ETV Bharat / bharat

તામિલનાડુમાં ભારે વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત, મિચોંગ વાવાઝોડાની આંધ્રપ્રદેશમાં અસર

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2023, 9:32 AM IST

Updated : Dec 5, 2023, 12:37 PM IST

તામિલનાડુંમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત
તામિલનાડુંમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત

તામિલનાડુંમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે, રાજ્યના ઘણા જિલ્લાઓ જળબંબાકાર બની ગયા છે. ચેન્નાઈના લોકપ્રિય મરીના બીચમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે માઉન્ટ રોડ અને મરીના બીચથી સંકળાયેલ માર્ગ અવરોધાયો છે. રાજ્ય સરકારે લોકોને તકેદારી રાખવાનું સુચન કર્યુ છે.

ચેન્નાઈ: ચેન્નાઈ સીઝન સાયન્સ સેન્ટરે મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ મધ્યમ વરસાદ, વાવાઝોડું અને વીજ પુરવઠાને લઈને આગાહી કરી છે. પ્રાદેશિક કેન્દ્રએ એક જાહેર વિજ્ઞપ્તીમાં જણાવ્યું છે કે, તમિલનાડુના ચેન્નાઈ, તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, રાનીપેટ અને વેલ્લોર જિલ્લામાં મધ્યમ વરસાદ સાથે હળવું ચક્રવાત અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તમિલનાડુના તિરુપત્તુર, તિરુવન્નામલાઈ, વિલ્લુપુરમ અને કન્યાકુમારી જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ પર પણ આ અંગેની આગાહી વ્યક્ત કરી છે.

ચક્રવાત મિચોંગ, જે બંગાળની ખાડીના પશ્ચિમ કિનારે, દક્ષિણ આંધ્ર પ્રદેશ અને નજીકના ઉત્તરી તમિલનાડુના દરિયાકિનારા પર કેન્દ્રિત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ગંભીર ચક્રવાત મંગળવારે સવારે નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચેના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને સોમવારે ચક્રવાત વચ્ચે ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગે પૂછપરછ કરી હતી. સાથે જ રાજ્યમાં ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરી અને વાવાઝોડાની તાત્કાલિક અસરને પહોંચી વળવા માટે રાજ્યની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી.

  • India Meteorological Department tweets, "Severe Cyclonic Storm MICHAUNG over Westcentral Bay of Bengal off south Andhra Pradesh and adjoining north Tamilnadu coasts moved north-northwestwards with a speed of 07 kmph during past 06 hours and lay centered at 0230 hours IST of 5… pic.twitter.com/LhezdiV180

    — ANI (@ANI) December 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુખ્યમંત્રીએ રાજ્યના મંત્રીઓ શેખર બાબુ, કેએન નેહરુ અને ઇવી વેલુ અને ડીએમકેના ધારાસભ્યો ડૉ. એઝિલન, કરુણાનિધિ, ઇ પરંદમન અને એસ અરવિંદ રમેશને પણ ટેલિફોન કરીને રાહત શિબિરોમાં આશ્રય લઈ રહેલા નાગરિકોને આપવામાં આવતું ભોજન અને અન્ય સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. ચક્રવાતી તોફાન મિચોંગની અસર તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પણ જોવા મળી રહી છે. આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં સોમવારે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. આ વાવાઝોડું મંગળવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. નીચાણવાળા વિસ્તારો અને ઘણા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે તંત્રના કામદારો ભરાયેલા વરસાદી પાણીને કાઢવામાં વ્યસ્ત છે. ગુદુરના ઘણા વિસ્તારોમાં ભારે પવનની સાથે મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે, જેના કારણે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને ઈન્ટરનેટ સેવા પણ ખોરવાઈ ગઈ હતી.

આંધ્રપ્રદેશના વેંકટગિરીથી નેલ્લોર જઈ રહેલ એક પરિવાર પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાઈ ગયો હતો. NDIF એ તામિલનાડુના મંગડુ, તિરુવલ્લુરમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં બચાવ અને સ્થળાંતર કામગીરી હાથ ધરી હતી અને લોકોને આશ્રય ગૃહોમાં પણ ખસેડ્યા હતા.

  • Tamil Nadu Chief Minister MK Stalin dialled TamilNadu Ministers PK Sekar Babu, KN Nehru and EV Velu and took stock of damages caused by #CycloneMichaung and relief and rescue operations that are underway. He inquired about the food and facilities that are being provided to the… pic.twitter.com/7ISKWoBpNC

    — ANI (@ANI) December 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આંધ્રપ્રદેશ અને તમિલનાડુની સરહદ પર બનેલો પિચાટૂર ડેમ પોતાની સંપૂર્ણ ક્ષમતા 281 ફૂટથી થોડો જ ઓછો 277 ફૂટ સુધી પહોંચી ગયો છે. અરણી નદીમાં ત્રણ હજાર ઘનફૂટ પાણી છોડવામાં આવ્યું છે. તિરુવલ્લુર જિલ્લા પ્રશાસને અરણી નદીને લઈને તમિલનાડુ માર્ગ પર ઉથુકોટ્ટાઈ પનાપ્પક્કમ, પેરિયાપલયમ, અરાની, પોનેરી સહિત 50 ગામો માટે પૂરની ચેતવણી જાહેર કરી છે. પાણી વધુ વધવાની સંભાવના હોવાથી લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે. પાટા પર પાણી જમા થવાને કારણે ચેન્નાઈ સેન્ટ્રલ સ્ટેશન પર તમામ લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.

  • #WATCH | Tamil Nadu | Koovam river rages as water from nearby lakes released into it due to heavy rainfall in the city in the wake of Severe Cyclonic Storm Michaung.

    Michaung is likely to make landfall today on the southern coast of Andhra Pradesh between Nellore and… pic.twitter.com/NyYMpKOLMg

    — ANI (@ANI) December 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  1. અમિત શાહે ચક્રવાત મિચોંગને લઈને તમિલનાડુ, આંધ્ર અને પુડુચેરીના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી
  2. ચેન્નાઈથી 90 કિમી દૂર વાવાઝોડું 'મિચોંગ', 120થી વધુ ટ્રેનો રદ, પાણી ભરાઈ જતાં એરપોર્ટ બંધ
Last Updated :Dec 5, 2023, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.