વડોદરાનું ઐતિહાસિક ન્યાયમંદિર મુખ્યપ્રધાનના હસ્તે વીએમસીને સુપ્રત કરાશે

author img

By

Published : Dec 22, 2022, 4:55 PM IST

Updated : Dec 22, 2022, 5:06 PM IST

વડોદરાનું ઐતિહાસિક ન્યાયમંદિર

વડોદરામાં આવેલું ન્યાય મંદિર ભારતના બેંજન્ટાઇન આર્કિટેક્ચરનો નમૂનો(District Court of Vadodara City) છે. આજે આ બિલ્ડીંગને ગુજરાત સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવી છે. જેની ઓફિશિયલ આવનાર 25 ડિસેમ્બરે રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે સુપ્રત (Nyay Mandir will eventually be handed over vmc) કરશે.

વડોદરાનું ઐતિહાસિક ન્યાયમંદિર

વડોદરા: ન્યાય મંદિર એટલે ન્યાય નું મંદિર જ્યાં, નિસ્પક્ષ પણે ન્યાય કરવામાં આવે (Historic Courthouse of Vadodara)છે અને આરોપીને સજા ફટકારવામાં આવે છે. વડોદરામાં આવેલું ન્યાય મંદિર ભારતના બેંજન્ટાઇન આર્કિટેક્ચરનો નમૂનો છે. ન્યાય મંદિર વડોદરા શહેરની જિલ્લા કોર્ટ હતી(District Court of Vadodara City) જે સમય અંતરે બંધ કરી કોર્ટની નવી બિલ્ડીંગ દિવાળીપુરા ખાતે ખસેડવામાં આવી છે આજે આ બિલ્ડીંગને ગુજરાત સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવી છે. જેની ઓફિશિયલ આવનાર 25 ડિસેમ્બરે રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે સુપ્રત કરશે અને ઐતિહાસિક આ ઇમારતને કોર્પોરેશન દ્વારા મ્યુઝિયમ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં (Nyay Mandir will eventually be handed over vmc)આવશે.

શું રહી છે આ ઐતિહાસિક ઇમારતની માંગ: વડોદરાના ઐતિહાસિક વારસાની ભવ્યતાની જાણ થઇ શકે તે માટે સિટી હેરિટેઝ મ્યુઝિયમ પર ભાર મૂકાયો છે અને લાલકોર્ટવાળી બિલ્ડિંગમાં આર્ટ ગેલેરી બનાવાય તો સ્થાનિક કલાકારો અને અને અન્ય કલાકારોને યોગ્ય જગા મળી રહેશે. વડોદરા શહેર કલાનગરી, સંસ્કારીનગરી તરીકે ઓળખાતું હોવાથી આર્ટ ગેલેરી બનવાથી કલાકારોને પ્રોત્સાહન મળી રહેશે. સાથે મ્યુઝિયમ દ્વારા પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બને તેવું શાહેરવાસી ઈચ્છી રહ્યા છે.

શું છે ન્યાયમંદિરનો ઇતિહાસ: મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એ રોબર્ટ ચીસલોમ ને વડોદરાની મધ્યમાં વિશાળ શાકમાર્કેટ બનાવવા સુચવ્યું હતું. પરંતુ તેના બાંધકામ પૂર્ણ થયા પછી તેનો નગરગૃહ તરીકે વિકસાવવાનું વિચાર્યું અને આ જ ઇમારત કોર્ટ તરીકે ઉપયોગ થતો હતો. ઇમારત ના બાંધકામ પછી ૩૦ નવેમ્બર ૧૮૯૬ ના રોજ વિસેરોય લોર્ડ એલ્ગિન દ્વારા એનું ઉદ્દ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઇમારત 4 એકર જેટલા વિશાળ વિસ્તાર માં ફેલાઈ છે. જુના સમયમાં આ ન્યાયમંદિર ચિમનાબાઈ ન્યાય મંદિર તરીકે ઓળખાતી હતી. તે સમય માં પણ આના બાંધકામ પાછળ ૭ લાખ જેટલો ખર્ચો કરવામાં આવ્યો હતો.

આ ઇમારત ન્યાયનું પ્રતીક: આ ન્યાયમંદિર મુરીશ આર્કિટેક્ચર નો નમૂનો છે. ન્યાયમંદિર ની મધ્યમાં વિશાળ હૉલ આવેલો છે કે જ્યાં, ચિમનાબાઈ નું પૂતળું રાખેલું છે. ઇમારત ના આગળના ભાગમાં ઇટાલિયન આરસપહાણ ના પથ્થરો લગાડેલા છે. વડોદરા રાજ્યના છેલ્લા શાશક પ્રતાપસિંહરાવ ગાયકવાડ એ તેમનું આખરી વક્તવ્ય આ ઇમારતના ઝરુખા માંથી જ આપી હતી. એમના વક્તવ્ય ના શબ્દો સાથે એમને મહારાણી ચિમનાબાઈ માર્કેટનો પાયો નાખ્યો હતો.

સીટી હેરિટેજ મ્યુઝિયમ તરીકેની માંગ: ન્યાયમંદિર ઇમારતમાં સિટી હેરિટેઝ મ્યુઝિયમ અને લાલકોર્ટમાં આર્ટ ગેલેરી બનાવવાની તૈયારી દર્શાવતો પ્રસ્તાવ પાલિકાએ કલેક્ટરને મોકલેલા પત્રમાં રજુ કર્યો (City Heritage Museum) છે. 65000 ચોરસ ફૂટ ક્ષેત્રફળ ધરાવતી ન્યાયમંદિર ઇમારત અને 2500 ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવતી લાલકોર્ટ બિલ્ડિંગ ન્યાયાલય દિવાળીપુરા શિફ્ટ થયા બાદ ખાલી પડી છે. સંસ્કારીનગરીના પ્રબુદ્ધ નાગરિકોએ ઐતિહાસિક ન્યાયમંદિરનો ઉપયોગ સિટી હેરિટેઝ મ્યુઝિયમ તરીકે થાય તેવી લાગણી વ્યકત કરી હતી.

વેપારી એસોસિએશનના પ્રમુખ શું કહે છે: વડોદરા વેપારી એસોસિએશન ના પ્રમુખ પરેશ પરીખે જણાવ્યું હતું કે ભુપેન્દ્રભાઈ મિનિસ્ટ્રીમાં ત્રીજા વ્યક્તિ છે કે જેઓ આ ઇમારતની ઓફિશિયલ જાહેરાત કરવા વડોદરા આવી રહ્યા છે. સમગ્ર વડોદરા વેપાર એસોસિએશન દ્વારા ન્યાયમંદિર ને બચાવવા માટેની જુમબેશ હાથ ધરી હતી. અને સરકારમાં અવાજ પોહચાડયો હતો. ત્યારે 2021માં તત્કાલીન ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા વડોદરા આવી અને સિમ્બોલિક ચાવી વડોદરા મહાનગરપાલિકા અને કલેક્ટર ને સોંપી હતી. ત્યારબાદ રાજ્યના પૂર્વ મહેસુલ અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પણ જાહેરાત કરાઈ છતાં કોઈ નિકાલ નથી આવ્યો અને હવે ભુપેન્દ્ર પટેલ વડોદરા આવી રહ્યા છે તે ગાયકવાડ ની ભેટ સમાન ન્યાયમંદિર ખંડેર ન બને અને સારું મ્યુઝિયમ બને તેવી આશા વ્યક્ત કરી છે.

Last Updated :Dec 22, 2022, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.