ETV Bharat / bharat

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 28,326 નવા કેસો નોંધાયા

author img

By

Published : Sep 26, 2021, 10:58 AM IST

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 28,326 નવા કેસો નોંધાયા
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 28,326 નવા કેસો નોંધાયા

કેરળના એર્નાકુલમ જિલ્લામાં કોરોના ચેપના સૌથી વધુ 2,500 નવા કેસ નોંધાયા છે. દરમિયાન, શનિવારે, રાજ્યમાં 14,242 દર્દીઓ ચેપમુક્ત બન્યા, જે પછી સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 44,23,772 થઈ ગઈ.

  • દેશમાં કોરોના 28,326 કેસો નોંધાયા
  • 260 લોકોના મૃત્યુ થયા
  • 26,032 લોકો કોરોનાથી સાજા થયા

દિલ્હી: ભારતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે કોરોનાના આંકડા જાહેર કર્યા. આ આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 28,326 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 260 ચેપગ્રસ્ત લોકોના મૃત્યુ થયા છે. તે જ સમયે, 24 કલાકમાં 26,032 લોકો કોરોનાથી સાજા પણ થયા છે.

કેરળમાં કોરોનાનો પ્રકોપ યથાવત

શનિવારે કેરળમાં કોવિડ -19 ના 16,671 નવા કેસ નોંધાયા અને 120 લોકોના મૃત્યુ થયા. આ સાથે, અહીં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 46,13,964 થઈ ગઈ અને મૃતકોની સંખ્યા 24,248 પર પહોંચી ગઈ. એર્નાકુલમ જિલ્લામાં ચેપના સૌથી વધુ 2,500 નવા કેસ નોંધાયા છે. દરમિયાન, શનિવારે, રાજ્યમાં 14,242 દર્દીઓ ચેપમુક્ત બન્યા, જે પછી સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 44,23,772 થઈ ગઈ.

  • India reports 28,326 new COVID cases, 26,032 recoveries, and 260 deaths in the past 24 hours.

    Active cases: 3,03,476
    Total recoveries: 3,29,02,351
    Death toll: 4,46,918

    Vaccination: 85,60,81,527 (68,42,786 in the last 24 hours) pic.twitter.com/2g3YsGlXnS

    — ANI (@ANI) September 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો : Cyclone Gulab : ઓરીસ્સા અને આંધ્ર પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું

દેશમાં 3 લાખ સક્રિય કેસ

કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 36 લાખ 52 હજાર લોકોને ચેપ લાગ્યો છે. આમાંથી 4 લાખ 46 હજાર 918 લોકોના મૃત્યુ થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 29 લાખ 2 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા લગભગ ત્રણ લાખ છે. કુલ 3 લાખ 3 હજાર લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

કુલ કેસ: 3,36,52,745

સક્રિય કેસ: 3,03,476

કુલ રીકવરી: 3,29,02,351

કુલ મૃત્યુ: 4,46,918

કુલ રસીકરણ: 85,60,81,527

આ પણ વાંચો : Amit Shah Meeting: 10 રાજયોના મુખ્યપ્રધાનો સાથે ગૃહપ્રધાન અમિત શાહની આજે બેઠક, નક્સલવાદ પર થશે ચર્ચા

85 કરોડથી વધુ રસી ડોઝ આપવામાં આવી હતી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે 23 સપ્ટેમ્બર સુધી દેશભરમાં કોરોના રસીના 85 કરોડ 60 લાખ 81 હજાર 527 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 68.42 લાખ રસીઓ આપવામાં આવી હતી. તે જ સમયે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 56.16 કરોડ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 15.92 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.33 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.78 ટકા છે. સક્રિય કેસ 0.90 ટકા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.