Ukraine Sailors evacuation : ઈન્ડિયન એમ્બેસીએ 52 ભારતીય નાવિકોને બચાવ્યા

author img

By

Published : Mar 8, 2022, 9:31 PM IST

Ukraine Sailors evacuation : ઈન્ડિયન એમ્બેસીએ 52 ભારતીય નાવિકોને બચાવ્યા

રશિયા અને યુક્રેનના સંઘર્ષ (Russia Ukraine conflict) વચ્ચે 52 ભારતીય નાવિકોને માયકોલાઈવ બંદરમાંથી (Ukraine Sailors evacuation) સુરક્ષિત રીતે બહાર કાઢવામાં (Mykolaiv Indian Embassy evacuates) આવ્યા છે. ઈન્ડિયન એમ્બેસીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.

નવી દિલ્હીઃ રશિયાની વિશેષ સૈન્ય કાર્યવાહી (Russia Ukraine conflict) વચ્ચે યુક્રેનમાં માનવીય સંકટ (Ukraine Sailors evacuation) ઘેરી બની રહ્યું છે. ભારતીયો ઉપરાંત અન્ય દેશોના નાગરિકો પણ યુક્રેનની રાજધાની કિવ અને અન્ય સ્થળોએથી સુરક્ષિત સ્થળોની શોધમાં ભાગી (Mykolaiv Indian Embassy evacuates) રહ્યા છે. પોર્ટ ઓફ માયકોલીવમાં ફસાયેલા 52 ભારતીય સેલર્સને (Russia military aggression against Ukraine) બચાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણય, 27 માર્ચથી ફરી શરૂ થશે ઈન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઈટ સેવાઓ

માયકોલાઈવ બંદર પર ફસાયેલા 75 ભારતીય નાવિકમાંથી 52ને બચાવ્યા

ભારતીય મિશને મંગળવારે કહ્યું કે, તેણે યુદ્ધગ્રસ્ત દેશના માયકોલાઈવ બંદર પર (Ukraine embassy Indian sailors Mykolaiv Port) ફસાયેલા 75 ભારતીય નાવિકમાંથી 52ને બચાવ્યા છે. બાકીના 23 નાવિકને મંગળવારે બચાવવાના પ્રયાસો કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

2 લેબનીઝ અને 3 સીરિયન નાવિકોનો સમાવેશ

Ukraine Sailors evacuation : ઈન્ડિયન એમ્બેસીએ 52 ભારતીય નાવિકોને બચાવ્યા
Ukraine Sailors evacuation : ઈન્ડિયન એમ્બેસીએ 52 ભારતીય નાવિકોને બચાવ્યા

યુક્રેનમાં ઈન્ડિયન એમ્બેસીએ એક ટ્વિટમાં કહ્યું, 'મિશન દ્વારા માયકોલાઈવ પોર્ટ પર ફસાયેલા 75 ભારતીય નાવિકને બચાવવા માટે હસ્તક્ષેપ કરવામાં આવ્યો. ગઈકાલે, મિશન દ્વારા ગોઠવવામાં આવેલી બસોએ કુલ 57 નાવિકને બહાર કાઢ્યા હતા, જેમાં 2 લેબનીઝ અને 3 સીરિયનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: International Womens Day: લખનૌની શેરીઓમાં માતૃશક્તિ છલકાઈ, ઉજવણીમાં જોડાઈ પ્રિયંકા

23 નાવિકનું સ્થળાંતર માર્ગ અવરોધોને કારણે અવરોધાયું હતું

"બાકીના 23 નાવિકનું સ્થળાંતર માર્ગ અવરોધોને કારણે અવરોધાયું હતું. મિશન આજે તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે," નિવેદનમાં જણાવાયું છે. યુક્રેન સામે રશિયાના સૈન્ય આક્રમણ બાદ 26 ફેબ્રુઆરીએ શરૂ કરાયેલ "ઓપરેશન ગંગા" હેઠળ ભારતે 83 ફ્લાઈટ્સમાં તેના 17,100 નાગરિકોને પરત લાવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.