ETV Bharat / bharat

Republic day Parade expense : 5 વર્ષમાં રિપબ્લિક ડે પરેડ અને બીટિંગ રિટ્રીટ પર કેટલા કરોડ ખર્ચાયા જાણો....

author img

By

Published : Feb 10, 2023, 4:34 PM IST

Republic day Parade expense : 5 વર્ષમાં રિપબ્લિક ડે પરેડ અને બીટિંગ રિટ્રીટ પર કેટલા કરોડ ખર્ચાયા જાણો....
Republic day Parade expense : 5 વર્ષમાં રિપબ્લિક ડે પરેડ અને બીટિંગ રિટ્રીટ પર કેટલા કરોડ ખર્ચાયા જાણો....

સંસદમાં એક પ્રશ્નના જવાબમાં સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં ગણતંત્ર દિવસની પરેડ અને બીટિંગ રિટ્રીટ પર લગભગ 6.9 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. સરકારે શુક્રવારે લોકસભામાં આ જાણકારી આપી.

નવી દિલ્હી : દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ અને બીટિંગ રીટ્રીટ સમારોહના આયોજન પર છેલ્લા પાંચ વર્ષમાં લગભગ રૂપિયા 6.9 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ 2018માં 1,53,62,000 રૂપિયા, 2019માં 1,39,65,000 રૂપિયા અને 2020, 2021 અને 2022માં પ્રત્યેક વર્ષમાં 1,32,53,000 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. સરકારે શુક્રવારે લોકસભામાં આ જાણકારી આપી.

પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રિટ્રીટનો ખર્ચ : આ માહિતી રક્ષા રાજ્ય પ્રધાન અજય ભટ્ટે લેખિત જવાબના રૂપમાં શેર કરી હતી. તેમણે બસપા સાંસદ હાજી ફઝલુર રહેમાનના પ્રશ્નનો જવાબ આપ્યો હતો. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડ અને બીટીંગ રીટ્રીટ સેરેમનીના આયોજન પાછળ થયેલા ખર્ચની વિગતો માંગવામાં આવી હતી.

નાણાકીય વર્ષ 2022-2023 : સંરક્ષણ રાજ્ય પ્રધાને તેમના જવાબમાં જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે વિવિધ વ્યવસ્થા કરવા માટેનો ખર્ચ સંબંધિત સહભાગીઓ/કાર્યકારી સંસ્થાઓ/એજન્સીઓ દ્વારા તેમના પોતાના બજેટ ફાળવણીમાંથી ઉઠાવવામાં આવે છે અને તે એક એકાઉન્ટ હેડ હેઠળ સંકલિત અથવા પ્રદર્શિત કરવામાં આવતું નથી. જો કે, નાણાકીય વર્ષ 2022-2023 માટે સંરક્ષણ મંત્રાલયના સેરેમોનિયલ ડિવિઝનની ફાળવણી ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તમામ ઔપચારિક કાર્યો માટે રૂપિયા 13253000 છે.

આ પણ વાંચો : Adani vs Hindenburg : અદાણીએ હિંડનબર્ગ સામે ખોલ્યો મોરચો, અમેરિકન કાનૂની ટીમને કરી હાયર

સેરેમોનિયલ ડિવિઝન : જવાબ અનુસાર છેલ્લા પાંચ નાણાકીય વર્ષો દરમિયાન તમામ પ્રકારના સમારોહના આયોજન માટે સંરક્ષણ વિભાગના સેરેમોનિયલ ડિવિઝનને બજેટની ફાળવણી સંબંધિત કુલ રકમ 6.9 કરોડ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન ઉક્ત કાર્યો માટે ટિકિટના વેચાણમાંથી એકત્ર થયેલી કુલ આવક વિશે પૂછવામાં આવ્યું ત્યારે સંરક્ષણ રાજ્ય પ્રધાને જવાબ આપ્યો કે, વર્ષ 2018માં ટિકિટના વેચાણમાંથી 34,90,000 એકત્ર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Yahoo Layoff : હવે યાહૂ છૂટા કરશે તેના 1600 કર્મચારીઓ

રદ થયેલી ટિકિટ માટે રિફંડની પ્રક્રિયા ચાલી રહી છે : 2019માં 34,34,264 રૂપિયા એકત્ર થયા હતા. તેવી જ રીતે વર્ષ 2020 માં, 34,72,990 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. અને 2021માં 10,12,860 રૂપિયા આવ્યા. ત્યારબાદ 2022માં રૂપિયા 1,14,500 જ્યારે 2023માં ટિકિટના વેચાણમાંથી કુલ રૂપિયા 28,36,980 મળ્યા હતા. જો કે, સિસ્ટમની ભૂલને કારણે રદ થયેલી ટિકિટ માટે રિફંડની પ્રક્રિયા ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.