ETV Bharat / bharat

રાજસ્થાનના બુંદીમાં વરસાદની તબાહી, મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 7 સભ્યો જીવતા દટાયા

author img

By

Published : Aug 5, 2021, 8:06 AM IST

રાજસ્થાનના બુંદીમાં વરસાદની તબાહી, મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 7 સભ્યો જીવતા દટાયા
રાજસ્થાનના બુંદીમાં વરસાદની તબાહી, મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 7 સભ્યો જીવતા દટાયા

મંગળવારે મોડી રાત્રે બુંદીના કેશોરાયપાટનમાં એક મકાન ધરાશાયી થયું હતું, જેમાં સમગ્ર પરિવાર કાટમાળ નીચે દટાયો હતો. અકસ્માતમાં પરિવારના 7 સભ્યોના મોત થયા હતા.

  • રાજેસ્થાનમાં વરસતો વરસાદ જીવલેણ સાબિત થયો
  • કેશોરાયપાટન શહેરના ઘાટ રોડ પર મોટો અકસ્માત સર્જાયો
  • અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યા

કેશોરાયપાટન (બુંદી): રાજેસ્થાનના આ વિસ્તારમાં સતત વરસતો વરસાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. મોડી રાત્રે કેશોરાયપાટન શહેરના ઘાટ રોડ પર મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં નગરપાલિકાની સુરક્ષા દિવાલ ટેકરા પાસેના એક મકાન પર પડી હતી. આ ઘટનામાં ઘરમાં સૂતેલો આખો પરિવાર કાટમાળ નીચે દટાયો હતો.

રાજસ્થાનના બુંદીમાં વરસાદની તબાહી, મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 7 સભ્યો જીવતા દટાયા

રાજેસ્થાનના કેશોરાયપાટનમાં બની અકસ્માતની ઘટના

આ અકસ્માતમાં પરિવારના 7 લોકોના મોત થયા છે. સ્થળ પર પહોંચેલી પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને એક મહિલા અને એક બાળકીને બહાર કાઠવામાં આવી હતી, જેમને ગંભીર હાલતમાં કોટા રિફર કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન મહિલા અને બાળકીનું મોત થયું હતું. જ્યારે NDRF અને સિવિલ ડિફેન્સની ટીમે અન્ય 5 લોકોને શોધવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ પણ વાંચો:Maharashtra Accident: તોરણમાળની ખીણમાં ખાનગી વાહન ખાબકતા 8ના મોત, 15 ઈજાગ્રસ્ત

રેસ્ક્યૂ ઓપરેશન લગભગ 10 કલાક સુધી ચાલ્યું હતું

આ ઓપરેશન લગભગ 10 કલાક સુધી ચાલ્યું હતું. પરિવારના બાકીના સભ્યોના મૃતદેહ બહાર કાઠવામાં આવ્યા છે. એક જ પરિવારના 7 સભ્યોના મોતને કારણે શહેરમાં વાતાવરણ અંધકારમય બની ગયું હતું. મહેન્દ્ર કેવટ અને તેમનો આખો પરિવાર આ અકસ્માતનો ભોગ બન્યા હતા. રાત્રે જ્યારે ઘર પર દીવાલ પડી ત્યારે જોરદાર વિસ્ફોટ થયો હતો. જ્યારે પડોશીઓ ઘટનાસ્થળે દોડી ગયા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે કેશોરાઇપાટણ પોલીસને જાણ કરી હતી. પોલીસે તરત જ પડોશીઓ અને નગરપાલિકાના કેટલાક કર્મચારીઓની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. જેમાં એક મહિલા અને બાળકને બહાર કાઢવામાં આવ્યા હતા.

પાલિકાનું જેસીબી સમયસર ન મળવાને કારણે લોકોમાં રોષ

પાલિકાનું જેસીબી સમયસર ન મળવાને કારણે લોકોમાં રોષ પણ હતો. જેસીબી સવારે 5.30 વાગ્યે ઉપલબ્ધ હતું. આ પછી બચાવ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક નીતિરાજ સિંહ અને નગરપાલિકા પ્રમુખ કન્હૈયાલાલ કરાડ ઘટનાસ્થળે હાજર હતા. બાદમાં, જિલ્લા કલેક્ટર આશિષ ગુપ્તા અને એસપી શિવરાજ મીણાએ પણ ઘટનાસ્થળની તપાસ કરી હતી.

આ પણા વાંચો: અમેરિકાના ફ્લોરિડામાં ધરાશાયી ઈમારતના કાટમાળમાંથી વધુ 2 મૃતદેહ મળ્યા

આ ઘટનામાં 7 ના મોત

આ અકસ્માતમાં મહેન્દ્ર કેવત (40), અનિતા (35), મીરા, તમન્ના, ખુશી, દીપિકા અને કાન્હાના મોત થયા હતા. જ્યારે આખા કુટુંબના 7 સભ્યોનીા એક સાથે અર્થિ ઉઠી હતી. જયારે ગામમાં કહેર મચી ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.