ETV Bharat / bharat

ફોજદારી કેસ બરતરફીની લાલચમાં ભારતીય નાગરિકે પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું, યુએસ પ્રોસિક્યુટરનો આરોપ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2023, 8:00 PM IST

ફોજદારી કેસ બરતરફીની લાલચમાં ભારતીય નાગરિકે પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું, યુએસ પ્રોસિક્યુટરનો આરોપ
ફોજદારી કેસ બરતરફીની લાલચમાં ભારતીય નાગરિકે પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું, યુએસ પ્રોસિક્યુટરનો આરોપ

અમેરિકન નાગરિક અને શીખ અલગતાવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરાના કેસમાં સંઘીય વકીલોએ આરોપ લગાવ્યો હતો કે આરોપી ભારતીય નાગરિકને અમેરિકન ધરતી પર હત્યાની યોજનાના સંબંધમાં ગુજરાતમાં ચાલી રહેલા ફોજદારી કેસમાંથી મુક્તિ આપવાની લાલચ આપવામાં આવી હતી.

ન્યૂયોર્ક: અમેરિકામાં ફેડરલ પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો છે કે યુએસમાં એક શીખ અલગતાવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડનાર ભારતીય નાગરિકે ગુજરાતમાં તેની સામેના ફોજદારી કેસને બરતરફ કરવામાં આવશે તેવી ખાતરી અપાયાં બાદ કાવતરામાં ભાગ લેવાનું સ્વીકાર્યું હતું. બુધવારે યુએસ કોર્ટમાં જારી કરાયેલી ફરિયાદ પક્ષની ચાર્જશીટ મુજબ, નિખિલ ગુપ્તા (52) પર ન્યૂયોર્ક સિટીમાં એક અમેરિકન નાગરિકની હત્યાના નિષ્ફળ કાવતરામાં શામેલ હોવાનો આરોપ છે.

ફાઇનાન્સિયલ ટાઇમ્સનો અહેવાલ જોકે તેમાં કયા અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું તે બહાર આવ્યું નથી. ફાઇનાન્સિયલ ટાઇમ્સ અખબારે અજાણ્યા સૂત્રોને ટાંકીને ગયા અઠવાડિયે સમાચાર જાહેર કર્યા હતા કે અમેરિકી અધિકારીઓએ પ્રતિબંધિત સંગઠન શીખ્સ ફોર જસ્ટિસના ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું અને આ કાવતરામાં ભારત સરકારની સંડોવણી હોવાની આશંકા હતી. ટ્રાયલમાં વર્ણવવામાં આવ્યું છે કે કેવી રીતે ગુપ્તાને ખાતરી આપવામાં આવી કે ગુજરાતમાં તેમની સામે નોંધાયેલ ફોજદારી કેસ કાઢી નાખવામાં આવશે. આ લાલચ અપાયા પછી હત્યાનું કાવતરું કરવા માટે સંમત થયાં. પ્રોસિક્યુશનની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે 'સીસી-1 અને ગુપ્તા વચ્ચે મે 2023માં શરૂ થયેલી ટેલિફોન અને ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન્સમાં CC-1 એ ગુપ્તાને ભારતમાં તેમની વિરુદ્ધ ફોજદારી કેસ સમાપ્ત કરાવવાની ખાતરીના બદલામાં ગુપ્તા દ્વારા પીડિતાની ગુરપતવંતસિંહ પન્નુની હત્યાની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું હતું.

નિખિલ ગુપ્તા પર આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર ચાર્જશીટમાં વધુમાં જણાવ્યું હતું કે ' ગુપ્તા હત્યાનું કાવતરું ઘડવા માટે સંમત થયા હતા. આ પછી, ગુપ્તા ષડયંત્રને અમલમાં મૂકવા માટે નવી દિલ્હીમાં સીસી-1ને વ્યક્તિગત રીતે મળ્યા હતાં. પ્રોસિક્યુટર્સે દાવો કર્યો છે કે સીસી-1 એ ભારતીય સરકારી કર્મચારી છે જેણે યુએસની ધરતી પર હત્યા કરવા માટે ભારતમાંથી કાવતરું રચ્યું હતું. નિખિલ ગુપ્તા પર આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર તરીકે આરોપ મૂકવામાં આવ્યો છે અને કાવતરામાં સંડોવણીના આરોપોનો સામનો કરવો પડ્યો છે. જૂન 2023માં યુએસની વિનંતી પર તેની ચેક રિપબ્લિકમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

શું છે મામલો : તમને જણાવી દઈએ કે અમેરિકામાં ફેડરલ પ્રોસિક્યુટર્સે બુધવારે એક ભારતીય નાગરિક પર એક શીખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ ષડયંત્રમાં શામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. યુએસ એટર્ની મેથ્યુ જી. ઓલસેને બુધવારે કહ્યું હતું કે નિખિલ ગુપ્તા (52) પર હત્યાનો કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં મહત્તમ 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. ગુપ્તા પર કોન્ટ્રાક્ટ આપીને હત્યાનું કાવતરું ઘડવાનો પણ આરોપ છે. આ આરોપમાં મહત્તમ 10 વર્ષની જેલની સજા પણ છે. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી નિખિલ ગુપ્તાએ ન્યૂયોર્ક સિટીમાં રહેતા એક શીખ અલગતાવાદી નેતાની હત્યા માટે હત્યારાને એક લાખ યુએસ ડોલર ચૂકવ્યા હોવાનું કબૂલ્યું હતું. આરોપો અનુસાર 9 જૂન, 2023 ના રોજ અથવા તેની આસપાસ ગુપ્તાએ હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તેે માટે એડવાન્સ પેમેન્ટ તરીકે તેણે મેનહટન, ન્યૂ યોર્કમાં હત્યારાને 15,000 અમેરિકન ડોલર રોકડ આપવા માટે સહયોગીની વ્યવસ્થા પણ કરી હતી.

  1. Khalistani Pannu Video: ખાલિસ્તાની આતંકી પન્નુએ 19 નવેમ્બરે એર ઈન્ડિયાના વિમાનોમાં બ્લાસ્ટ કરવાની આપી ધમકી
  2. Delhi Crime: દિલ્હી પોલીસે ખાલીસ્તાની આતંકવાદીઓને શોધવા જાહેર સ્થળો પર પોસ્ટર લગાવ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.