ETV Bharat / bharat

Sukesh Letter: સુકેશનો CM અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ, કહ્યું - પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી

author img

By

Published : Jul 9, 2023, 5:40 PM IST

Etv Bharat
Etv Bharat

તિહાર જેલમાં બંધ સુકેશે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે દિલ્હીના એલજી અને પોલીસ કમિશનર પર પત્ર લખીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.

નવી દિલ્હી: મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે પોતાના વકીલ દ્વારા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. પત્રમાં તેણે લખ્યું છે કે જેલ અધિકારીઓ દ્વારા તેને વારંવાર જેલમાં ઝેર આપીને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.

દિલ્હીના એલજી અને પોલીસ કમિશનર પર પત્ર લખ્યો
દિલ્હીના એલજી અને પોલીસ કમિશનર પર પત્ર લખ્યો

જાનથી મારી નાખવાની ધમકી: સુકેશે પોતાના પત્રમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે તેની માતાને પણ ધમકીભર્યા ફોન આવ્યા છે. માતાને કરાયેલા કોલમાં ફોન કરનારે ધમકી આપી છે કે જો સુકેશ ચંદ્રશેખર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન પર લાગેલા આરોપો પાછા નહીં ખેંચે તો તેને જેલમાં ભોજનમાં ઝેર આપીને મારી નાખવામાં આવશે.

સુરક્ષા માટે અપીલ: સુકેશે એલજી અને પોલીસ કમિશનરને સુરક્ષા માટે અપીલ કરી છે. પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે તેમને અને તેમના પરિવારને જૈનની પત્ની પૂનમ જૈન તરફથી ધમકીઓ પણ મળી છે. અમારા વકીલને પણ ફોન કરીને ધમકી આપવામાં આવી રહી છે. તેણે કહ્યું છે કે 23 જૂન અને 1 જુલાઈએ તેની માતાને ફોન કરીને ધમકી આપવામાં આવી હતી. ધમકી આપનાર વ્યક્તિએ તેને અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈનનો માણસ ગણાવ્યો છે.

કેજરીવાલને 9 વર્ષથી ઓળખું છું: સુકેશ ચંદ્રશેખરે લખ્યું છે કે તેઓ અરવિંદ કેજરીવાલને 9 વર્ષથી ઓળખે છે. કેજરીવાલ કાયદાના શાસન અને કાયદો અને વ્યવસ્થાની વાતો કરે છે, પરંતુ તેઓ અને તેમની ટીમ આવી બાબતોમાં વ્યસ્ત છે. તેના ઈશારે માતાને ધમકાવવામાં આવી રહી છે જે ખોટું છે. સુકેશે કહ્યું છે કે તેની અને તેના પરિવારની સુરક્ષા માટે પગલાં લેવા જોઈએ. નોંધનીય છે કે આ પહેલા પણ સુકેશ ચંદ્રશેખર લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને અનેકવાર આ અંગે ફરિયાદ કરી ચૂક્યા છે.

  1. Sukesh Chandrashekhar: તિહાર જેલમાં ધ્રુસકેને ધ્રુસકે રડતો જોવા મળ્યો મહાઠગ સુકેશ, વીડિયો આવ્યો સામે
  2. Odisha Train Accident: સુકેશ ટ્રેન દુર્ઘટનાના પીડિતોની મદદ માટે 10 કરોડ રૂપિયા આપશે, મંત્રાલયને લખ્યો પત્ર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.