ETV Bharat / bharat

India votes for UNSC Resolution: ભારતે આતંકવાદી કૃત્યો સામે એકજૂથ થવાના તેના આદેશની પુનઃ પુષ્ટિ કરવાની તરફેણમાં મતદાન કર્યું

author img

By

Published : Dec 31, 2021, 4:24 PM IST

India votes for UNSC Resolution: ભારતે આતંકવાદી કૃત્યો સામે એકજૂથ થવાના તેના આદેશની પુનઃ પુષ્ટિ કરવાની તરફેણમાં મતદાન કર્યું
India votes for UNSC Resolution: ભારતે આતંકવાદી કૃત્યો સામે એકજૂથ થવાના તેના આદેશની પુનઃ પુષ્ટિ કરવાની તરફેણમાં મતદાન કર્યું

ભારતે આતંકવાદી કૃત્યો સામે એકજૂથ (United against terrorist acts) રહેવાના જનાદેશની પુનઃપુષ્ટિના પક્ષમાં વોટિંગ (India votes for UNSC Resolution) કર્યું છે. ભારતે કહ્યું હતું કે, આપણે દાયકાઓથી સીમા પાર આતંકવાદનો ડંખ સહન કરી રહ્યા છીએ અને વૈશ્વિક આતંકવાદી વિરોધી પ્રયાસોમાં (global counter terrorism efforts) અગ્રીમ મોરચા પર રહ્યું છે. વાંચો સમગ્ર અહેવાલ.

સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council- UNSC)ની આતંકવાદ વિરોધી સમિતિ (CTC)ની વર્ષ 2022માં અધ્યક્ષતા કરનારી ભારતે CTC (Counter Terrorism Committee)ના કારોબારી સંચાલકના આદેશની પુનઃપુષ્ટિ કરનારા તેમની જોગવાઈના પક્ષમાં મતદાન (India votes for UNSC Resolution) કર્યું છે, જેમાં દેશોથી આતંકવાદી કૃત્યોની તેમની ઈચ્છાના આધારે વર્ગીકૃત કરવાની પ્રવૃત્તિ સામે એકજૂથ બની (United against terrorist acts) રહેવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.

UNSCએ લખેલી મૌન પ્રક્રિયાના માધ્યમથી CTIDના જનાદેશને 2025 સુધી લાગુ કર્યો

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (United Nations Security Council- UNSC) પોતાની લખેલી મૌન પ્રક્રિયાના માધ્યમથી આતંકવાદ વિરોધી સમિતિના (Anti-Terrorism Committeeકારોબારી સંચાલક (CTID)ના જનાદેશને 31 ડિસેમ્બર 2025 સુધી લાગુ કરી દીધી છે. આની વચગાળાની સમીક્ષા ડિસેમ્બર 2023માં કરવામાં આવશે.

આ પણ વાંચો- Joe Biden Warned Vladimir Putin: જો બિડેને પુતિનને આપી ચેતવણી, કહ્યું રશિયા યુક્રેન પર હુમલો કરશે તો અમેરિકા જવાબ આપશે

UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ ટ્વિટ કરી આપી માહિતી

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી. એસ. તિરુમૂર્તિએ (TS Tirumurti, Permanent Representative of India to the United Nations) ટ્વિટ કર્યું હતું. ભારતે CIEDના જનાદેશની પુનઃપુષ્ટિ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની જોગવાઈના પક્ષમાં ગુરુવારે મતદાન કર્યું હતું. ભારત 1 જાન્યુઆરી 2022થી એક વર્ષ માટે સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે.

CTCની ભૂમિકા વધારવા માટે ભારત કરશે પ્રયાસ

ભારતે કહ્યું હતું કે, વર્ષ 2022 માટે CTCના અધ્યક્ષ તરીકે ભારત, આતંકવાદના વિરોધમાં બહુપક્ષીય પ્રતિક્રિયાને મજબૂત કરવામાં CTCની ભૂમિકા વધારવા માટે નિર્ધારિત પ્રયાસ કરશે અને સૌથી મહત્ત્વપૂર્ણ એ નક્કી કરશે કે, આતંકવાદના ખતરા પર વૈશ્વિક પ્રતિક્રિયા સ્પષ્ટ, અવિભાજિત અને અસરકારક રહે.. ભારતે વધુમાં કહ્યું હતું કે, અમે કોઈને પણ, ગમે ત્યાં, કોઈ પણ રીતે આતંકવાદી કૃત્યોને યોગ્ય ઠેરવવાની મંજૂરી આપી શકતા નથી. આતંકવાદ સામેની લડાઈ આપણા સમાન કાર્યસૂચીના કેન્દ્રમાં (United against terrorist acts) હોવી જોઈએ.

આ પણ વાંચો- Sri Lanka oil tank: શ્રીલંકા ભારતને લીઝ પર આપેલી ઓઇલ ટેન્ક પાછી લેવા તરફ

ભારત દાયકાઓથી આતંકવાદનો ડંખ સહન કરી રહ્યું છે

CTCનો સહયોગ કારોબારી સંચાલક કરે છે, જે તેના નીતિગત નિર્ણય લે છે અને સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશોને નિષ્ણાત આધારે મૂલ્યાંકન કરે છે. ભારતે વધુમાં ઉમેર્યું હતું કે, તે દાયકાઓથી સીમા પાર આતંકવાદનો ડંખ સહન કરતું આવી રહ્યું છે અને વૈશ્વિક આતંકવાદ વિરોધી પ્રયાસોમાં અગ્રીમ મોરચે રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.