ETV Bharat / bharat

દેશમાં PFI ઉપર ED અને NIA દરોડા, કેરળના ગવર્નરે કાર્યવાહીની કરી પ્રશંસા

author img

By

Published : Sep 24, 2022, 5:38 PM IST

દેશમાં PFI ઉપર ED અને NIA દરોડા, કેરળના ગવર્નરે કાર્યવાહીની કરી પ્રશંસા
દેશમાં PFI ઉપર ED અને NIA દરોડા, કેરળના ગવર્નરે કાર્યવાહીની કરી પ્રશંસા

લાંબા સમયથી શંંકાના દાયરામાં PFI અંતે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની(PFI member arrested from Kerala ) અડફેટે ચડી ગયું. એનઆઈએએ ૧૩ રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ આર્ફે ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા પાડીને 100 કરતાં વધારે લોકોને પકડીને જેલમાં ધકેલી દીધા છે. આ મામલે કેરળના ગવર્નરે ED અને NIAની કાર્યવાહીની કરી પ્રશંસા કરી છે. તથા તેમને સ્પષ્ટતા કરી હતી કે તેઓ "PFI" સામે પગલાં લેવામાં રાજ્યપાલ તરીકેની તેમની જવાબદારી નિભાવશે.(PFI member sent to judicial custody )

લખનૌ(યુપી): EDના વિશેષ પ્રભારી ન્યાયાધીશ પ્રફુલ કુમારે ધરપકડ કરાયેલ PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા)ના સભ્ય શફીક પાયથને 6ઠ્ઠી ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.(PFI member arrested from Kerala ) EDએ તેની કેરળના કોઝિકોડથી ધરપકડ કરી હતી. તેને EDની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરીને તેના જ્યુડિશિયલ રિમાન્ડ મેળવ્યા હતા.(PFI member sent to judicial custody)

100 કરતાં વધારે લોકોને પકડીને જેલમાં ધકેલી દીધા: લાંબા સમયથી શંંકાના દાયરામાં PFI અંતે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અડફેટે ચડી ગયું. એનઆઈએએ ૧૩ રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ આર્ફે ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા પાડીને 100 કરતાં વધારે લોકોને પકડીને જેલમાં ધકેલી દીધા છે.

મુન્નાર વિલા પ્રોજેક્ટ: આ મામલો હાથરસની ઘટના દ્વારા સામાજિક માહોલ બગાડવા માટે વિદેશમાંથી ફંડ મેળવવાનો છે. આરોપી પર PFI માટે દોહાથી ફંડનું સંચાલન કરવાનો આરોપ છે. PFIએ કેરળમાં મુન્નાર વિલા પ્રોજેક્ટ સ્થાપ્યો હતો. આ પ્રોજેક્ટ માટે ગલ્ફ દેશોમાંથી પૈસા આવ્યા હતા. આ પૈસાનો ઉપયોગ હિંસા ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો.

હિજાબ પર પ્રતિબંધ: શરૂઆતમાં કર્ણાટકના ઉડુપીમાં હિજાબનો વિવાદ થયેલો હતો. મુસ્લિમ છોકરીઓ શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરીને આવે તેના કારણે સંસ્થાઓના નિયમોનો ભંગ થતો હોવાથી કર્ણાટક સરકારે હિજાબ પર પ્રતિબંધ મૂકેલો. આ મુદ્દે કર્ણાટકમા હિંસા ભડકી ઉઠી હતી. કર્ણાટક સરકારે કરેલી તપાસમાં બહાર આવેલું કે, આ હિંસા PFIના કાર્યકરોએ જુલાઈમાં પટણા પોલીસે ફૂલવારી ભડકાવી હતી.

નેટવર્ક દેશનાં ઘણાં રાજ્યોમાં ફેલાયેલું : તપાસમાં પીએફઆઈનું નેટવર્ક દેશનાં ઘણાં રાજ્યોમાં ફેલાયેલું હોવાનું બહાર આવતાં NIAએ તૈયારીઓ શરૂ કરી દીધેલી હતી. અંતે ગુરૂવારે ઉત્તરપ્રદેશ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, આસામ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, પુડુચેરી અને રાજસ્થાનમાં દરોડા પાડી દીધા હતા. ઇડીએ આ કેસમાં અગાઉ પીએફઆઇના સભ્યો કેએ રઉફ શરીફ, અતિકુર રહેમાન, મસૂદ અહેમદ, સિદ્દીકી કપ્પન, અશરફ કાદિર, અબ્દુલ રઝાક પડિયાક્કલ અને મોહમ્મદ આલમની ધરપકડ કરી હતી. આ તમામ સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.

અથિયા ‘લવ જિહાદ’ કેસ: કેરળ સહિતનાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં હિંદુ,ખ્રિસ્તીઓને ભરમાવીને મુસ્લિમ બનાવવાની સુવ્યવસ્થિત કામગીરી કેટલાક આતંકવાદી સંગઠનો ચલાવે છે. આ સંગઠનો સાથે સંકળાયેલા મુસ્લિમ છોકરા હિંદુ અને ખ્રિસ્તી છોકરીઓને પ્રેમમાં પાડીને પછી તેમનું ધર્માંતરણ કરાવે છે, ને પછી છોકરીઓનો આતંકવાદ માટે ઉપયોગ કરે છે. આ વાત એનઆઈએએ બહુ ગાજેલા અથિયા ‘લવ જિહાદ’ કેસમાં સુપ્રીમ કોર્ટને આપેલા રીપોર્ટમાં કરી હતી. કોચીની અખિલાના પિતા કે.એમ. અશોકન ભારતીય લશ્કરમાં હતા.

ગોંધીને પરાણે મુસ્લિમ બનાવીને નિકાહ પઢાવાયા: અખિલા ફિઝિયોથેરાપીનું ભણતી ત્યા મેટ્રોમોનિયલ સાઈટ દ્વારા ઓગસ્ટ ૨૦૧૬માં શરીન સાથે પરિચય થયો હતો. શફીન અખિલાને મળ્યો પછી અચાનક અખિલા ગાયબ થઈ ગઈન હતી. અખિલાના પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરતાં ખબર પડી કે, અખિલા હાદિયા બનીને શફીન સાથે કોલ્લમ જિલ્લામાં રહે છે. અખિલાએ પોતાને ગોંધીને પરાણે મુસ્લિમ બનાવીને નિકાહ પઢાવાયા છે તેવું કહ્યું હતું. પોલીસે ‘લવ જિહાદ'નો મામલો હોવાનો રીપોર્ટ આપેલો હતો. શફીન પીએફઆઈનો સભ્ય હતો, તેની સામે ગંભીર ગુના નોંધાયેલા છે તેવું બહાર આવ્યું હતું.

હાઈકોર્ટે નિકાહ રદબાતલ ઠેરવેલાં: અખિલાને ફસાવીને નિકાહ પઢવા મજબૂર કરાઈ, તેનું ધર્માંતરણ કરાવી હાદિયા બનાવી શફીન સાથે નિકાહ કરાવાયા હતો. તેના આધારે હાઈકોર્ટે ‘લવ જિહાદ'ની વાત સ્વીકારીને અખિલા-શફીનનાં નિકાહ રદબાતલ ઠેરવેલાં હતા. અખિલાએ પિતાને ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે અખિલાને તેનાં મા-બાપ પાસે મોકલી દેવા ફરમાન કરેલું પણ સલામતી ખાતર અખિલાને કોચીની હોસ્ટેલમાં મોકલી આપી હતી.

દેશવ્યાપી કાર્યવાહીની પ્રશંસા: પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સામે દેશવ્યાપી કાર્યવાહીની પ્રશંસા કરતા, કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે તેઓ "PFI" સામે પગલાં લેવામાં રાજ્યપાલ તરીકેની તેમની જવાબદારી નિભાવશે.

PFI કેરળમાં ખૂબ જ સક્રિય છે: તેમણે દાવો કર્યો હતો કે તાજેતરના ભૂતકાળ સુધી સંગઠન સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે આગળ કહ્યું હતુ કે, 'હું ગવર્નર તરીકે મારી જવાબદારીઓ નિભાવીશ. તેઓ (PFI) કેરળમાં ખૂબ જ સક્રિય છે. તેમણે કહ્યું કે સંગઠનના સભ્યોએ કેરળમાં એક પ્રોફેસરનો હાથ કાપી નાખ્યો હતો.' ખાન રાષ્ટ્રીય રાજધાનીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રકાશિત 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ' (વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન) પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.