ETV Bharat / bharat

Drone in Ferozepur Border: પંજાબના ફિરોઝપુર બોર્ડર પર પાકિસ્તાનનું મેડ ઇન ચાઇના ડ્રોન જોવા મળ્યું, સર્ચ ઓપરેશન ચાલુ

author img

By

Published : Dec 18, 2021, 1:15 PM IST

Drone in Ferozepur Border: પંજાબના ફિરોઝપુર બોર્ડર પર પાકિસ્તાનનું મેડ ઇન ચાઇના ડ્રોન જોવા મળ્યું, સર્ચ ઓપરેશન ચાલુ છે
Drone in Ferozepur Border: પંજાબના ફિરોઝપુર બોર્ડર પર પાકિસ્તાનનું મેડ ઇન ચાઇના ડ્રોન જોવા મળ્યું, સર્ચ ઓપરેશન ચાલુ છે

પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બહાર આવી રહ્યું નથી. કાશ્મીરથી લઈને પંજાબ સુધી, પડોશી દેશ પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં અશાંતિ ફેલાવવાના સતત પ્રયાસોમાં લાગેલું છે. ફરી એકવાર પાકિસ્તાને ભારત પર નજર રાખવા માટે ફિરોઝપુરમાં ડ્રોન(Pakistan Made in China Drone in Ferozepur Border) ઘુસાડ્યું છે. જો કે, BSF જવાનોએ સમયસર ડ્રોનનો કબજો મેળવીને વિસ્તારમાં સર્ચ ઓપરેશન(Ferozepur Border Search Operations) શરૂ કર્યું હતું.

ફિરોઝપુરઃ પંજાબના ફિરોઝપુર બોર્ડર(Ferozepur Border in Punjab) વિસ્તારમાં નીચી ઉંચાઈ પર ઉડતા હેક્સાકોપ્ટરને(ડ્રોન) શુક્રવારે રાત્રે BSFના જવાનોએ પકડી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ડ્રોન મેડ ઇન ચાઇના છે. મેડ ઈન ચાઈના ડ્રોન પાકિસ્તાન(Pakistan Made in China Drone in Ferozepur Border) તરફથી ભારતીય સીમામાં પ્રવેશ્યું છે. BSF અધિકારીએ જણાવ્યું કે BSFના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન(Ferozepur Border Search Operations) શરૂ કરી દીધું છે.

ફિરોઝપુરમાં ઘણા ડ્રોન જોવા મળ્યા

આ ઉપરાંત પહેલા પણ ફિરોઝપુરમાં ઘણા ડ્રોન(Drone at Ferozepur border) જોવા મળ્યા છે. જેને લઈને વિસ્તારના લોકો હંમેશા ગભરાટમાં રહે છે. ત્યારે BSFના જવાનો હંમેશા દેશ અને નાગરિકોની સુરક્ષામાં લાગેલા છે. પરંતુ પાકિસ્તાન તેના નાપાક હરકતોથી બચતું નથી.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ આતંકવાદ અંગેનો લેટેસ્ટ રિપોર્ટ શું કહે છે, જાણો...

ભારતીય ઉપખંડમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન, ISIS અને અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનો(Terrorist Organization in the Indian Subcontinent) સક્રિય છે. ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર, પૂર્વોત્તર ભારત અને મધ્ય ભારત ઉગ્રવાદી-આતંકવાદી પ્રવૃત્તિઓથી પ્રભાવિત વિસ્તારો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા આતંકવાદ પરના તાજેતરના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

ભારત સરકારે આતંકવાદી સંગઠનો શોધવા પ્રયાસો કર્યા પરંતુ ખતરો

ગુરુવારે બહાર પાડવામાં આવેલા '2020 કન્ટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિઝમ' શીર્ષક હેઠળના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે તેની સરહદોની અંદર મોટા આતંકવાદી સંગઠનોની(Terrorists in India Active) હાજરી શોધવા અને તેને રોકવા માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા છે પરંતુ ખતરો હજુ પણ છે.

ભારતમાં આતંકવાદી સક્રિય

દર વર્ષે પ્રકાશિત થતા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, "2020માં આતંકવાદે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ, પૂર્વોત્તર ભારત અને મધ્ય ભારતમાં માઓવાદી પ્રભાવિત વિસ્તારોને અસર કરી હતી. લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન, ISIS અને અલ કાયદા સહિત ભારતીય ઉપખંડના મુખ્ય આતંકવાદી જૂથો ભારતમાં સક્રિય છે.

ભારતીય સુરક્ષા એજન્સીઓ આતંકવાદીને રોકવામાં અસરકારક

આ ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓ(Indian Security Agency) આતંકવાદી જોખમોને રોકવામાં અસરકારક છે પરંતુ આંતર-એજન્સી ગુપ્ત માહિતી અને માહિતીના આદાનપ્રદાનમાં અંતર રહે છે. આ ઉપરાંત "ભારતીય સુરક્ષા દળો પેટ્રોલિંગ કરવા અને વ્યાપક દરિયાઈ અને જમીની સરહદોને સુરક્ષિત રાખવાની મર્યાદિત ક્ષમતા દર્શાવે છે.

આ પણ વાંચોઃ Jammu and Kashmir border: જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદે BSFએ પાકિસ્તાની ઘૂસણખોરને કર્યો ઠાર

આ પણ વાંચોઃ પાકની નાપાક હરકત,ભારતની બોર્ડર પર ફરી ડ્રોન દેખાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.