repeal farm law: અરવિંદ કુમાર શર્માના રિપોર્ટ પર વડાપ્રધાન મોદીએ કૃષિ કાયદાને પાછો ખેંચવાનો લીધો નિર્ણય

author img

By

Published : Nov 21, 2021, 10:27 AM IST

FARM LAWS REPEAL

ભૂતપૂર્વ IAS અને BJP MLC અરવિંદ કુમાર શર્મા (IAS AK SHARMA REPORT) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) મળ્યા હતા અને તેમને રિપોર્ટ સોંપ્યો હતો. સૂત્રોનું માનીએ તો તે અહેવાલમાં 40થી વધુ જિલ્લાઓની જમીની વાસ્તવિકતા કોઈપણ પ્રકારની છેડછાડ વિના રજૂ કરવામાં આવી હતી, જેનાથી વડાપ્રધાન પણ નારાજ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આના પર સંપૂર્ણ વિચાર- મંથન પછી કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય (FARM LAWS REPEAL DECISION) લેવામાં આવ્યો છે.

  • ભૂતપૂર્વ IAS અને BJP MLC અરવિંદ કુમાર શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા
  • અરવિંદ કુમાર શર્માએ નરેન્દ્ર મોદીને રિપોર્ટ સોંપ્યો હતો
  • શર્માના રિપોર્ટ પર વડાપ્રધાને કૃષિ કાયદાને પાછો ખેંચવાનો લીધો નિર્ણય

હૈદરાબાદ: એક રાતમાં કોઈ નિર્ણય લેવામાં આવતો નથી પરંતુ તે રિપોર્ટ જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ નારાજ થઈ ગયા હતા. ઉતાવળમાં મીટીંગ બોલાવવામાં આવી હતી, જેથી ભવિષ્યના બગડતા ગ્રહોને સુધારીને કોઈ રીતે આપત્તિને દૂર કરી શકાય. હકીકતમાં 9 નવેમ્બરના રોજ પૂર્વ IAS અને BJP MLC અરવિંદ કુમાર શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને એક રિપોર્ટ (IAS AK SHARMA REPORT) સોંપ્યો હતો. સૂત્રોનું માનીએ તો 40થી વધુ જિલ્લાઓની જમીની વાસ્તવિકતાએ અહેવાલમાં કોઈપણ પ્રકારની છેડછાડ વિના રજૂ કરવામાં આવી હતી, જેનાથી વડાપ્રધાન પણ નારાજ હતા.

શર્માના રિપોર્ટ પર વડાપ્રધાન મોદીએ કૃષિ કાયદાને પાછો ખેંચવાનો લીધો નિર્ણય
શર્માના રિપોર્ટ પર વડાપ્રધાન મોદીએ કૃષિ કાયદાને પાછો ખેંચવાનો લીધો નિર્ણય

દિલ્હીમાં 18 નવેમ્બરે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘણા એવા નિર્ણયો છે, જેના વિશે જ્યાં સુધી મોદી પોતે ન બોલે ત્યાં સુધી કોઈને કંઈપણ ખબર નથી હોતી. ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના નિર્ણય (FARM LAWS REPEAL DECISION) સાથે પણ કંઈક આવું જ થયું છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે, ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય અચાનક નહીં પરંતુ લાંબા વિચાર- મંથન પછી લેવાયો છે. નિર્ણય પહેલા દિલ્હીમાં 18 નવેમ્બરે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના (BJP president JP Nadda) નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. તે પહેલા વડાપ્રધાન મોદીના આંતરિક સર્વેનો જે રિપોર્ટ તેમને સુપરત કરવામાં આવ્યો હતો તેના પર પાર્ટીના ટોચના નેતાઓએ ચર્ચા કરી હતી અને પછી સર્વાનુમતે નિર્ણય લીધો હતો. ખરેખર સર્વે બાદ જે રિપોર્ટ સામે આવ્યો છે તે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ પર કરવામાં આવ્યો હતો. ભાજપ માટે પડકાર કરતાં તમામ રાજકીય શક્યતાઓ ચકાસ્યા બાદ અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) નિર્ણય લીધો કે જો ઉત્તર પ્રદેશ સહિતના આ રાજ્યોમાં ચૂંટણી જીતવી હોય તો ખેડૂતોની નારાજગી દૂર કરવી પડશે.

આ પણ વાંચો: સમગ્ર ગુજરાતમાં બનશે ઉમિયાધામના 60 કરતા વધુ સંસ્થાનો

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી માટે આ એક સંપૂર્ણ આયોજન હતું

અંતે તેમની પરિચિત શૈલીમાં દેશને આશ્ચર્યજનક સંબોધનમાં તેમણે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી તેમજ માફી માગી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં (Arvind Kumar Sharma gave the report to Modi) રાખીને પાર્ટી માટે આ એક સંપૂર્ણ આયોજન હતું. જેથી નારાજ ખેડૂતોને ફરીથી ખુશ કરીને મતોનું બગડતું ગણિત માર્કેટિંગ દ્વારા સુધારી શકાય.

આ પણ વાંચો: વડોદરા દુષ્કર્મ કેસ: નવસારીની પીડિતાના મેસેજથી આત્મહત્યાને બદલે હત્યાની શક્યતા વધી

શાહને પશ્ચિમ યુપી અને રાજનાથને કાશી- અવધ

અહીં આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુપીને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના (BJP president JP Nadda) ઘરે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સંગઠન પ્રધાન બી.એલ.સંતોષ, પ્રદેશ પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, રાધા મોહન સિંહ, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, સંગઠન પ્રદેશ સુનીલ બંસલ સહિત અનેક મોટા નેતાઓ સામેલ થયા હતા. વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. તેમજ પ્રાંતને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો હતો. જેમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાને કાનપુર અને ગોરખપુર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને વારાણસી અને અવધના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. સૌથી મહત્વની જવાબદારી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને આપવામાં આવી હતી. તેમને વ્રજની સાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશની કમાન સોંપવામાં આવી છે.

અમિત શાહ બાકીના ઘા પર પોતાની રીતે પાટો બાંધશે

આ રીતે અમિત શાહને પાર્ટીના મુશ્કેલી નિવારક માનવામાં આવે છે. શાહ પોતાના આક્રમક વલણથી વાતાવરણ બદલવાની ક્ષમતા ધરાવે છે. તો બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં નારાજ ખેડૂતો, જાટ અને ગુર્જરોને ભાજપ તરફ આકર્ષવા માટે શાહ એકમાત્ર યોગ્ય નેતા છે. આ જ કારણ છે કે શાહને પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. અગાઉ 2014, 2017 અને 2019ની ચૂંટણીમાં શાહ અહીં રાજકીય જાદુ બતાવી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચીને ખેડૂતોના ઘા રુઝાવવાનું કામ કર્યું છે. આવી સ્થિતિમાં અમિત શાહ બાકીના ઘા પર પોતાની રીતે પાટો બાંધશે.

શર્માએ વડાપ્રધાનને 40થી વધુ જિલ્લાઓનો અહેવાલ સોંપ્યો

ભૂતપૂર્વ IAS અને વડાપ્રધાનના સૌથી વિશેષ માનવામાં આવતા અરવિંદ કુમાર શર્મા તેમને મળ્યા અને તેમને 40થી વધુ જિલ્લાઓનો અહેવાલ સોંપ્યો હતો. જેમાં તેમના પૂર્વાંચલથી પશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધીના જિલ્લાઓના પ્રવાસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે, શર્માની વારંવારની મુલાકાતો દરમિયાન સરકાર પ્રત્યે ખેડૂતો અને લોકોના અભિપ્રાય શું છે તે જાણવા માટે એક સર્વે કરવામાં આવ્યો હતો. જેનો અહેવાલ (IAS AK SHARMA REPORT) તેમણે વડાપ્રધાનને સુપરત કર્યો છે. જોકે આ રિપોર્ટમાં શું છે ? આ વિશે કોઈને કંઈ ખબર નથી પરંતુ જ્યારે શર્મા વડાપ્રધાનને મળ્યા હતા ત્યારે તેમણે ટ્વીટ કરીને તેની માહિતી આપી હતી. હાલમાં તેમનો રાજ્ય પ્રવાસ ચાલી રહ્યો છે અને પાર્ટીના સૂત્રોનું માનીએ તો શર્મા ટૂંક સમયમાં બીજો રિપોર્ટ આપવા જઈ રહ્યા છે.

8 ડિસેમ્બરથી રથયાત્રાની તૈયારી

હવે ભાજપે રથયાત્રાનો પ્લાન તૈયાર કર્યો છે. 8મી ડિસેમ્બરથી પશ્ચિમ યુપીથી રથયાત્રા શરૂ થવા જઈ રહી છે. જોકે આ રથયાત્રા સમગ્ર રાજ્યમાંથી નીકળશે પરંતુ તેના લોન્ચિંગ માટે પશ્ચિમ યુપીના સહારનપુર જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આ રથયાત્રા 25 ડિસેમ્બરે રાજધાની લખનૌમાં સમાપ્ત થશે અને સમાપન દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મોટી જનસભાને સંબોધિત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.