ETV Bharat / bharat

કોરોના વાઈરસથી સંક્રમિત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું નિધન

author img

By

Published : May 16, 2021, 10:13 AM IST

Updated : May 16, 2021, 11:49 AM IST

Rajeev Satav
Rajeev Satav

કોરોના વાયરસથી સંક્રમિત કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સભ્ય રાજીવ સાતવનું નિધન થયું છે. 46 વર્ષની વયે પુણેની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

  • કોરોના વાઈરસથી સંક્રમિત કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવનું નિધન
  • કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સભ્ય રાજીવ સાતવનું 46 વર્ષની વયે નિધન
  • કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી આપી માહિતી

પુણે: કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સભ્ય રાજીવ સાતવનું 46 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોરોના વાયરસ સામે લડી રહ્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને તેમના નિધનની જાણકારી આપી છે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાનું ટ્વિટ

કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને તેમના નિધનની જાણકારી આપી. સુરજેવાલાએ રાજીવ સાતવના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું કે, 'નિશબ્દ! આજે એક એવા સાથી ગુમાવી દીધા જેમણે જાહેર જીવનનું પહેલું પગલું યુવા કૉંગ્રેસમાં મારી સાથે ભર્યું અને આજ સુધી એક સાથે ચાલ્યા પણ આજે...સાતવની સાદગી, બેબાક સ્મીત, જમીન સાથે જોડાણ, નેતૃત્વ અને પાર્ટી સાથે નિષ્ઠા અને દોસ્તી સદા યાદ આવશે. અલવિદા મારા દોસ્ત! જ્યાં રહો, ચમકતા રહો!!!'

  • निशब्द !

    आज एक ऐसा साथी खो दिया जिसने सार्वजनिक जीवन का पहला कदम युवा कांग्रेस में मेरे साथ रखा और आज तक साथ चले पर आज...

    राजीव सातव की सादगी, बेबाक़ मुस्कराहट, ज़मीनी जुड़ाव, नेत्रत्व और पार्टी से निष्ठा और दोस्ती सदा याद आयेंगी।

    अलविदा मेरे दोस्त !

    जहाँ रहो, चमकते रहो !!! pic.twitter.com/5N94NggcHu

    — Randeep Singh Surjewala (@rssurjewala) May 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હાલત ખૂબ જ નાજુક

આપણે જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે શનિવારે કહ્યું હતું કે, કોરોના વાયરસથી સંક્રમિત રાજીવ સાતવ એક નવા વાઈરસથી સંક્રમિત થયા હતા. તેની હાલત ખૂબ જ નાજુક છે.

22 એપ્રિલના રોજ કોરોના વાઈરસથી થયાં હતા સંક્રમિત

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની નજીક હોવાનું મનાતા સાતમ 22 એપ્રિલના રોજ કોરોના વાઈરસથી સંક્રમિત થયાં હતા. ત્યારબાદ તેઓને પુણેની જહાંગીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ વેન્ટિલેટર પર હતા.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દુ:ખ વ્યક્ત કર્યું

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રાજીવ સાતવના અવસાન પર દુ:ખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું કે, "મારા મિત્ર રાજીવ સાતવને ગુમાવતા દુ:ખ થઈ રહ્યું છે. તેઓ વિશાળ ક્ષમતા ધરાવતા નેતા હતા, તેઓએ કોંગ્રેસના આદર્શોને મૂર્તિરૂપ કર્યા હતા. આ આપણા બધા માટે ન પૂરી શકાય તેવી ખોટ છે.

  • I’m very sad at the loss of my friend Rajeev Satav. He was a leader with huge potential who embodied the ideals of the Congress.

    It’s a big loss for us all. My condolences and love to his family. pic.twitter.com/mineA81UYJ

    — Rahul Gandhi (@RahulGandhi) May 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગુજરાત કોંગ્રેસને મોટી ખોટ પડી

રાજીવ સાતવનું 46 વર્ષની ઉંમરે અવસાન થયું છે અને તેમના અવસાનથી ગુજરાત કોંગ્રેસને મોટી ખોટ પડી છે. તેમણે તાજેતરમાં જ કોરોનાને હરાવ્યો હતો પરંતુ ત્યાર બાદ તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ કથળી ગયું હતું અને છેલ્લે તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા.

શંકરસિંહ વાધેલાએ દુ:ખ વ્યક્ત કર્યું

તો બીજી તરફ શંકરસિંહ વાધેલાએ પણ રાજીવ સાતવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે, પ્રભારી શ્રી રાજીવ સાતવે નાની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી દીધું. તેમના યુવા નેતૃત્વ અને કાર્યશૈલીની બધા પ્રભાવિત થયા હતા, હું તેના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને તેમને શ્રદ્ધાંજલિ આપું છું.

  • राज्यसभा सांसद और @INCGujarat के प्रभारी श्री राजीव सातव जी ने छोटी सी उम्र में दुनिया को अलविदा कह दिया है। उनके युवा नेतृत्व और श्रेष्ठ कार्यशैली से सब प्रभावित थे, में उनके परिवार और समर्थको के प्रति अपनी संवेदनाए प्रकट करता हूं और श्रद्धांजलि अर्पित करता हूं🙏🏼 pic.twitter.com/HGzM0wN8tx

    — Shankersinh Vaghela (@ShankersinhBapu) May 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીવ સાતવના પરીવારને આપી સાંત્વના

સંસદમાંથી મારા મિત્ર શ્રી રાજીવ સાતવ જીના નિધનથી હું દુ:ખી છું. તેઓ એક ઉભરતા નેતા હતા. તેમના પરિવાર, મિત્રો અને ટેકેદારોને સંવેદના. ઓમ શાંતિ.

  • Anguished by the passing away of my friend from Parliament, Shri Rajeev Satav Ji. He was an upcoming leader with much potential. Condolences to his family, friends and supporters. Om Shanti.

    — Narendra Modi (@narendramodi) May 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Last Updated :May 16, 2021, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.