ETV Bharat / bharat

Complaint against Sanjay Raut: પૂર્વ મેયર મીનાક્ષી શિંદેની ફરિયાદ પછી શિવસેના સાંસદ સામે કેસ દાખલ

author img

By

Published : Feb 23, 2023, 5:23 PM IST

Complaint against Sanjay Raut: પૂર્વ મેયર મીનાક્ષી શિંદેની ફરિયાદ પછી શિવસેના સાંસદ સામે કેસ દાખલ
Complaint against Sanjay Raut: પૂર્વ મેયર મીનાક્ષી શિંદેની ફરિયાદ પછી શિવસેના સાંસદ સામે કેસ દાખલ

થાણેના પૂર્વ મેયર મીનાક્ષી શિંદેએ શિવસેના સાંસદ સંજય રાઉત સામે કેસ નોંધાવ્યો હતો. સાથે જ તેમણે સાંસદ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.

થાણેઃ શિવસેના સાંસદ સંજય રાઉતે 2 દિવસ પહેલાં જ સાંસદ સંજય રાઉતે થાણે પોલીસ કમિશનરને પત્ર લખીને જાણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની હત્યાનું કાવતરું થઈ રહ્યું છે. ત્યારે હવે સંજય રાઉત સામે થાણેના કપૂરવાડી પોલીસ સ્ટેશનમાં આ કૃત્યનો આરોપ લગાવીને કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ થાણેના પૂર્વ મેયર મીનાક્ષી શિંદેએ નોંધાવ્યો છે.

આ પણ વાંચોઃ PM Modi webinar on Budget : પીએમ મોદીએ બજેટ બાદના પહેલા સંબોધનમાં ગ્રીન ગ્રોથ સંકલ્પનાઓની છણાવટ કરી

કપૂરબાવાડી પોલીસે નોંધી સંજય રાઉત સામે ફરિયાદઃ મળતી માહિતી અનુસાર, બુધવારે મોડી રાત્રે થાણેના કપૂરબાવાડી પોલીસ સ્ટેશનમાં સાંસદ સંજય રાઉત વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. સાંસદ સંજય રાઉતે શ્રીકાંત શિંદે પર સોપારી આપવાનો આરોપ લગાવ્યા બાદ પૂર્વ મેયર મીનાક્ષી શિંદેએ સંજય રાઉતના પાયાવિહોણા નિવેદન સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની નોંધ લેતા સંજય રાઉત વિરૂદ્ધ કપૂરબાવાડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

સંજય રાઉત સામે ગંભીર આક્ષેપ
સંજય રાઉત સામે ગંભીર આક્ષેપ

સંજય રાઉત સામે નોંધાયો કેસઃ શિવસેના સાંસદ સંજય રાઉત વિરૂદ્ધ IPC કલમ 211, 153 (a), 501, 504, 505 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સાંસદ શ્રીકાંત શિંદેને બદનામ કરવા, વિખવાદ ઊભો કરવા, સમાજમાં દુશ્મનાવટ ઊભી કરવા, ખોટા પત્રો આપવાની ફરિયાદ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તો પૂર્વ મેયર મીનાક્ષી શિંદેએ ટીકા કરી છે કે, તેઓ તસવીરોને બદનામ કરવા અંગે વાંધાજનક નિવેદનો કરી રહ્યા છે. સાંસદ સંજય રાઉત દ્વારા દાખલ કરાયેલી લેખિત ફરિયાદ પર તેમનો જવાબ રેકોર્ડ કર્યો અને બુધવારે રાત્રે મીનાક્ષી શિંદેની ફરિયાદના આધારે સંજય રાઉત વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Supreme Court On Pawan Khera: કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાને રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન

રાજા ઠાકુરનાં પત્નીએ નોંધાવી ફરિયાદઃ તો સાંસદ સંજય રાઉતના આ પત્રમાં જણાવ્યા મુજબ, રાજા ઠાકુરનાં પત્ની પૂજા ઠાકૂરે મંગળવારે રાત્રે કપૂર બાવડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. શિંદે જૂથના પ્રવક્તા નરેશ મસ્કે દાવો કર્યો હતો કે, સંજય રાઉત સમય કાઢી રહ્યા છે અને તેમણે ટીકા પણ કરી હતી કે, તેઓ દરરોજ સવારે બકબક કરતા હતા.

થાણે પોલીસે સંજય રાઉતનો જવાબ નોંધ્યો હતોઃ સાંસદ સંજય રાઉત દ્વારા દાખલ કરાયેલી લેખિત ફરિયાદ પર તેમનો જવાબ રેકોર્ડ કર્યો અને બુધવારે રાત્રે મીનાક્ષી શિંદેની ફરિયાદના આધારે સંજય રાઉત વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. રાજા ઠાકૂરના પરિવારે આ ફરિયાદ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.