NATIONAL SPORTS DAY 2021: મેજર ધ્યાનચંદને ભારત રત્ન આપવાની માગ કેટલાય સમયથી દેશમાં

author img

By

Published : Aug 29, 2021, 7:30 AM IST

hocky

દેશમાં મેજર ધ્યાનચંદને ભારત રત્ન આપવાની માગ લાબા સમયથી છે. લોકોનુ માનવુ છે કે, તેમના ખેલના કારણે ભારતનું નામ આખી દુનિયામાં થયું, આ કારણે તે આ સન્માનના હકદાર છે. તે જે અંદાજમાં હોકી રમતા હતા તે જોઈને બધા આશ્ચર્યચકિત રહી જતા.

દિલ્હી : મેજર ધ્યાનચંદ એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે. તેનું કારણ પણ ખાસ છે કારણ કે, મોદી સરકારે ખેલ પુરસ્કારનુ નામ રાજીવ ગાંધી બદલીને મેજર ધ્યાનચંદ કરી દિધુ છે. ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસ મનાવવામાં આવે છે અને આ દિવસે ઉતકૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કાર આપવામાં આવે છે.

ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસ મનાવવામાં આવે છે. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટે 1905માં અલ્હાબાદમાં થયો હતો. તેમણે હોકીમાં ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખાન અપાવી હતી. તેમને સન્માન આપવા માટે દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસ મનાવવામાં આવે છે.

આ પણ વાંચો : આજે ભાવિના પટેલ ગોલ્ડ મેડલ માટે રમશે, જાણો આજનો સંપૂર્ણ શેડ્યૂલ

દેશમાં મેજર ધ્યાનચંદને ભારત રત્ન આપવાની માગ કેટલાય સમયથી ઉઠી રહી છે. લોકોનું માનવુ છે કે તેમના કારણે ભારતનું નામ આખી દુનિયામાં થયું છે જેના કારણે તેઓ સન્માને હકદાર છે. હોલેન્ડમાં એક મેચ દરમિયાન તેમની હોકીમાં ચૂંબક હોવાની આશંકાને કારણે તેમની સ્ટીક તોડીને જોવામાં આવી હતી. જાપાનમાં એક મેચ દરમિયાન તેમની સ્ટીકમાં ગુંદર હોવાની વાત પણ કહેવામાં આવી હતી.

આ પણ વાંચો : Weekly Horoscope for 28 August to 04 September : સાપ્તાહિક રાશિફળ, જાણો કેવું રહેશે આપનું સપ્તાહ...

મેજર ધ્યાનચંદે ફુટબોલમાં પેલે અને ક્રિકેટમાં ડોન બ્રેડમૈનની સમકક્ષ માનવામાં આવે છે. મેજર ધ્યાનચંદે ઓલમ્પિકમાં ભારતનું 3 વાર પ્રતિનિધિત્વ કર્યું હતું. બિજા વિશ્વયુદ્ધ પહેલા મેજર ધ્યાનચંદ સતત ત્રણ ઓલમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ ઓલમ્પિક 1928માં એસ્મટર્ડમ, 1932માં લોસ એજલન્સ અને 1936માં બર્લિનમાં રમવામાં આવ્યા હતા. મેજર ધ્યાનચંદને 1965માં પદ્મભુષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.