કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસવરાજ બોમ્મઈની વરણી, કાલે શપથ ગ્રહણ કરશે

author img

By

Published : Jul 27, 2021, 9:16 PM IST

કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસવરાજ બોમ્મઈની વર

કર્ણાટકના મુખ્યપ્રધાન (Karnataka CM) તરીકે બસવરાજ બોમ્મઈ(Basavaraj Bommai)નું નામ જાહેર કરવવામાં આવ્યું છે. ભાજપ નેતા ધર્મેન્દ્ર પ્રધાને(Dharmendra Pradhan) આ અંગે ઔપચારિક જાહેરાત કરી હતી. પૂર્વ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાના રાજીનામાં બાદ બોમ્માઇ મુખ્યપ્રધાન (Karnataka CM Basavaraj Bommai) તરીકે ચૂંટાયા છે. મળતી માહિતી પ્રમાણે, બોમ્માઈની શપથવિધિ આવતીકાલે બુધવારે સાંજે રાજભવન ખાતે યોજાશે.

  • કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મુખ્યપ્રધાન પદની ઔપચારિક જાહેરાત કરી
  • પૂર્વ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ બસવરાજ બોમ્મઈના નામનો પ્રસ્તાવ રાખ્યો
  • આવતી કાલે બુધવારે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતની હાજરીમાં શપથ ગ્રહણ

બેંગ્લોર ( કર્ણાટક) : કર્ણાટકના નવા મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઇને જાહેર કરવામાં આવ્યા છે. ભાજપના નેતા અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને બોમ્મઇની મુખ્યપ્રધાન પદની ઔપચારિક જાહેરાત કરી હતી. બોમ્માઇએ (Karnataka CM elect Basavaraj S Bommai) કહ્યું કે, આ એક મોટી જવાબદારી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, તેઓ ગરીબોના કલ્યાણ માટે કામ કરવાનો પ્રયત્ન કરશે અને તેમની સરકાર લોકહિતી માટે કામ કરશે. પૂર્વ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ જ બસવરાજ બોમ્મઈના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો.

વિધાનસભા પક્ષની બેઠક બાદ નિર્ણય

કર્ણાટકના નવા બસવરાજ બોમ્મઈ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતની હાજરીમાં શપથ ગ્રહણ કરશે. આ અગાઉ કર્ણાટકના પૂર્વ ગૃહ પ્રધાન બાસવરાજ બોમ્માઇ અને જગદીશ શેટ્ટરે આજે મંગળવાર સાંજે બેંગલુરુમાં રાજ્યના ભાજપ નેતાઓ, કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને જી કિશન રેડ્ડી સાથે મુલાકાત કરી હતી. આ બાદ વિધાનસભા પક્ષની બેઠક સાંજે 7.30 વાગ્યે મળી હતી.

બોમ્માઇ બેઠક પહેલા કેન્દ્રીય પ્રધાનોને મળ્યા

બસવરાજ બોમ્માઇએ વિધાનસભા પક્ષની બેઠક પૂર્વે કુમારા કૃપા ગેસ્ટ હાઉસ ખાતે કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, કિશન રેડ્ડી અને અરૂણ સિંહને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના નવા મુખ્યપ્રધાનની રેસમાં ત્રણ નામની વાત કરવામાં આવી રહી હતી. જેમાં બાસવરાજ બોમ્માઇ, વિશ્વેશ્વર હેગડે કગેરી અને કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી. જો કે, આ બધા માત્ર અનુમાન હતા. કર્ણાટકના મુદ્દા પર, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ગત દિવસે રાજ્યના પ્રભારી અરુણસિંહ સાથે બેઠક પણ કરી હતી.

યેદિયુરપ્પા વર્ષ 2019માં બન્યા મુખ્યપ્રધાન

અગાઉ પણ અઆાનેક વાર કર્ણાટકમાં રાજકીય અસ્થિરતા જોવા મળી હતી. યેદિયુરપ્પા વર્ષ 2019માં કોંગ્રેસ અને JDS સરકારના પડ્યા બાદ મુખ્યપ્રધાન બન્યા હતા. જુલાઈ 2019 માં જ, કુમારસ્વામીની સરકાર વિધાનસભામાં પોતાનું બહુમત સાબિત કરવામાં નિષ્ફળ ગઈ હતી. 23 જુલાઇએ વિધાનસભાની બહુમતી પરીક્ષામાં કુમારસ્વામીના સમર્થનમાં માત્ર 99 મત પડ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.