ETV Bharat / bharat

Terrorist News: આતંકવાદીઓનો હતો અયોધ્યા-વારાણસીમાં મોટો બલાસ્ટ કરવાનો પ્લાન, આ રીતે દબોચી લીધા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 4:01 PM IST

આતંકવાદીઓનો હતો અયોધ્યા-વારાણસીમાં મોટો બલાસ્ટ કરવાનો પ્લાન, આ રીતે દબોચી લીધા
આતંકવાદીઓનો હતો અયોધ્યા-વારાણસીમાં મોટો બલાસ્ટ કરવાનો પ્લાન, આ રીતે દબોચી લીધા

દિલ્હીના સ્પેશિયલ સેલે ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય આરોપીઓ દિલ્હી, મુરાદાબાદ અને લખનૌથી પકડાયા હોવાની વિગતો મળી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ લખનઉમાંથી ધરપકડ કરાયેલો રિઝવાન કોમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક પાસ છે. શું હતો ત્રણેય આરોપીઓનો પ્લાન, આવો જાણીએ.

લખનૌ: અયોધ્યામાં રામનું મંદિર તૈયાર થઈ રહ્યું છે. તો બીજી તરફ દિવાળી 2023 પર દિલ્હીના અક્ષરધામ મંદિર અને અયોધ્યામાં મોટો આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાની વિગતો દિલ્હીના સ્પેશિયલ સેલને મળી હતી. જે બાદ આતંકવાદીઓની આ નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવીને ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર: આતંકવાદી સંગઠને રિઝવાનને અયોધ્યા, વારાણસી સહિત અનેક શહેરોની રેક ચલાવવાની જવાબદારી આપી હતી. આ જ કારણ છે કે તે આઝમગઢથી આવ્યો હતો. લખનઉના સઆદતગંજ વિસ્તારમાં ભાડાના મકાનમાં પત્ની સાથે રહેતો હતો. જો કે, દિલ્હીની સ્પેશિયલ સેલ લખનૌમાં રહીને રિઝવાન પાસેથી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે લખનૌમાં રહીને ક્યાં રેક કરી હતી અને તેણે કયું કાવતરું ઘડ્યું હતું.

ત્રણ આતંકવાદીઓની ધરપકડ: શાહનવાઝની દિલ્હીના જેતપુરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેના સહયોગી મોહમ્મદ રિઝવાન અશરફની લખનૌથી અને મોહમ્મદ અરશદ વારસીની મુરાદાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન એ વાત સામે આવી છે કે શાહનવાઝ, રિઝવાન અને અરશદને લશ્કર-એ-તૈયબાએ ISISના નામે ભરતી કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય આરોપીઓએ દિલ્હી, અયોધ્યા સહિત અનેક શહેરોમાં બોમ્બ બ્લાસ્ટની યોજના ઘડી હતી.

શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાની ધરપકડ: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના મોસ્ટ વોન્ટેડ આતંકી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાની ધરપકડ કરી છે. NIAએ શાહનવાઝ પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પુણે કેસમાં ફરાર શાહનવાઝ દિલ્હીનો રહેવાસી છે અને વ્યવસાયે એન્જિનિયર છે. તે પુણે પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો અને દિલ્હીમાં રહીને મોટી આતંકી ઘટનાની યોજના બનાવી રહ્યો હતો.

  1. Ram Mandir Replica Trend : અમદાવાદમાં અયોધ્યા રામ મંદિર પ્રતિકૃતિ ગિફ્ટ આર્ટિકલ તરીકે હોટ ફેવરિટ બની
  2. Ayodhya News: આંધ્રમાં માતા સીતા માટે બનેલી 16 કિલોની સાડી પર 32200 વાર લખાયું શ્રીરામ, જુઓ વીડિયો
  3. Ram Navami Shobha Yatra 2022: જૂનાગઢમાં રામનવમીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન, રામ મંદિરની પ્રતિકૃતિ બનશે વિશેષ આકર્ષણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.