ETV Bharat / bharat

ગૃહપ્રધાન અમિત શાહ સહિત દિગ્ગજોએ આપી દિવંગત પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ

author img

By

Published : Aug 23, 2021, 4:57 PM IST

ગૃહપ્રધાન અમિત શાહ સહિત દિગ્ગજોએ આપી દિવંગત પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ
ગૃહપ્રધાન અમિત શાહ સહિત દિગ્ગજોએ આપી દિવંગત પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ

યુપીના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહના નિધન પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી છે. શાહે કહ્યું કે દલિત અને પછાત લોકોએ તેમના નિધનથી એક શુભેચ્છક ગુમાવ્યો છે.

  • કલ્યાણસિંહને અંતિમ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરતાં ભાજપના દિગ્ગજો
  • ગૃહપ્રધાન અમિત શાહ, મધ્યપ્રદેશ સીએમ શિવરાજ સહિત પ્રધાનોએ આપી શ્રદ્ધાંજલિ
  • અલીગઢના અતરૌલીમાં અંતિમ દર્શનાર્થે પહોંત્યાં નેતાઓ

અલીગઢ-લખનૌ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સોમવારે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રામ મંદિર આંદોલનના અગ્રણી નેતાઓમાંના એક કલ્યાણસિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે અલીગઢના અતરૌલી પહોંચ્યા હતા. અમિત શાહે કહ્યું કે દબાયેલા, દલિત અને પછાત લોકોએ તેમના મૃત્યુમાં એક શુભેચ્છક ગુમાવ્યો છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહનું શનિવારે રાત્રે 9:15 વાગ્યે લખનૌના SGPGI ખાતે નિધન થયું. તેઓ 89 વર્ષના હતા અને કેટલાક સમયથી બીમાર હતા.

તેમનું નિધન ભાજપ માટે મોટી ખોટઃ ગૃહપ્રધાન અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અલીગઢના અતરૌલી ખાતે જાહેર બાંધકામ વિભાગના અતિથિગૃહ પહોંચ્યાં હતાં, જ્યાં કલ્યાણસિંહનો મૃતદેહ રાખવામાં આવ્યો છે. શાહે અંતિમ શ્રદ્ધાંજલિ આપીને શાહે કહ્યું કે, આજે હું કલ્યાણસિંહના અંતિમ દર્શન માટે આવ્યો છું. કલ્યાણ સિંહનું આ દુનિયામાંથી જવું ભાજપ માટે મોટી ખોટ છે.તેમના (કલ્યાણસિંહ) નિધન સાથે, ભાજપે એક અગ્રણી અને હંમેશા સંઘર્ષશીલ નેતા ગુમાવ્યો છે. દેશભરના દલિત અને દલિત અને ખાસ કરીને યુપીના પછાત લોકો તેમના એક શુભેચ્છકને ગુમાવી ચૂક્યા છે.કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું કે 'કલ્યાણસિંહ રામ જન્મભૂમિ આંદોલનના મોટા નેતા હતાં અને તેમણે રામ જન્મભૂમિ આંદોલન માટે સત્તા છોડવાનો જરાક પણ વિચાર કર્યો ન હતો.'

જૂની યાદોને તાજી કરતા શાહે કહ્યું કે, "જ્યારે રામજન્મભૂમિનો શિલાન્યાસ થયો ત્યારે મેં તે જ દિવસે બાબુજી સાથે વાત કરી અને ખૂબ જ આનંદ અને સંતોષ સાથે તેમણે કહ્યું કે આજે મારા જીવનનું લક્ષ્ય પૂર્ણ થયું છે." તેમનું આખું જીવન વિકાસ અને યુપીના લોકોને સમર્પિત હતું. તે યુપીને સારું રાજ્ય બનાવવા માટે કામ કરતાં રહ્યાં. ગરીબ વર્ગમાંથી ઊભા થવું, આટલા મોટા નેતા બનવું, વિચારધારા માટે લડવું, સમાજને સમર્પિત થવું, આ બધું આપણા બધાં ભાજપના કાર્યકરો માટે પ્રેરણાની બાબતો હશે. તેમના જવાથી ભાજપની અંદર એક મોટું અંતર ઊભું થયું છે અને તેને લાંબા સમય સુધી ભરવું મુશ્કેલ બનશે.'

શાહે કહ્યું કે, આજે, લાંબા સમય સુધી સક્રિય રાજકારણમાં ન હોવા છતાં જે રીતે લોકો બાબુજીને, ખાસ કરીને યુવાનોે શ્રદ્ધાંજલિ આપવા આવ્યાં તે સાબિત કરે છે કે તેમણે યુપીના જાહેર જીવન પર ઊંડી છાપ છોડી છે. અમે હૃદયથી અમારી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ગરીબો, દલિતો અને દલિતો માટે લડવાનું વચન આપીએ છીએ.

શિવરાજસિંહે કવિતા દ્વારા વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે તેમની શ્રદ્ધાંજલિમાં કહ્યું કે 'કલ્યાણસિંહ એક વ્યક્તિ નહોતાં, તેઓ એક સંસ્થા હતાં, તેઓ એક આંદોલન હતાં. તેમના મનમાં ગરીબો, ખેડૂતો, પછાત અને શોષિતોના કલ્યાણની લાગણી હતી. તે માત્ર તેમના નેતૃત્વમાં જ નહીં, પણ તેમની કવિતાઓમાં પણ પ્રતિબિંબિત થયું હતું. તેમણે ક્રાંતિનો શંખ ફૂંક્યો હતો.ચૌહાણે કલ્યાણસિંહની એક કવિતા પણ સંભળાવી હતી અને કહ્યું હતું કે સામાન્ય પરિવારમાં જન્મથી લઈને યુપીના મુખ્યપ્રધાન સુધીની સફર અને અયોધ્યામાં ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ તેમના વિના પૂર્ણ થઈ શક્યો ન હોત.

તેમણે મધ્યપ્રદેશના સાડા આઠ કરોડ લોકો વતી કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી.

આવા નેતા વીરલ જ હોય છેઃ કેન્દ્રીયપ્રધાન પ્રહલાદસિંહ

કેન્દ્રીયપ્રધાન પ્રહલાદસિંહે કહ્યું કે રાજકારણમાં આવા સાચા નેતાઓ ભાગ્યે જ જોવા મળે છે, જેમને જાહેર સમર્થન મળે છે અને તેમનામાં સાચી શ્રદ્ધા હોય છે. આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સ્વતંત્રદેવસિંહ પણ હાજર હતાx.

અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના ઘણા અગ્રણી નેતાઓ રવિવારે લખનઉ પહોંચ્યા હતાં અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રામ મંદિર આંદોલનના અગ્રણી નેતાઓમાંના એક કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. રવિવારે પૂર્વ મુખ્યપ્રધાનના નશ્વર અવશેષોને પણ અંતિમ દર્શન માટે વિધાન ભવન અને પ્રદેશ ભાજપ કાર્યાલયમાં રાખવામાં આવ્યાં હતાં.

તેમણે રામ માટે સત્તાનો ત્યાગ કરી દીધોઃ યોગી આદિત્યનાથ

અલીગઢમાં રવિવારે રાત્રે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પૂર્વ મુખ્યપ્રધાનને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમને ભારત માતાના સાચા પુત્ર કહ્યાં. તેમણે કહ્યું કે કલ્યાણસિંહે તેમના યુગની ભારતીય રાજનીતિને ખૂબ પ્રભાવિત કરી. અહિલ્યાબાઈ હોલકર સ્ટેડિયમમાં દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપતાં મુખ્યપ્રધાને કહ્યું હતું કે કલ્યાણસિંહને ભગવાન રામ પ્રત્યે એટલો પ્રેમ હતો કે તેમને સત્તાની પરવા નહોતી. તેમણે કહ્યું કે કોઈએ રામ અને સત્તા વચ્ચે પસંદગી કરવાની હતી, તેથી તેણે રામ માટે સત્તા છોડી દીધી. યોગીએ કહ્યું કે તેમના દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો ભેગા થઈ રહ્યા છે, તેઓ સાચા દેશભક્ત છે અને તેમની ભૂમિના પુત્ર પ્રત્યેના તેમના પ્રેમનો પુરાવો છે.તેમના શાસન દરમિયાન, સિંહે રાજ્યને ગુનાહિત માફિયાના પ્રભુત્વવાળા રાજકીય ઝૂંડમાંથી મુક્ત કરીને 'હુલ્લડમુક્ત અને ભયમુક્ત સમાજ' નું શાસન સ્થાપિત કર્યું.

કલ્યાણસિંહ રામ મંદિર આંદોલનના અગ્રણી નેતાઓમાંના એક હતાં અને 6 ડિસેમ્બર 1992 ના રોજ અયોધ્યામાં વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન હતાં. આ ઘટના બાદ સિંહે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. સિંહને સંક્રમણ અને અન્ય કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે ગત 4 જુલાઈએ SGPGI ના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમના શરીરના કેટલાક ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને શનિવારે રાત્રે તેનું મૃત્યુ થયું હતું. 1990ના દાયકામાં ઉત્તર પ્રદેશમાં ભાજપને સત્તા પર લાવવામાં તેમનો મહત્વનો ફાળો હતો.

આ પણ વાંચોઃ કલ્યાણ સિંહના પાર્થિવ શરીર પર ત્રિરંગાની ઉપર ભાજપનો ઝંડો, સર્જાયો વિવાદ

આ પણ વાંચોઃ EXCLUSIVE: અયોધ્યામાં રામ મંદિર જોવું એ મારું પ્રિય સ્વપ્ન: કલ્યાણસિંહ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.