ETV Bharat / bharat

Jammu- Kashmir: બડગામ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા, હથિયારો કરાયા જપ્ત

author img

By

Published : Jan 7, 2022, 10:01 AM IST

સુરક્ષા દળોએ બડગામમાં 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે (Three Terrorist Killed in Budgam Encounter). ઉલ્લેખનીય કે, સુરક્ષા દળોને જોલવા ક્રાલપોરા ચદૂરામાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. આ પછી આ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે ઘણા આતંકવાદીઓ (Encounter in budgam) હોવાની આશંકા છે. ગુરુવારે રાત્રે શરૂ થયેલી કામગીરી હજુ પણ ચાલુ છે.

One Terrorist Killed in Budgam Encounter
One Terrorist Killed in Budgam Encounter

બડગામઃ જમ્મુ- કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર (Three Terrorist Killed in Budgam Encounter) કર્યા છે. બડગામના જોલવા ક્રાલપોરા ચદૂરા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સેનાએ આતંકીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. માહિતી અનુસાર સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ મેળવવામાં આવી રહી છે.

એન્કાઉન્ટર બડગામના ચદૂરા વિસ્તારમાં થયું હતું

જમ્મુ- કાશ્મીરના બડગામમાં ગુરુવારથી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ (Encounter in budgam) ચાલી રહી છે. આ એન્કાઉન્ટર બડગામના ચદૂરા વિસ્તારમાં થયું હતું. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ઘટનાસ્થળે ઘણા આતંકવાદીઓ (encounter between terrorists and security forces) હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં એક આતંકવાદી માર્યા ગયાના અહેવાલ છે.

આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર હજુ પણ ચાલુ છે: સેના અધિકારી

સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોને ક્રાલપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. આ પછી સુરક્ષા દળોએ સંયુક્ત રીતે ચેકિંગ શરૂ કર્યું હતું. સુરક્ષા દળો દ્વારા ઘેરાયેલા હોવાથી આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ પછી ઓપરેશન શરૂ કરવામાં આવે છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર હજુ પણ ચાલુ છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયેલા છે.

કુલગામ જિલ્લામાં ફાયરિંગમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા

ઉલ્લેખનીય છે કે, 2022ના પહેલા સપ્તાહ દરમિયાન રાજધાની શહેર શ્રીનગરમાં બે ઉપરાંત દક્ષિણ કાશ્મીરના પુલવામા અને કુલગામ જિલ્લામાં ફાયરિંગમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમજ કુપવાડા અને જમ્મુમાં બે ઘૂસણખોરો માર્યા ગયા છે.

આ પણ વાંચો: Modi in Bhatinda: CMનો આભાર કે હું જીવતો પરત ફરી શક્યો', શું ચૂંટણીમાં પણ વડાપ્રધાનનું નિવેદન મુદ્દો બનશે?

આ પણ વાંચો: Earthquake in Nepal: નેપાળમાં ભૂકંપ, કોઈ જાનહાની નહીં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.