ETV Bharat / bharat

ચમોલી દુર્ઘટના: રવિવારે મળેલા 13 મૃતદેહોમાંથી 11ની ઓળખ કરાઈ, 153 હજુ પણ લાપતા

author img

By

Published : Feb 15, 2021, 9:03 AM IST

chamoli rescue
chamoli rescue

વહીવટીતંત્ર દ્વારા 11 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે, જ્યારે મોડી સાંજે તપોવન ટનલ અને રૈણી ગામમાંથી 1-1 મૃતદેહ મળી આવ્યા છે. મૃતદેહોની જગ્યા પર પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. સાંજ સુધીમાં તપોવન ટનલ અને રૈણીમાંથી મળી આવેલા 13 મૃતદેહોમાંથી 11 ની ઓળખ થઈ છે.

  • ચમોલી દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોની શોધમાં નવમાં દિવસ પણ બચાવ કામગીરી ચાલુ
  • ચમોલી દુર્ઘટનામાં રવિવારે 13માંથી 11 મૃતદેહોની ઓળખ કરાઈ
  • NDRFની ટીમ સતત ગુમ થયેલા લોકોની કરી રહી છે શોધ

ચમોલી: 7 ફેબ્રુઆરીએ ચમોલી દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોની શોધમાં આજે નવમા દિવસ પણ બચાવ કામગીરી ચાલુ છે. અત્યાર સુધી બચાવ ટીમને કુલ 51 મૃતદેહો મળી આવ્યા છે. રવિવારે, તપોવન ટનલમાંથી 6 મૃતદેહો મળી આવ્યા હતા અને રૈણી ગામમાં ઋષિ ગંગા જળવિદ્યુત પ્રોજેક્ટ સાઇટમાંથી કાટમાળમાંથી 7 મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે 153 લોકો હજી લાપતા છે.

NDRFની એક ટીમ દ્વારા સતત ગુમ થયેલા લોકોની કરાઈ રહી છે શોધ

જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, NDRFની ટીમ જિલ્લા વહીવટની આગેવાની હેઠળ NDRFની એક ટીમ સતત ગુમ થયેલા લોકોની શોધ કરી રહી છે. આ દુર્ઘટનામાં ગુમ થયેલા 206 લોકોમાંથી, અત્યાર સુધી વિવિધ સ્થાનો પરથી 51 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. આ સાથે, અગાઉ બે લોકો મળ્યા હતા. હવે 153 લોકો ગુમ છે, જેમની શોધ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.