ETV Bharat / bharat

જાણો: કોરોનાના કેવા લક્ષણો હોય તો દર્દીઓએ હોસ્પિટલમાં જવાની જરૂર નથી

author img

By

Published : May 3, 2021, 12:42 PM IST

સામાન્ય લક્ષણો જણાય તો હોસ્પિટલ ન જવું
સામાન્ય લક્ષણો જણાય તો હોસ્પિટલ ન જવું

લોકોમાં કોરોનાનો ડર એટલો વધી ગયો છે કે, જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે તો તેઓ સીધા જ હોસ્પિટલમાં સારવાર માટે જાય છે. ચંદીગઢ PGIના ડોક્ટર કહે છે કે, કોરોના દર્દીને હોસ્પિટલ જવાની જરૂર નથી.

  • સામાન્ય લક્ષણો જણાય તો હોસ્પિટલ ન જવું
  • કોરોના પોઝિટિવ આવ્યા બાદ ગભરાવાની જરૂર નથી
  • ઓક્સિજનનું સ્તર ઘટે તો હોસ્પિટલમાં જવું

ચંડીગઢ: હરિયાણામાં કોરોના રોકાવાનું નામ નથી લેતો. દિવસની પ્રગતિ સાથે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. કોરોનાનો ડર એટલો ફેલાયો છે કે, જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે તો તે તરત જ હોસ્પિટલમાં આવે છે. આવી સ્થિતિમાં હોસ્પિટલોમાં દર્દીઓનો વધારાનો બોજ આવી રહ્યો છે.

ઘણી વખત, તે દર્દીઓ જેમને તબીબી સેવાઓની સૌથી વધુ જરૂર હોય છે તેઓ સ્થાન મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે, કોરોનાથી પીડિત ક્યા દર્દીઓએ હોસ્પિટલમાં જવાની જરૂર છે અને ક્યા દર્દીઓ ક્વોરેન્ટાઈન સેન્ટર અથવા ઘરે રહીને તેમની સારવાર મેળવી શકે છે.

આ પણ વાંચો: કોરોનાના લક્ષણ હોવા છતાં RT-PCRનો રિપોર્ટ 32 ટકા કિસ્સામાં નેગેટિવ આવી શકે છેઃ નિષ્ણાતો

હળવો તાવ આવે તો ગભરાવાની જરૂર નથી

આ સંદર્ભમાં, ETV Bharat હરિયાણાની ટીમે ચંદીગઢ PGIના પબ્લિક હેલ્થના ડોક્ટર સોનુ ગોયલ સાથે વાત કરી હતી. ડો.સોનુ ગોયલે કહ્યું કે, કોરોના હોવાનો અર્થ એ નથી કે તમારે તરત જ હોસ્પિટલમાં દાખલ થવું પડશે. આ માટે ઘણા સંજોગો ભાગ ભજવે છે. જો કોરોના પોઝિટિવ બન્યા પછી જો હળવો તાવ આવે તો ગભરાવાની જરૂર નથી. જો તાવ વધારે હોય તો ડોક્ટર સાથે વાત કરો.

આ પણ વાંચો: મહીસાગર જિલ્લામાં કોરોના કહેર યથાવત, સંક્રમિતોની સંખ્યા 45 પર પહોંચી

ઓક્સિજનનું લેવલ ચકાસો

તેમણે કહ્યું કે, વ્યક્તિએ પહેલા તેના ઓક્સિજનનું લેવલ તપાસવું જોઈએ. જો ઓક્સિજનનું સ્તર 92 કરતા વધારે હોય તો પછી હોસ્પિટલમાં જવાની જરૂર નથી. જો તેનું ઓક્સિજનનું સ્તર ઘટે છે તો તેણે તરત જ હોસ્પિટલમાં જવું જોઈએ.

ડોક્ટરની સૂચના અનુસાર સારવાર કરી શકે

ડોક્ટરે કહ્યું કે, ઘણા દર્દીઓને પણ ઝાડા થાય છે. જો ઝાડા વધારે હોય તો દર્દીએ હોસ્પિટલમાં જવું જોઈએ. આ સિવાય જો દર્દીમાં ઓક્સિજનનું સ્તર સારું હોય, તાવ વધારે ન હોય અથવા ઝાડા થવાની સમસ્યા ન હોય તો તે દર્દીને હોસ્પિટલમાં જવાની જરૂર નથી. તે ઘરે હોય ત્યારે ડોક્ટરનો સંપર્ક કરી શકે છે અને ડોક્ટરની સૂચના અનુસાર તેની સારવાર કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.