંત્રાલયે બનાવી તપાસ સમિતિ
PM Modi Security Breach Inquiry: ગૃહ મંત્રાલયે બનાવી તપાસ સમિતિ

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકની તપાસ (PM Modi Security Breach Inquiry) માટે ગૃહ મંત્રાલયે (Home Ministry makes Inquiry Committee) ત્રણ સભ્યોની તપાસ સમિતિ (MHA three member panel) બનાવી છે. સમિતિને ટૂંક જ સમયમાં રિપોર્ટ સોંપવાનું કહેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર યાત્રા (Narendra Modi Ferozepur visit) દરમિયાન સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો હતો. પંજાબ સરકારે પણ ઘટનાની તપાસ માટે બુધવારે એક સમિતિ બનાવી હતી.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકની તપાસ કરવા માટે ગૃહ મંત્રાલયે હવે એક તપાસ સમિતિ (Home Ministry makes Inquiry Committee) બનાવી છે. ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સમિતિ પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવાના કારણોની (Narendra Modi Ferozepur visit) તપાસ કરશે. ગૃહ મંત્રાલયની સમિતિ ઘટનાના એક દિવસ પછી બનાવવામાં આવી છે. કેટલાક પ્રદર્શનકારીઓએ રસ્તો રોકીને ઊભા હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો 20 મિનિટ ફ્લાયઓવર પર ફસાયેલો રહ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાને પંજાબની પોતાની યાત્રાથી પરત ફરવું (PM Modi Security Breach) પડ્યું હતું.

ગૃહ મંત્રાલયે બનાવી સમિતિ

ગૃહ મંત્રાલયની ત્રણ સભ્યોની સમિતિનું (Home Ministry makes Inquiry Committee) નેતૃત્વ સુરક્ષા સચિવ સુધીર કુમાર સક્સેના (Security Secretary Sudhir Kumar Saxena) કરશે. સક્સેના કેબિનેટ સચિવાલયમાં પોસ્ટેડ છે. આ ઉપરાંત આ સમિતિમાં ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)ના સંયુક્ત ડિરેક્ટર બલબીર સિંહ (IB Joint Director Balbir Singh) અને સ્પેશિયલ પ્રોટેક્શન ગૃપ (SPG)ના મહાનિરીક્ષક (IG) એસ. સુરેશ (SPG IG S Suresh) પણ સામેલ હશે.

પંજાબ સરકાર પાસે માગ્યો રિપોર્ટ, સમિતિ બનાવાઈ
પંજાબ સરકાર પાસે માગ્યો રિપોર્ટ, સમિતિ બનાવાઈ

પંજાબના ફિરોઝપુરની યાત્રા દરમિયાન વડાપ્રધાનની સુરક્ષામાં થઈ હતી ચૂક

ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, 5 જાન્યુઆરી 2022ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબના ફિરોઝપુરની યાત્રા (Narendra Modi Ferozepur visit) દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂકની (PM Modi Security Breach) તપાસ માટે એક સમિતિ બનાવવામાં આવી છે. ફિરોઝપુરમાં વડાપ્રધાનની સુરક્ષામાં ચૂકની ઘટના પર ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, આ ઘટનાથી એ છતું થયું છે કે, VVIP ગંભીર સુરક્ષા જોખમનો (VVIP exposure to grave security risk) સામનો કરી રહ્યા છે.

પંજાબ સરકાર પાસે માગ્યો રિપોર્ટ, સમિતિ બનાવાઈ

કેન્દ્રિય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને તાત્કાલિક અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો કે, તેમણે જરૂરી તહેનાતીની ખાતરી કરી નથી. જ્યારે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah on PM Modi Security Breach) કહ્યું હતું કે, વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે. પંજાબના મુખ્યપ્રધાન ચરણજિતસિંહ ચન્નીએ (Punjab CM Charanjit Singh Channi on PM Modi Security) આ ઘટના પાછળ સુરક્ષામાં કોઈ ખામી અથવા રાજકીય ઉદ્દેશ હોવાનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, તેમની સરકાર તપાસ કરવા તૈયાર છે.

વડાપ્રધાને પંજાબ એરપોર્ટ પર અધિકારીઓને કહ્યું હતું કે, હું જીવતો પરત ફરી શક્યો એટલે તમારા CMને થેન્ક્સ કહેજો

આપને જણાવી દઈએ કે, 5 જાન્યુઆરીએ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ રદ થયો હતો. ગૃહ મંત્રાલયે આને વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક (PM Security breach) ગણાવી હતી. બઠિંડા એરપોર્ટ પરત ફરવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ અધિકારીઓને કહ્યું હતું કે, પોતાના મુખ્યપ્રધાનને થેન્ક્સ કહેજો કે, હું જીવતો પરત ફરી શક્યો. વડાપ્રધાનનું આ નિવેદન સમાચાર એજન્સી ANIમાં આવ્યું હતું.

આ પણ વાંચો- PM Security Breach: રાષ્ટ્રપતિને મળ્યાં પીએમ મોદી, જણાવી ભટીંડાની પૂરી ઘટના

સ્મૃતિ ઈરાનીએ પંજાબ સરકાર પર કર્યા પ્રહાર

ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિરોઝપુર પ્રવાસ (Narendra Modi Ferozepur visit) પર કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, પંજાબમાં કોંગ્રેસના લોહિયાળ ઈરાદા નિષ્ફળ ગયા છે. કોંગ્રેસ પાર્ટીમાં જેઓ મોદીને નફરત કરે છે તેઓ આજે વડાપ્રધાનની સુરક્ષાનો ભંગ કેવી રીતે કરવો તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દિલ્હી ભાજપ હેડ ક્વાર્ટર ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈરાનીએ પંજાબની કોંગ્રેસ સરકારને પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે સુરક્ષા કર્મચારીઓએ મુખ્યપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈ વાતચીત કેમ ન થઈ.

આ પણ વાંચો- PM Security Breach: વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ખામી મામલે ભાજપના નેતાઓ વિરોધમાં શરૂ કરશે દેશવ્યાપી અભિયાન

વડાપ્રધાનની સુરક્ષામમાં કોઈ ચૂક નહતી થઈઃ ચન્ની

પંજાબના મુખ્યપ્રધાન ચરણજિતસિંહ ચન્નીએ (Punjab CM Charanjit Singh Channi on PM Modi Security) વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ચૂક મામલે સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનની સુરક્ષાને કોઈ જોખમ નહતું અને કોઈ પ્રકારની ચૂક નથી થઈ. તો પંજાબ કોંગ્રેસના નેતા સુનિલ જાખડે (Punjab Congress leader Sunil Jakhar) કહ્યું હતું કે, વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન જે પણ થયું તે પંજાબિયત વિરુદ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.