તમને જલ્દી જ ખબર પડી જશે કે, અધ્યક્ષ કોણ બનશે: રાહુલ ગાંધી

author img

By

Published : Sep 22, 2022, 4:06 PM IST

Etv Bharatતમને જલ્દી જ ખબર પડી જશે કે, અધ્યક્ષ કોણ બનશે: રાહુલ ગાંધી

ભારત જોડો યાત્રા (Congress's Join India Yatra) દરમિયાન, રાહુલ ગાંધીએ (Rahul Gandhi ) ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે, તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. રાહુલ ગાંધીએ કેરળમાં (Comments on congress president election) મીડિયાને કહ્યું કે, તેઓ તેમના નિવેદન પર મક્કમ છે. તમને જલ્દી જ ખબર પડી જશે કે, શું થવાનું છે.

તિરુવનંતપુરમઃ કોંગ્રેસની ભારત જોડો યાત્રા (Congress's Join India Yatra) 15માં દિવસમાં પહોંચી ગઈ છે. આ યાત્રા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કેરળથી (Rahul Gandhi in Kerala) શરૂ થઈ હતી. હવે આ મુલાકાત વચ્ચે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ (Rahul Gandhi held a press conference) કરીને માહિતી આપી છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી આ યાત્રા કેરળમાં સફળ રહી છે. યાત્રાની સફળતા પાછળ કેટલાક વિચારો છુપાયેલા છે. પહેલો વિચાર એ છે કે, ભારતને નફરત પસંદ નથી. દેશમાં મોંઘવારી ચરમસીમાએ છે, પરંતુ BJP અને RSS સતત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે.

આખા ભારતમાં પ્રવાસ કરી શકતા નથી: ઉત્તર પ્રદેશની યાત્રા પર પ્રતિક્રિયા આપતા રાહુલે કહ્યું કે, કેરળની જેમ અન્ય રાજ્યોમાં પણ ભારત જોડો યાત્રા (Join India Journey) સફળ થશે. અમે બિહાર નથી જઈ રહ્યા નથી, અમે ગુજરાતમાં નથી જઈ રહ્યા, અમે બંગાળ નથી જઈ રહ્યા નથી. પ્રવાસ એક છેડેથી બીજા છેડા સુધીનો છે. અમે એકસાથે આખા ભારતમાં પ્રવાસ કરી શકતા નથી. ઉત્તર પ્રદેશની યાત્રાને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, તેની ચિંતા ન કરો, અમને ખબર છે કે ત્યાં શું કરવાની જરૂર છે.

પ્રમુખ પદ અંગે આપવામાં આવેલ જવાબ: કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને પૂછવામાં આવેલા સવાલ પર (Comments on congress president election) રાહુલ ગાંધીએ કહ્યું કે, તમને જલ્દી જ ખબર પડી જશે કે, અધ્યક્ષ પદ માટે કોણ ચૂંટણી લડશે. મારો કાર્યકર્તાઓ સાથે સીધો સંબંધ છે, મારે મીડિયા દ્વારા કહેવાની જરૂર નથી. જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે, તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવારોને શું સૂચન કરશે? આના પર તેમણે કહ્યું, હું તેમને કહેવા માંગુ છું કે, તે માત્ર સંસ્થાની જગ્યા નથી, તે એક વિચારધારા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને આશા છે કે, ઉદયપુર ચિંતન શિવિરના ઠરાવ મુજબ "એક વ્યક્તિ એક પદ"નું પાલન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.